SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ प्रथमं तदभिधीयते । 296. પ્રત્યક્ષ આદિ વિશેષ પ્રમાણોનાં લક્ષણ ગ્રન્થકાર પોતે જ કહેશે. પ્રમાણવિશેષોનાં લક્ષણોનું કથન તો ત્યારે કરી શકાય જ્યારે પહેલાં પ્રમાણસામાન્યનું લક્ષણ આપી દીધું હોય. સામાન્ય લક્ષણ અને વિશેષ લક્ષણ પરસ્પર સાપેક્ષ છે, અવિનાભાવી છે. તેથી પ્રમાણવિશેષના લક્ષણ પહેલાં સર્વત્ર પ્રમાણસામાન્યનું લક્ષણ કહેવું જોઈએ, એવી પરિપાટી છે. તેથી પહેલાં અહીં પણ પ્રમાણસામાન્યનું લક્ષણ આચાર્ય કહે છે— તર્કરહસ્યદીપિકા 297. ‘સ્વપરવ્યવસાયિ જ્ઞાનું પ્રમાળ' કૃતિ । પ્રષળ સંશયાદમાવસ્વभावेन मीयते परिछिद्यते वस्तु येन तत्प्रमाणम् । स्वमात्मा ज्ञानस्य स्वरूपं परः स्वस्मादन्योऽर्थ इति यावत् तौ विशेषेण यथावस्थितस्वरूपेणावस्यति निश्चिनोतीत्येवंशीलं यत्तत्स्वपरव्यवसायि । 297. ‘સ્વનો અર્થાત્ પોતાનો અને પરનો અર્થાત્ અન્ય પદાર્થોનો વ્યવસાય અર્થાત્ નિશ્ચય કરનારું જ્ઞાન પ્રમાણ છે.’ પ્રનો અર્થ છે પ્રકર્ષ, પ્રકર્ષથી એટલે સંશય, વિપર્યય આદિનું નિરાકરણ કરીને મીયતે અર્થાત્ જાણવામાં આવે છે વસ્તુતત્ત્વ જેના દ્વારા તેને પ્રમાણ કહેવામાં આવે છે. સ્વ એટલે જ્ઞાનના પોતાના સ્વરૂપનો, પર એટલે જ્ઞાનથી ભિન્ન બાહ્ય પદાર્થનો, વિ એટલે વિશેષરૂપે એટલે જે સ્વરૂપ તેમનું હોય તે સ્વરૂપે નિશ્ચય કરનારું જ્ઞાન પ્રમાણ છે. 298. ज्ञायते प्राधान्येन विशेषो गृह्यतेऽनेनेति ज्ञानम् । अत्र ज्ञानमिति विशेषणमज्ञानरूपस्य व्यवहारमार्गानवतारिणः सन्मात्रगोचरस्य स्वसमयप्रसिद्धस्य दर्शनस्य संनिकर्षादेश्चाचेतनस्य नैयायिकादिकल्पितस्य प्रामाण्यपराकरणार्थम् । 298. જાણવામાં આવે છે અર્થાત્ પ્રધાનપણે ગૃહીત થાય છે વિશેષ અંશો જેના દ્વારા તેને જ્ઞાન કહે છે. અહીં ‘જ્ઞાન’ વિશેષણથી જ્ઞાનથી ભિન્ન અર્થાત્ અજ્ઞાનરૂપ, સામાન્ય માત્રને ગ્રહણ કરનાર તથા પ્રવૃત્તિ આદિ વ્યવહારમાં અનુપયોગી જૈન આગમોમાં પ્રસિદ્ધ દર્શન અને નૈયાયિક વગેરેએ સ્વીકારેલા અચેતનાત્મક સન્નિકર્ષ આદિમાંથી પ્રમાણતાનો વ્યવચ્છેદ થઈ જાય છે કેમ કે દર્શન ચેતન હોવા છતાં જ્ઞાનરૂપ નથી અને સન્નિકર્ષ આદિ તો અચેતન હોવાથી સ્પષ્ટપણે જ અજ્ઞાનરૂપ છે. 299. ज्ञानस्यापि च प्रत्यक्षरूपस्य शाक्यैर्निर्विकल्पतया प्रामाण्येन कल्पितस्य संशयविपर्ययानध्यवसायानां च प्रमाणत्वव्यवछेदार्थं व्यवसा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy