SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત त्पादा विनाशाः स्थितयश्च पुनः पुनर्भवनेनानन्तकालेनानन्ता अभूवन् भवन्ति भविष्यन्ति च, तदपेक्षयाप्यनन्ता धर्माः । 43. આવી રીતે ઘડાના જે જે અનન્તાનન્ત સ્વપર્યાયો અને પરપર્યાયોનું કથન કરવામાં આવ્યું છે તેમના ઉત્પાદ, વિનાશ અને સ્થિતિરૂપ ધર્મો સતત પ્રતિક્ષણ થતા રહ્યા છે, પહેલાં પણ થતા હતા, અત્યારે પણ થાય છે અને આગળ ઉપર ભવિષ્યમાં પણ થતા રહેશે. આ સૈકાલિક ઉત્પાદ, વિનાશ અને સ્થિતિરૂપ ત્રિપદીથી પણ ઘડામાં અનન્ત ધર્મ સિદ્ધ થાય છે. [344. પર્વ ઊતવલારખ્ય માવતોડતા થHઃ | 344. તેવી જ રીતે ઘડાના પીળાપણું આદિ પર્યાયોથી ભાવતઃ પણ અનન્ત ધર્મો થાય છે. આમ એક જ ઘડામાં સ્વધર્મોની અપેક્ષાએ અસ્તિત્વ અને પરધર્મોની અપેક્ષાએ નાસ્તિત્વ સમજવું જોઈએ.] 345. તથા વ્યક્ષેત્રવિપ્ર વે વથ: પરધશ્રાવક્ષરે तैरुभयैरपि युगपदादिष्टो घटोऽवक्तव्यः स्यात्, यतः कोऽपि स शब्दो न विद्यते येन घटस्य स्वधर्माः परधर्माश्चोच्यमाना द्वयेऽपि युगपदुक्ता भवन्ति, शब्देनाभिधीयमानानां क्रमेणैव प्रतीतेः । ડ. જ્યારે ઉપર કહેવામાં આવેલા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર આદિ તથા પરદ્રવ્ય, પરક્ષેત્ર આદિની અપેક્ષાએ બનતા પોતાના સ્વધર્મો અને પરધર્મો સાથે ઘટને એક જ શબ્દથી એક સાથે (યુગપત) વર્ણવવાની ઈચ્છા થાય ત્યારે ઘટ અવક્તવ્ય બની જાય છે કેમ કે જગતમાં એવો કોઈ શબ્દ નથી કે જેના વડે ઘડાના સ્વધર્મો અને પરધર્મોનું યગપત્ પ્રધાનભાવે કથન કરી શકાય. શબ્દ દ્વારા સ્વધર્મો અને પરધર્મો બન્નેનું ક્રમથી જ કથન શક્ય છે, એક સાથે પ્રધાનભાવે કથન શક્ય નથી. 346. સંતિતોપ શબ્દ વ વપરથમ પ્રત્યાયતિ, તુ युगपत्, ‘शतृशानचौ सत्' इति शतृशानचोः संकेतितसच्छब्दवत् । (346. શબ્દની પ્રવૃત્તિ સંકેત અનુસાર થાય છે, તેથી એ શંકા સંભવે છે કે “જેમ શતૃ અને શાન... બે પ્રત્યયોની “સત્' સંજ્ઞા બન્નેય પ્રત્યયોનું કથન કરે છે તેમ બન્ને પ્રકારના ધર્મોમાં જે શબ્દનો સંકેત કરવામાં આવ્યો હોય તે શબ્દ દ્વારા બન્ને પ્રકારના ધર્મોનું યુગપત્ કથન થઈ શકે', પરંતુ શંકાકારે એ વાત બરાબર સમજી લેવી જોઈએ કે શતૃ અને શાનની “સ” સંજ્ઞા બન્ને પ્રત્યયોનું ક્રમથી જ જ્ઞાન કરાવે છે, તેથી સંકેત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy