SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૭૧ પરંતુ મન્દબુદ્ધિવાળાઓને સમજાવવા માટે દૃષ્ટાન્ત, ઉપનય અને નિગમન એ ત્રણ અવયવોનો પણ પ્રયોગ કરવો જોઈએ. દૃષ્ટાન્તના બે પ્રકાર છે - અન્વયદૃષ્ટાન્ત અને વ્યતિરેકદૃષ્ટાન્ત. જ્યાં સાધનની સત્તાની સાથે નિયતરૂપે અવશ્ય જ સાધ્યની સત્તા દર્શાવવામાં આવે તે અન્વયદૃષ્ટાન્ત છે. જ્યા સાધ્યના અભાવ સાથે નિયમથી સાધનનો અભાવ દર્શાવવામાં આવે તે વ્યતિરેકદૃષ્ટાન્ત છે. દૃષ્ટાન્તનું કથન કર્યા પછી પક્ષમાં હેતુની સત્તાનું પુનર્વચન ઉપનય છે. પક્ષમાં હેતુની સત્તાનો ઉપસંહાર કરીને સાધ્યના સદ્ભાવનું પુનર્વચન અર્થાત્ પ્રતિજ્ઞાનો ઉપસંહાર નિગમન છે. આ પક્ષ, કેતુ, દૃષ્ટાન્ત, ઉપનય અને નિગમન ‘પંચાવયવ’ કહેવાય છે. ઉદાહરણ-શબ્દ પરિણામી (પરિવર્તનશીલ) છે, કેમ કે તે કૃતક (ઉત્પન્ન કરાયો) છે, જે કૃતક હોય છે તે પરિણામી હોય છે જેમ કે ઘડો, આ શબ્દ પણ કૃતક છે, તેથી તે પરિણામી છે. જે પરિણામી ન હોય તે કૃતક પણ ન હોય જેમ કે વન્ધ્યાપુત્ર. કેમ કે શબ્દ મૃતક છે એટલે તે પરિણામી પણ છે, ઇત્યાદિ. 326. नन्वत्र निश्चितान्यथानुपपत्तिरेवैकं हेतोर्लक्षणमभ्यधायि किं न पक्षधर्मत्वादित्रैरूप्यमिति चेत्, उच्यते; पक्षधर्मत्वादौ त्रैरूप्ये सत्यपि तत्पुत्रत्वादेर्हेतोर्गमकत्वादर्शनात्, असत्यपि च त्रैरूप्ये हेतोर्गमकत्वदर्शनात्, तथाहि-जलचन्द्रात् नभश्चन्द्रः, कृतिकोदयात् शकटोदयः, पुष्पितैकचूततः पुष्पिताः शेषचूताः, शशाङ्कोदयात् समुद्रवृद्धिः, सूर्योदयात् पद्माकरबोधः, वृक्षात्च्छाया चैते पक्षधर्मताविरहेऽपि सर्वजनैरनुमीयन्ते । कालादिकस्तत्र धर्मी समस्त्येवेति चेत् । न; अतिप्रसङ्गात् । एवं हि शब्दस्यानित्यत्वे साध्ये काककार्यादेरपि गमकत्वप्रसक्तेः, लोकादेर्धर्मिणस्तत्र कल्पयितुं शक्यत्वात् । अनित्यः शब्दः श्रावणात् मद्भ्रातायम् एवंविधस्वरान्यथानुपपत्तेः, सर्वं नित्यमनित्यं वा सत्त्वादित्यादिषु सपक्षे सत्त्वस्याभावेऽपि गमकत्वदर्शनाच्चेति । 326. શંકા તમે એક માત્ર અન્યથાનુપપત્તિને (અવિનાભાવને) જ હેતુનું લક્ષણ કહ્યું છે. પરંતુ હેતુના લક્ષણમાં તો ‘પક્ષમાં રહેવુ (પક્ષસત્ત્વ)’, ‘સપક્ષમાં રહેવું (સપક્ષસત્ત્વ)' અને ‘વિપક્ષમાં ન રહેવુ (વિપક્ષાસત્ત્વ યા વિપક્ષવ્યાવૃત્તિ)’ આ ત્રણ રૂપોનું વિશિષ્ટ સ્થાન છે, તો પછી તેમનો સમાવેશ હેતુલક્ષણમાં કેમ ન કર્યો ? - જૈન ઉત્તર– બૈરૂપ્ય હેતુનું અવ્યભિચારી લક્ષણ નથી. ‘ગર્ભમાં રહેલો મિત્રાનો પુત્ર શ્યામ છે કેમ કે તે મિત્રાનો પુત્ર છે, જેમ કે મિત્રાના પાંચ શ્યામ પુત્રો' અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy