SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૬૧ છે. અર્થાપત્તિ અનુમાન સ્વરૂપ છે કેમ કે અર્થપત્તિના ઉત્પાદક અર્થનું અસ્તિત્વ અન્યથા, અર્થાત અદૃષ્ટ અર્થની કલ્પના કર્યા વિના, ઘટતું નથી એ નિશ્ચય દ્વારા અંદષ્ટ અર્થની કલ્પના કરવામાં આવે છે અને જ્ઞાતિનું અસ્તિત્વ અદષ્ટની (અજ્ઞાતની) કલ્પના કર્યા વિના ઘટતું નથી એવો નિશ્ચય અનુમાન છે. [અનુમાનમાં પણ પર્વત ઉપર દેખાતા (દ) ધૂમનું હોવું પર્વત ઉપર અદષ્ટ અગ્નિના હોયા વિના ઘટતું નથી એ નિશ્ચય દ્વારા અદષ્ટ અગ્નિની દષ્ટ ધૂમ ઉપરથી કલ્પના કરવી એ જ તો અનુમાન છે.] 314. अभावाख्यं तु प्रमाणं प्रमाणपञ्चकाभावः, तदन्यज्ञानम्, आत्मा वा ज्ञानविनिर्मुक्तः इति त्रिधाभिधीयते, तत्राद्यपक्षस्यासंभव एव; प्रसज्यवृत्त्या प्रमाणपञ्चकाभावस्य तुच्छत्वेनावस्तुत्वात्, अभावज्ञानजनकत्वायोगात् । द्वितीयपक्षे तु पर्युदासवृत्त्या यत्तदन्यज्ञानं तत्प्रत्यक्षमेव, प्रत्यक्षेणैव घटादिविविक्तस्य भूतलादेर्ग्रहणात् । कचित्तु तदघटं भूतलमिति प्रत्यभिज्ञानेन, योऽग्निमान्न भवति नासौ धूमवानिति तर्केण, नात्र धूमोऽनग्नेरित्यनुमानेन, गृहे गर्गो नास्तीत्यागमेन वाभावप्रतीतेः काभावः प्रमाणं प्रवर्तताम् । तृतीयपक्षस्य पुनरसंभव एव, आत्मनो ज्ञानाभावे कथं वस्त्वभाववेदकत्वं, वेदनस्य ज्ञानधर्मत्वात्, अभाववेदकत्वे वा ज्ञानविनिमुक्तत्वस्याभावात्, तनाभावः प्रमाणान्तरम् । _314. અભાવ પ્રમાણના ત્રણ રૂ૫ યા પ્રકાર છે – (૧) જે પદાર્થનો અભાવ દર્શાવવો હોય તે પદાર્થના અસ્તિત્વને સિદ્ધ કરનારાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોનો સર્વથા અભાવ અર્થાત્ પ્રમાણપંચકાભાવ. (૨) જે આધારમાં કે જે પદાર્થ સાથે તેને જોયો હતો કેવળ તે આધાર કે તે પદાર્થનું જ્ઞાન થવું, અર્થાત જેનો અભાવ દર્શાવવો છે તેનાથી ભિન્ન વસ્તુનું જ્ઞાન થવું, જેમ કે ઘડાને ભૂતલમાં કે ભૂતલ સાથે જોયો હતો, હવે જો કેવલ ભૂતલ જ દેખાય તો ઘડાનો અભાવ સિદ્ધ થઈ જાય. અહીં તદન્યનું જ્ઞાન અભાવસાધક અભાવપ્રમાણ બનશે. (૩) આત્માનું જ્ઞાનરહિત હોવું અર્થાત્ આત્મામાં જ્ઞાન ઉત્પન્ન ન થવું. જયારે ઘડાનું જ્ઞાન જ ઉત્પન્ન ન થતું હોય ત્યારે ઘડાનો સદ્ભાવ નહિ પણ ઘડાનો અભાવ જ સિદ્ધ થાય. આમ અહીં આત્મામાં અમુક પદાર્થના જ્ઞાનનો અભાવ તે પદાર્થના અભાવનું સાધક અભાવ પ્રમાણ છે. આ ત્રણ પક્ષોમાંથી પ્રથમ પક્ષ સંભવતો જ નથી કેમ કે પ્રમાણપંચકાભાવ પ્રસજયરૂપ (આકાશકુસુમના સર્વથા અભાવ જેવો) હોવાથી તુચ્છ અવસ્તુરૂપ છે એટલે તે અભાવવિષયક જ્ઞાન ઉત્પન્ન કરી શકે જ નહિ. જે વસ્તુરૂપ હોય તે જ જ્ઞાન ઉત્પન્ન કરી શકે. જે સ્વયં શશશૃંગ જેવો અવસ્તુરૂપ પ્રમાણપંચકાભાવ છે તે અભાવજ્ઞાનરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy