SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૭૩ સપક્ષસત્ત્વ રૂપ નથી તેમ છતાં પણ તેમનામાં અવિનાભાવ હોવાથી તેઓ સત્ (સાચા) છે, અને પોતાના સાધ્યનું યથાર્થ જ્ઞાન કરાવે છે. 327. માdવરના જ્ઞાતિમર્થજ્ઞાનમાર, ૩૫atતાતવાન યથાડस्त्यत्र निधिः, सन्ति मेर्वादयः । अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते यथाज्ञानं चाभिधत्ते, स आप्तो जनकतीर्थकरादिः । इत्युक्तं परोक्षम् । तेन। _327. આપ્ત પુરુષનાં વચનોથી ઉત્પન્ન થતું અર્થજ્ઞાન (વસ્તજ્ઞાન) આગમ પ્રમાણ છે. ઉપચારથી આતનાં વચનોને પણ આગમ પ્રમાણ માનવામાં આવે છે કેમ કે તેમના દ્વારા જ તો જ્ઞાન ઉત્પન્ન થાય છે. જે વ્યક્તિ જે વસ્તુનું કથન કરતી હોય તેને અવિસંવાદીરૂપે અર્થાત્ યથાર્થરૂપે જાણતી હોય તથા જેવી તે વસ્તુને જાણી હોય બરાબર તેવી જ જણાવતી હોય તેને આપ્ત કહેવામાં આવે છે, જેમ કે માતાપિતા, તીર્થકર આદિ. ઉદાહરણાર્થ, “અહીં ધન દાટ્યું છે” આ વાક્યના અર્થને વૃદ્ધ પિતા સારી રીતે જાણે છે, “મેરુ પર્વત વગેરેનું અસ્તિત્વ છે' આ વાક્યના અર્થને સર્વજ્ઞ તીર્થકર સારી રીતે જાણે છે, તેથી તેઓ તે તે વાક્યના (વચનના) આપ્ત છે. એક વાર આપ્તતાનો નિશ્ચય થઈ જાય એટલે પછી તેમના દ્વારા કહેવાયેલાં અન્ય વચનો પણ આગમ પ્રમાણ છે. આમ અહીં પરોક્ષ પ્રમાણનું નિરૂપણ સમાપ્ત થાય છે. 328. “ મુસંવ્યવહાર | સંવાતિવિહિં મતમ્ | ज्ञानमध्यक्षमन्यद्धि, परोक्षमिति संग्रहः ॥१॥ इति । यद्यथैवाविसंवादि प्रमाणं तत्तथा मतम् ।। विसंवाद्यप्रमाणं च तदध्यक्षपरोक्षयोः ॥२॥" ( [ સન્મતિતિક્ટીવ, પૃ. ૨૧] 328. તેથી સમગ્ર પ્રમાણચર્ચાનો ઉપસંહાર કરતાં કહેવાયું છે કે- “અવિસંવાદી વિશદ જ્ઞાન પ્રત્યક્ષ છે. તે મુખ્ય અને સાંવ્યવહારિકના ભેદથી બે પ્રકારનું છે. પ્રત્યક્ષથી ભિન્ન બાકીનાં બધાં જ્ઞાનો પરોક્ષ છે. આ સામાન્યપણે પ્રમાણોનો સંગ્રહ છે. જે જ્ઞાન વસ્તુના જે અંશનું જે રૂપે અવિસંવાદી જ્ઞાન કરાવે તે જ્ઞાન તે અંશમાં તે રૂપે પ્રમાણ છે તથા જે અંશમાં વિસંવાદી જ્ઞાન કરાવે તે અંશમાં અપ્રમાણ છે, આ વ્યવસ્થા પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને પ્રકારનાં જ્ઞાનોમાં છે. તે બધાં અવિસંવાદી અંશમાં પ્રમાણ છે. તથા વિસંવાદી અંશમાં અપ્રમાણ છે.” [સન્મતિતર્કટીકા, પૃ.૫૯]. 329. तत एकस्यैव ज्ञानस्य यत्राविसंवादस्तत्र प्रमाणता, इतरत्र च Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy