SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭) તર્કરહસ્યદીપિકા ધૂમ કદી હોતો જ નથી.' આ રીતે સામાન્યરૂપે જગતના સમસ્ત અગ્નિઓ અને સમસ્ત ધૂમોના વ્યાપ્તિસંબંધને (અવિનાભાવસંબંધને) તર્ક પ્રમાણ જાણી લે છે.] 325. અનુમાન દિયા, સ્વાર્થ પરાઈ રહેતુદા સંવરહેતુ साध्यविज्ञानं स्वार्थम् । निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः । इष्टमबाधितमसिद्धं साध्यम् । साध्यविशिष्टः प्रसिद्धो धर्मी पक्षः । पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात् । मन्दमतीस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि । दृष्टान्तो द्विधा; अन्वयव्यतिरेकभेदात् । साधनसत्तायां यत्रावश्यं साध्यसत्ता प्रदर्श्यते सोऽन्वयदृष्टान्तः । साध्याभावेन साधनाभावो यत्र कथ्यते स व्यतिरेकदृष्टान्तः । हेतोस्पसंहार उपनयः । प्रतिज्ञायास्तूपसंहारो निगमनम् । एते पक्षादयः पञ्चावयवाः कीर्त्यन्त इत्यादि । अत्रोदाहरणम्- परिणामी शब्दः कृतकत्वात्, यः कृतकः स परिणामी दृष्टो यथा घटः, कृतकश्चायम् तस्मात्परिणामी । यस्तु न परिणामी स न कृतको दृष्टः यथा वन्ध्यास्तनन्धयः । कृतकश्चायम् तस्मात्परिणामी इत्यादि । 325. [સાધન દ્વારા થતું સાધ્યનું જ્ઞાન અનુમાન છે.] અનુમાનના બે પ્રકાર છેસ્વાર્થાનુમાન અને પરાર્થાનુમાન. સ્વિાર્થનુમાન એટલે “પોતાના માટે અનુમાન'. સ્વાર્થનુમાન સ્વપ્રતિપત્તિ માટે છે. પરાર્થાનુમાન એટલે “બીજાના માટે અનુમાન', પરપ્રતિપત્તિ માટે પ્રયોજાતું અનુમાન. આચાર્ય હેમચન્દ્રકહે છે કે જે અનુમાન પોતાના અજ્ઞાનને દૂર કરવા સમર્થ હોય તે અનુમાન સ્વાર્થનુમાન અને જે અનુમાન બીજાના અજ્ઞાનને દૂર કરવા સમર્થ હોય તે અનુમાન પરાર્થાનુમાન.] હેતુનું ગ્રહણ તેમજ અવિનાભાવસંબંધનું સ્મરણ આ બેથી જન્મતું સાધ્યનું જ્ઞાન સ્વાર્થનુમાન છે. જેની સાધ્યની સાથે અન્યથાનુપપત્તિ (=અન્યથા એટલે કે સાધ્યના અભાવમાં અનુપપત્તિ એટલે ન ઘટવું, ન હોવું, અર્થાત્ અવિનાભાવ) સુનિશ્ચિત હોય, અર્થાત જે સાધ્ય સાથે અવિનાભાવ સંબંધ ધરાવવાના એક માત્ર લક્ષણવાળો હોય તે પદાર્થ હેતુ છે. જેને સિદ્ધ કરવા વાદી ઇચ્છે છે, જે પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી બાધિત નથી અને જે હજુ સુધી પ્રતિવાદીને અસિદ્ધ છે તે સાધ્ય છે. સાધ્યથી યુક્ત ધર્મી પક્ષ છે. ધર્મી પ્રસિદ્ધ હોય છે. પક્ષ અને હેતુના વચનરૂપ (કથનરૂપ) પરાથનુમાન છે. [અર્થાત્ પક્ષ અને હેતુના વચનને (કથનને) સાંભળી શ્રોતાને ઉત્પન્ન થતું સાધ્યનું જ્ઞાન પરાર્થાનુમાન છે.] જો કે મુખ્યરૂપે અર્થાત ખરેખર તો પરાર્થાનુમાન જ્ઞાનાત્મક જ હોય છે તેમ છતાં જે વચનોથી તે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે વચનોમાં (કારણમાં) જ્ઞાનનો (કાર્યનો) ઉપચાર કરીને વચનોને પરાથનુમાન કહેલ છે. અનુમાનના પ્રતિજ્ઞા અને હેતુ એ બે જ અવયવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy