SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ તર્કરહસ્યદીપિકા (categories of understanding or thoughtથી) રહિત છે. તેમાં પૂર્વાપરાનુસંધાન છે જ નહિ. એટલે તે શબ્દશૂન્ય, વિચારશૂન્ય છે. વિચારાત્મક યા સ્મરણાત્મક જ્ઞાનમાં પૂર્વાપરાનુસધાન, વિચાર, કલ્પનાઓ હોય છે. તે વસ્તુને યથાર્થ જાણતું નથી. તે વસ્તુ ઉપર કલ્પનાઓનો આરોપ કરે છે. તે નિશ્ચયાત્મક છે. આ જ્ઞાનસિદ્ધાન્તનું મૂળ દિનાગના પ્રમેયસ્વૈવિધ્યના સિદ્ધાન્તમાં છે. પ્રમેયના બે પ્રકાર છે – “સ્વલક્ષણ” અને “સામાન્ય લક્ષણ.' સ્વલક્ષણ સર્વથા વિશેષરૂપ તત્ત્વ છે. તેની બાબતમાં દેશવ્યાપ્તિ કે કાળવ્યાપ્તિસંભવતી નથી. કાળની દૃષ્ટિએ તે ક્ષણિક છે અને દેશની દષ્ટિએ તે અવિભાજ્ય અણપરિમાણ છે.આ ક્ષણિક સ્વલક્ષણ જ બાહ્ય જગતમાં અસ્તિત્વ ધરાવે છે, તે જ પરમાર્થ સત્ છે કારણ કે તે જ અર્થક્રિયાકારી છે. દઝાડવાનું કામ અગ્નિસ્વલક્ષણ કરે છે, નહિ કે અગ્નિસામાન્ય લક્ષણ. સામાન્યલક્ષણ વિકલ્પરૂપ છે, માનસ છે, તેનું અસ્તિત્વ બાહ્ય જગતમાં નથી. દિનાગે ગોત્વ વગેરે સામાન્યોને બાહ્ય સત્ માનનારનો અત્યન્ત વિરોધ કર્યો અને જણાવ્યું કે ગોત્વ વગેરે સામાન્યો અતવ્યાવૃત્તિરૂપ છે. ગાયોમાં રહેનારું ગોત્વ કોઈ બાહ્ય સત્ વિધિરૂપ ભાવપદાર્થનથી પરંતુ અનેક ગાયોનું અગો (અતત) અર્થાત ભેંસ, ઊંટ, હાથી, વગેરેથી વ્યાવૃત્ત એટલે ભિન્ન હોવું તે છે. આ અતદ્દવ્યાવૃત્તિ એ સામાન્યનું સ્વરૂપ છે. અને તે મનસ્કલ્પના છે. પ્રમેય બે પ્રકારના હોવાથી પ્રમાણો પણ બે પ્રકારના છે – પ્રત્યક્ષ (અનુભવાત્મક, નિર્વિકલ્પક) અને અનુમાન. પ્રત્યક્ષ સ્વલક્ષણને જ ગ્રહણ કરે છે. અનુમાનનો વિષય છે સામાન્યલક્ષણ. આ કારણે અનુમાનને ભ્રાન્ત પ્રમાણે ગણવામાં આવ્યું છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે જો તે ભ્રાન્ત હોય તો પ્રમાણ શેનું અને પ્રમાણ હોય તો ભ્રાન્ત શેને? ભ્રાન્તિ બે પ્રકારની હોય છે– વિસંવાદી અને અવિસંવાદી, છીપમાં રજતની ભ્રાન્તિ વિસંવાદી છે જ્યારે મણિપ્રભામાં મણિની ભ્રાન્તિ અવિસંવાદી છે. અનુમાન અવિસંવાદી ભ્રાન્તિ છે માટે તેને પ્રમાણ ગયું છે. અનુમાનથી ગૃહીત સામાન્યલક્ષણ પરંપરાથી સ્વલક્ષણ સાથે સંબદ્ધ હોવાથી જ્ઞાતાની પ્રવૃત્તિ સફળ થાય છે. આમ અનુમાન જે વસ્તુ સ્વલક્ષણરૂપ છે તેને યથાર્થરૂપે ગ્રહણ કરતું ન હોવાથી બ્રાન્ત છે પરંતુ તે અવિસંવાદી હોવાથી પ્રમાણ છે. બૌદ્ધ ન્યાયવાદ ઉપર વિદ્વત્તાપૂર્ણ પ્રૌઢ ગ્રન્થ રશિયન વિદ્વાન થિયોડોર શેરબાસ્કીએ (Th. Stcherbatsy) લખ્યો છે. તેનું શીર્ષક જ “BuddhistLogic' (બે ભાગમાં) છે. કેવળ બૌદ્ધદર્શનના જ નહિ પરંતુ સમગ્ર ભારતીય દર્શનના ૧. પ્રત્યક્ષ જૂની પોસ્ટમ્પ પ્રમાણસમુચ્ચય. ૨. ર દિ નિયોવ્યMિવાનામિ વિદ્યા પ્રમાણવાર્તિક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy