SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત परपर्याया इति व्यपदिश्यन्ते । – 355. જૈન ઉત્તર– વસ્તુ(દ્રવ્ય) સાથે પર્યાયોનો સંબંધ બે પ્રકારે થાય છે – એક અસ્તિત્વરૂપે અને બીજો નાસ્તિત્વરૂપે. સ્વપર્યાયોનો તો અસ્તિત્વરૂપે સંબંધ છે તથા પરપર્યાયોનો નાસ્તિત્વરૂપે. જેવી રીતે રૂપ, રસ આદિનું ઘડામાં અસ્તિત્વ છે એટલે તેમનો ઘડા સાથે અસ્તિત્વરૂપ સંબંધ છે તેવી રીતે સ્વપર્યાયોનું ઘડામાં અસ્તિત્વ છે એટલે તેમનો ધડા સાથે અસ્તિત્વરૂપ સંબંધ છે. ૫૨૫ર્યાયોનું તો ધડામાં નાસ્તિત્વ છે અર્થાત્ ઘડામાં અસ્તિત્વ ધરાવતા નથી એટલે તેમનો ઘડા સાથે નાસ્તિત્વરૂપ સંબંધ છે. ઘટાવસ્થામાં ઘટમાં માટીનો પિંડ આદિ પર્યાયોનું અસ્તિત્વ નથી એટલે તે પર્યાયોનો ઘડાની સાથે નાસ્તિત્વરૂપ સંબંધ છે. ૫૨૫ર્યાયો વસ્તુમાં રહેતા નથી અર્થાત્ અસ્તિત્વ ધરાવતા નથી અર્થાત્ અસત્ છે એટલે તો તેમને પ૨પર્યાયો કહેવામાં આવે છે. [જો તેઓનું તેમાં અસ્તિત્વ હોય તો તેઓ સ્વપર્યાયો જ બની જાય, પ૨પર્યાયો રહે નહિ. પરની અપેક્ષાએ નાસ્તિત્વ નામનો ધર્મ ઘટ આદિ બધી વસ્તુઓમાં છે. જો ઘડો પટરૂપે અસત્ ન હોય તો તે પણ પટરૂપ જ બની જાય. તેથી પરપર્યાયો સાથે વસ્તુનો નાસ્તિત્વરૂપ સંબંધ માનવો જોઈએ.] . 356. નનુ ये यत्र न विद्यन्ते ते कथं तस्येति व्यपदिश्यन्ते, न खलु धनं दरिद्रस्य न विद्यत इति तत्तस्य संबन्धि व्यपदेष्टुं शक्यम्, मा प्रापल्लोकव्यवहारातिक्रमः, तदेतन्महामोहमूढमनस्कतासूचकं, यतो यदि नाम ते नास्तित्वसंबन्धमधिकृत्य तस्येति न व्यपदिश्यन्ते तर्हि सामान्यतस्ते परवस्तुष्वपि न सन्तीति प्राप्तम्, तथा च ते स्वरूपेणापि न भवेयुर्न चैतद्दृष्टमिष्टं वा, तस्मादवश्यं ते नास्तित्वसंबन्धमधिकृत्य तस्येति व्यपदेश्याः, धनमपि च नास्तित्वसंबन्धमधिकृत्य दरिद्रस्येति व्यपदिश्यत एव, तथा च लोके वक्तारो भवन्ति 'धनमस्य दरिद्रस्य न विद्यते' इति । यदपि चोक्तं तत्तस्येति व्यपदेष्टुं न शक्यम्' इति, तत्रापि तदस्तित्वेन तस्येति व्यपदेष्टुं न शक्यं, न पुनर्नास्तित्वेनापि ततो न कश्चिल्लोकव्यवहारातिक्रमः । ' Jain Education International ૪૯૧ , 356. શંકા— જે પરપર્યાયો વસ્તુમાં છે જ નહિ તેમને તે વસ્તુના કેવી રીતે કહી શકાય ? દરિદ્રની પાસે ધન હોતું નથી, તેથી શું ક્યાંય પણ ‘દરિદ્રનું ધન' એવો વ્યવહાર થાય છે ? જે ચીજ જ્યાં હોય જ નહિ તે ચીજનો તેની સાથે સંબંધ જોડવો એ તો સ્પષ્ટપણે લોકવ્યવહારનું ઉલ્લંધન છે. આપે આ રીતે લોકવ્યવહારનો અનાદર ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy