SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૫૭ મર્યાદામાં આવી જઈ “પ્રત્યક્ષ' શબ્દવાચ્ય બની જ જાય છે. અથવા “અક્ષ' શબ્દનો અર્થ જીવ છે. કેવળ જીવને આધારે જ, ઇન્દ્રિયોની કોઈ અપેક્ષા રાખ્યા વિના જ, જે જ્ઞાનો ઉત્પન્ન થાય છે તે જ્ઞાનો પ્રત્યક્ષ જ છે. આ વ્યુત્પત્તિ અનુસાર અતીન્દ્રિય અને અનિન્દ્રિય (માનસપ્રત્યક્ષ) જ્ઞાનમાં પ્રત્યક્ષતા સિદ્ધ થઈ જ જાય છે. પ્રત્યક્ષ'શબ્દને તપુરુષ સમાસ ગણતાં “પ્રત્યક્ષ' શબ્દનો વિશેષ્યના લિંગ અનુસાર ત્રણે લિંગોમાં પ્રયોગ થાય છે, જેમકે પ્રત્યક્ષો વાંધ:, પ્રત્યક્ષા વૃદ્ધિઃ ઈત્યાદિ, અહીં બોધ અને બુદ્ધિરૂપ વિશેષ્ય ક્રમથી પુલ્લિગ તથા સ્ત્રીલિંગ છે એટલે “પ્રત્યક્ષ' શબ્દ પણ ઉક્ત બે લિંગોમાં પ્રયુક્ત થયો છે. 306. અક્ષા પ-૩મક્ષ વ્યાપારનરપેક્ષ મનોવ્યાપારે સાક્ષાર્થિપરિચ્છેदकम् परोक्षमिति परशब्दसमानार्थेन 'परस्' शब्देन सिद्धम् । _306. ઇન્દ્રિયોથી જે પર હોય અર્થાત્ જે જ્ઞાન ઈન્દ્રિયવ્યાપારની અપેક્ષા રાખ્યા વિના કેવળ મનના વ્યાપારથી જ વસ્તુને અસાક્ષાત્ જાણે છે તે જ્ઞાન પરોક્ષ છે. “પર” શબ્દનો પર્યાયવાચી “પર” શબ્દ પણ છે. તેથી પરસ્ + અક્ષ મળીને “પરોક્ષ' શબ્દ બને છે. 307. चशब्दौ द्वयोरपि तुल्यकक्षतां लक्षयतः, तेनानुमानादेः परोक्षस्य प्रत्यक्षपूर्वकत्वेन प्रवृत्तेर्यत्कैश्चित्प्रत्यक्षं ज्येष्ठमभीष्टमेतन्न श्रेष्ठमिति सूचितम्, द्वयोरपि प्रामाण्यं प्रतिविशेषाभावात् । ‘पश्य मृगो धावति' इत्यादौ प्रत्यक्षस्यापि परोक्षपूर्वकस्य प्रवृत्तेः परोक्षस्य ज्येष्ठताप्रसङ्गात् । प्रत्यक्षपूर्वकमेव च परोक्षमुपजायत इति नायं सर्वत्रैकान्तः, अन्यथानुपपन्नतावधारितोछ्वासनिःश्वासादिजीवलिङ्गसद्भावाभ्यां जीवसाक्षात्कारिप्रत्यक्षलक्षणेऽपि जीवन्मृतप्रतीतिदर्शनात्, अन्यथा लोकव्यवहाराभावप्रसङ्गात् । _307. “ (અને)' શબ્દથી પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને સમબલ છે અર્થાત્ એક જ શ્રેણીનાં છે એ સૂચવાયું છે. તે બન્ને જ્ઞાનો એકસરખા બળવાળાં છે અને પોતપોતાના વિષયમાં પ્રમાણ છે. આનાથી જે કેટલાક ચિંતકો અનુમાન આદિ પરોક્ષ જ્ઞાનોની ઉત્પત્તિ પ્રત્યક્ષપૂર્વક હોવાથી પ્રત્યક્ષને જયેષ્ઠ તથા પ્રધાન માને છે તેમનું નિરાકરણ થઈ જાય છે. પ્રત્યક્ષની જયેષ્ઠતાની તેમની વાત કોઈ પણ રીતે શ્રેષ્ઠ નથી, કેમ કે પ્રત્યક્ષ અને પરોક્ષ બન્નેય પોતપોતાના વિષયમાં સ્વતંત્ર અને એકસરખા બળવાળાં છે, બેમાંથી કોઈ બીજાથી ચડિયાતું નથી. “જુઓ, હરણ દોડે છે. આ વાક્ય સાંભળ્યા અને તેનો અર્થ વિચાર્યા પછી થનારું મૃગનું પ્રત્યક્ષ શાબ્દજ્ઞાનરૂપ પરોક્ષપૂર્વક થયું છે એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy