SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ તર્કરહસ્યદીપિકા હોય છે’ આ અતિદેશ વાક્ય – આમનું પરિચાયક વાક્ય કદી સાંભળ્યું છે તે વ્યક્તિ વિકટ જંગલમાં અચાનક પહેલી જ વાર ગવયને જુએ છે. ગોસદશ ગવયને જોતાં જ પરોક્ષ ગાયનું સ્મરણ થાય છે અને તે પરોક્ષ ગાયગત ગવયસાદશ્યનું જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને ઉપમાન પ્રમાણ કહે છે. આ ગાયગત ગવયસાદશ્યનું જ્ઞાન બે આકારે થાય છે— ‘તે ગાય આના સદેશ છે’ ‘તે ગાયનું આની સાથે સાદશ્ય છે.’ કહ્યું પણ છે કે— “ગવયને જોઈને જે ગાયનું સ્મરણ થાય છે તે જ ગાય ગવય સાથેના સાદૃશ્યથી વિશિષ્ટ થઈને ઉપમાન પ્રમાણ દ્વારા જ્ઞાત થાય છે અથવા તો ગાયથી વિશિષ્ટ એવું ગવય સાથેનું સાદૃશ્ય ઉપમાન પ્રમાણ દ્વા૨ા જ્ઞાત થાય છે. આમ ગાયવિશિષ્ટ ગવયસાદશ્ય અને ગવયસાદશ્યવિશિષ્ટ ગાય બન્નેય ઉપમાન પ્રમાણનાં પ્રમેય છે. ’’ [મીમાંસાશ્લોકવાર્તિક, ઉપમાન, શ્લોક ૩] 312. તઘ્ન પોક્ષભેરે પ્રત્યભિજ્ઞાયામનમાંવ્યમ્ ॥ 312. નૈયાયિકમાન્ય ઉપમાન અને મીમાંસકમાન્ય ઉપમાન બન્નેનો સમાવેશ પ્રત્યભિજ્ઞાન નામના પરોક્ષભેદમાં થઈ જ જાય છે. [બન્ને ઉપમાનોમાં ગવયનું પ્રત્યક્ષ અને અતિદેશ વાક્યનું કે ગાયનું સ્મરણ કારણ છે અને સાદશ્યરૂપે તેમનું સંકલન કરવામાં આવે છે, તેથી પ્રત્યક્ષ અને સ્મરણથી ઉત્પન્ન થનાર તથા સાદૃશ્યને સંકલિત કરનાર સાદશ્યપ્રત્યભિજ્ઞાનમાં જ તે બન્ને ઉપમાનોનો સમાવેશ થઈ જાય છે. પ્રત્યક્ષ અને સ્મરણથી ઉત્પન્ન થનારાં એકત્વ, સાદશ્ય, વૈસાદશ્ય, આપેક્ષિક આદિરૂપ જેટલાં સંકલનાજ્ઞાનો થાય છે તે બધાં પ્રત્યભિજ્ઞારૂપ જ છે.] 313. અîપત્તિપિ "प्रमाणषट्कविज्ञातो यत्रार्थोऽनन्यथा भवन् । अदृष्टं कल्पयेदन्यं सार्थापत्तिरुदाहृता ॥" [મી તો અર્થાં શ્લો૦ ] इत्येवंलक्षणा अनुमानान्तर्गतैव, अर्थापत्त्युत्थापकस्यार्थस्यान्यथानुपपत्तिनिश्चयेनैवादृष्टार्थपरिकल्पनात्, अन्यथानुपपत्तिनिश्चयस्यानुमानत्वात् । 313. “પ્રત્યક્ષ આદિ છ પ્રમાણોથી જ્ઞાત પદાર્થનું અસ્તિત્વ અન્ય અદૃષ્ટ યા અજ્ઞાત પદાર્થની કલ્પના કર્યા વિના ઘટે નહિ ત્યારે તે અદષ્ટ પદાર્થની કલ્પના કરવી એ અર્થપત્તિ કહેવાય છે.” [મીમાંસાશ્લોકવાર્તિક, અર્થાપત્તિ, શ્લોક ૧]. આવા લક્ષણવાળી અર્થપત્તિ અનુમાનસ્વરૂપ જ છે એટલે તેનો અન્તર્ભાવ અનુમાનમાં થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy