SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા મિત્રાતનયત્વ હેતુમાં નૈરૂપ્ય હોવા છતાં તે સત્ (સાચો) હેતુ નથી કેમ કે મિત્રાતનયત્વ હેતુનો શામળાપણા સાથે કોઈ અવિનાભાવસંબંધ નથી. બૈરૂપ્ય ન હોવા છતાં કેવળ અવિનાભાવ માત્રથી અનેક હેતુઓ પોતાના સાધ્યનું સફળ અનુમાન કરાવે છે. ઉદાહરણો – ‘આકાશમાં ચન્દ્ર છે કેમ કે જલમાં ચન્દ્રનું પ્રતિબિંબ છે' આ અનુમાનમાં જલમાં પડેલું ચન્દ્રનું પ્રતિબિંબ હેતુ, ‘રોહિણી નક્ષત્રનો ઉદય એક મુહૂર્ત પછી થશે કેમ કે હમણા જ કૃત્તિકા નક્ષત્રનો ઉદય થાય છે' આ અનુમાનમાં કૃત્તિકોદય હેતુ, ‘બધા આંબાને મોર આવી ગયો છે કેમ કે તે બધા આંબા છે, જેમ કે આ મોરવાળો આંબો' આ અનુમાનમાં પુષ્પિત આમ્રુત્વ હેતુ, ‘સમુદ્રમાં ભરતી આવી રહી છે કેમ કે ચન્દ્રોદય થઈ રહ્યો છે’ આ અનુમાનમાં ચન્દ્રોદય હેતુ, ‘કમલો ખીલી ગયાં છે કેમ કે સૂર્યોદય થઈ ગયો છે' આ અનુમાનમાં સૂર્યોદય હેતુ, ‘છાયો છે કેમ કે (તડકો પણ છે અને) વૃક્ષ પણ છે' આ અનુમાનમાં (તડકા સાથેનું) વૃક્ષ હેતુ, ઇત્યાદિ અનેક હેતુઓમાં પક્ષધર્મત્વ (પક્ષસત્ત્વ) નથી, આ હેતુઓ પોતાના પક્ષમાં રહેતા નથી તેમ છતાં અવિનાભાવના કારણે સત્ (સાચા) હેતુઓ છે. જલગત ચન્દ્રપ્રતિબિંબ હેતુ આકાશરૂપ પક્ષમાં રહેતો નથી, તેવી જ રીતે ચન્દ્રોદય હેતુ સમુદ્રરૂપ પક્ષમાં રહેતો નથી તેમ છતાં અવિનાભાવ સંબંધ તેમનો સાધ્ય સાથે હોવાથી તેઓ પોતાના સાધ્યનું યથાર્થ અનુમાન કરાવે છે. ૪૭૨ શંકા— કૃત્તિકોદય હેતુમાં આકાશ યા કાલને પક્ષ (સાધ્યયુક્ત ધર્મી) બનાવીને પક્ષધર્મતા (પક્ષસત્ત્વ) ઘટાવી શકાય, જેમ કે આકાશ યા કાલ એક મુહૂર્તમાં રોહિણીના ઉદયથી યુક્ત થશે કેમ કે અત્યારે તેમાં કૃત્તિકાનો ઉદય થઈ રહ્યો છે. જૈન ઉત્તર– આ યોગ્ય નથી. જો આવી રીતે વ્યાપક વસ્તુઓને પક્ષ બનાવવાની પ્રથા પાડી તેને કાયમ કરવામાં આવે અને તેના આધારે હેતુને સત્ (સાચો) માનવામાં આવે તો અતિપ્રસંગદોષ આવે અર્થાત્ મોટી અવ્યવસ્થા ઊભી થાય, જગતમાં કોઈ પણ હેતુ પક્ષધર્મ વિનાનો રહેશે જ નહિ. ‘શબ્દ અનિત્ય છે કારણ કે કાગડો કાળો છે’ અહીં ‘કાગડો કાળો છે’ એ પક્ષધર્મરહિત હેતુ પણ લોકને પક્ષ માનીને પક્ષધર્મવાળો બનાવી શકાશે — ‘લોક અનિત્ય શબ્દવાળો છે કેમ કે લોક કાળા કાગડાવાળો છે.’ તેથી કાલ, આકાશ આદિ તટસ્થ વ્યાપક પદાર્થોને ધર્મો (પક્ષ) માનીને પક્ષધર્મત્વને સિદ્ધ કરવો એ તો કેવળ કલ્પનાજાળ છે. તેમાં અતિપ્રસંગ (અવ્યવસ્થા) નામનો દોષ રહેલો છે. ‘શબ્દ અનિત્ય છે કેમ કે તે શ્રાવણ છે (સાંભળી શકાય છે)’, ‘અહીં મારો ભાઈ છે કેમ કે આ જાતનો અવાજ મારા ભાઈના બોલ્યા વિના આવે નહિ’, ‘બધા પદાર્થો અનિત્ય છે કેમ કે તેઓ સત્ છે’, ‘બધા પદાર્થો નિત્ય છે કેમ કે તેઓ સત્ છે’ આ અનુમાનોના શ્રાવણત્વ આદિ હેતુઓ સપક્ષમાં રહેતા નથી અર્થાત્ તેમનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy