SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ તર્કરહસ્યદીપિકા કરવો જોઈએ. - જૈન ઉત્તર– તમારી આ શંકા તો મહામૂર્ખતા અને ગાંડપણની સૂચક છે જો પરપર્યાયોને નાસ્તિત્વરૂપે પણ ઘડાના ન કહેવામાં આવે તો તે પરપર્યાયો સામાન્યરૂપે તો પરવસ્તુમાં પણ નહિ રહે કેમ કે પરવસ્તુમાં તો તેઓ સ્વપર્યાય બનીને રહી શકે છે, સામાન્યપર્યાય બનીને નહિ. તેથી જયારે તેમનો ઘડા સાથે તથા પરવસ્તુઓ સાથે કોઈ સંબંધ જ ન રહ્યો ત્યારે તેમને પર્યાયો પણ કેવી રીતે કહી શકાય? પરંતુ તેમને પર્યાયો મનવા ઇષ્ટ છે તથા તેઓ અનુભવનો વિષય પણ છે. તેથી તે પરપર્યાયોને નાસ્તિરૂપે ઘડાના અવશ્ય કહેવા જોઈએ. જો ઘડામાં તેમનું અસ્તિત્વ કહેવામાં આવ્યું હોત તો અવશ્ય લોકવ્યવહારનું ઉલ્લંઘન થાત, પરંતુ અમે તો ઘડામાં તેમનું નાસ્તિત્વ જ દર્શાવીએ છીએ. જગતમાં બધા લોકો કહે છે કે “આ દરિદ્ર પાસે ધન નથી” અર્થાત ધન અને દરિદ્રનો અસ્તિત્વરૂપ સંબંધ નથી પણ નાસ્તિત્વરૂપ સંબંધ છે. આ જ રીતે પરપર્યાયોનો પણ વસ્તુની સાથે અસ્તિત્વરૂપ સંબંધ નથી પણ નાસ્તિત્વરૂપ સંબંધ છે.પરપર્યાયો અસ્તિત્વરૂપ વસ્તુના ન કહેવાય એ સાચું પરંતુ નાસ્તિત્વરૂપે તો તેઓ તેના જ કહેવાય. અને નાસ્તિત્વરૂપે પરપર્યાયોનો વસ્તુ સાથે સંબંધ માનવામાં લોકવ્યવહારનું લેશમાત્ર પણ ઉલ્લંઘન થતું નથી. 357. ननु नास्तित्वमभावोऽभावश्च तुच्छरूपस्तुच्छेन च सह कथं संबन्धः, तुच्छस्य सकलशक्तिविकलतया संबन्धशक्तेरप्यभावात् । अन्यच्च, यदि परपर्यायाणां तत्र नास्तित्वं तर्हि नास्तित्वेन सह संबन्धो भवतु, परपर्यायैस्तु सह कथं संबन्धः, न खलु घटः पटाभावेन संबद्धः पटेनापि सह संबद्धो भवितुमर्हति, तथाप्रतीतेरभावात् । 357. શંકા-નાસ્તિત્વનો અભાવને કહેવામાં આવે છે અને અભાવ તો તુચ્છ યા નીરૂપ હોય છે, તેનું કોઈ પણ વાસ્તવિક સ્વરૂપ જ હોતું નથી, તેથી તે તુચ્છ અભાવ સાથે વસ્તુનો સંબંધ કેવી રીતે હોઈ શકે? નિ:સ્વભાવ અભાવ તો સમસ્ત શક્તિઓથી રહિત હોય છે, તેનામાં તો વસ્તુની સાથે સંબંધ રાખવાની પણ શક્તિ હોતી નથી. વળી, જો ઘડામાં પરપર્યાયોનું નાસ્તિત્વ છે તો નાસ્તિત્વ નામના ધર્મ સાથે ઘડાનો સંબંધ માની શકાય, પરપર્યાયોની સાથે નહિ. જે પટનો અભાવ ઘડામાં રહે છે અર્થાત પટના નાસ્તિત્વ સાથે ઘડાનો સંબંધ છે તો એથી પટ સાથે પણ ઘડાનો સંબંધ છે એમ કેવી રીતે કહી શકાય? ક્યાંય પણ એવી પ્રતીતિ થતી નથી કે જે પદાર્થનો અભાવ જેમાં હોય તે પદાર્થ પણ તેમાં હોય. ઘડાનો અભાવ ભૂતલમાં હોય એટલે શું ઘડો પણ ભૂતલમાં હોય? Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy