SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ તર્કરહસ્યદીપિકા प्रामाण्यव्याहतिः ॥५४॥ 303. “સ્વપર’ સમાસનો “પોતાને (સ્વને) માટે ગ્રહણ કરવા લાયક પર' એવો અર્થ કરવામાં આવતાં પોતપોતાને યોગ્ય પદાર્થોને જાણનારાં સંશયાદિ જ્ઞાનો પણ સામાન્ય વસ્તુને જાણવાની અપેક્ષાએ પ્રમાણ છે એવો અર્થ સૂચિત થાય છે. “જે જ્ઞાન વસ્તુના જે અંશમાં અવિસંવાદી હોય તે જ્ઞાન વસ્તુના તે અંશમાં પ્રમાણ છે” એ વ્યવહારપ્રસિદ્ધ નિયમ અનુસાર સંશયાદિ જ્ઞાન પણ સામાન્ય અંશમાં અર્થાત ધર્મી માત્રની અપેક્ષાએ પ્રમાણ છે જ. સ્વિની (જ્ઞાનસ્વરૂપની) અપેક્ષાએ તો સંશય, વિપર્યય અને સમ્યજ્ઞાન એમ બધાં જ જ્ઞાનો પ્રમાણ છે જ.] (૫૪). 304. अथ विशेषलक्षणाभिधित्सया प्रथम तावत्प्रमाणस्य संख्यां विषयं चाह प्रत्यक्षं च परोक्षं च द्वे प्रमाणे तथा मते । अनन्तधर्मकं वस्तु प्रमाणविषयस्त्विह ॥५५॥ 304. હવે પ્રમાણવિશેષોનાં લક્ષણોને જણાવવાની ઇચ્છાથી સૌપ્રથમ આચાર્ય પ્રમાણની સંખ્યા અને પ્રમાણના વિષયનું નિરૂપણ કરે છે– પ્રમાણના બે ભેદ છે – પ્રત્યક્ષ અને પરોક્ષ. અનન્તધર્મવાળી વસ્તુ પ્રમાણનો વિષય છે, અર્થાત્ પ્રમાણ દ્વારા અનન્તધર્માત્મક વસ્તુનું જ્ઞાન થાય છે. (૫૫) 305. વ્યાધ્યા–અક્ષ-ન્દ્રિયં પ્રતિ મિયિાધીનતથી યદુત્પદ तत्प्रत्यक्षमिति तत्पुरुषः, इदं व्युत्पत्तिनिमित्तमेव प्रवृत्तिनिमित्तं तु स्पष्टत्वम्, तेनानिन्द्रियादिप्रत्यक्षमपि-प्रत्यक्षशब्दवाच्यं सिद्धम्, अक्षो-जीवो वात्र व्याखेयः, जीवमाश्रित्यैवेन्द्रियनिरपेक्षमनिन्द्रियादिप्रत्यक्षस्योत्पत्तेः । तत्र तत्पुरुषाश्रयणात्प्रत्यक्षो बोध, प्रत्यक्षा बुद्धिरित्यादौ स्त्रीपुंसभावोऽपि સિદ્ધિદા | 305. શ્લોકવ્યાખ્યા– અક્ષ એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિયો પ્રતિ અભિમુખ થઈને અર્થાત્ ઇન્દ્રિયો ઉપર આધાર રાખીને જે જ્ઞાનો ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે. આ તપુરુષ સમાસ છે. આ તો પ્રત્યક્ષ' શબ્દની શાબ્દિક વ્યુત્પત્તિ છે. પરંતુ “પ્રત્યક્ષ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત તો સ્પષ્ટતા છે. તેથી જે જ્ઞાન સ્પષ્ટ છે કે, ઇન્દ્રિયથી ઉત્પન્ન થયું હોય કે ઇન્દ્રિયો વિના જ ઉત્પન્ન થયું હોય, અવશ્ય પ્રત્યક્ષ છે. તેથી જે જ્ઞાનો ઇન્દ્રિયોથી ઉત્પન્ન નથી થતાં તે અતીન્દ્રિય જ્ઞાનો પણ સ્પષ્ટ હોવાથી પ્રત્યક્ષની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy