SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૩ જૈનમતા કરવાની યોગ્યતા. આ ભવ્યત્વ એ જીવોનો અનાદિકાળથી રહેતો આવેલો પારિણામિક અર્થાત્ સ્વાભાવિક ભાવ છે. આ રીતે સામાન્યરૂપે ભવ્યત્વનું નિરૂપણ કરીને હવે વિશેષરૂપે ભવ્યત્વનું નિરૂપણ કરવામાં આવે છે. તે તે નિશ્ચિત પ્રકારે ભવ્યત્વનું હોવું એને તથાભવ્યત્વ કહેવામાં આવેલ છે. તાત્પર્ય એ કે જો કે સામાન્યરૂપ ભવ્યત્વ એક છે તેમ છતાં તે પોતાનાં ક્ષેત્ર, કાલ અને ગુરુ આદિ દ્રવ્યરૂપ સામગ્રીની ભિન્નતાના કારણે ભિન્ન ભિન્ન જીવોમાં જુદા જુદા પ્રકારનું હોતાં તેને તથાભવ્યત્વ કહેવામાં આવેલ છે. જો બધા જીવોમાં એક જ પ્રકારનું ભવ્યત્વ હોય તો બધા જીવોમાં એક સાથે જ એક જ પ્રકારની યોગ્યતા હોતાં બધા જીવોને ધર્મપ્રાપ્તિ, મોક્ષપ્રાપ્તિ આદિ એક સાથે જ થાય. તેથી ભિન્ન ભિન્ન પ્રકારનાં ભવ્યત્વોમાંથી એક અમુક પ્રકારના ભવ્યત્વનો પરિપાક થવાથી (અર્થાત્ ફળ દેવા અભિમુખ થવાથી) મુક્તિની યોગ્યતાનો અમુક વિકાસ થાય છે. જે જીવના સમસ્ત કર્મોની સ્થિતિઓ ઘટાડતાં ઘટાડતાં એક કોટાકોટી સાગરોપમની અંદર લાવી દીધી હોય તે ન્યૂન કર્મસ્થિતિવાળા ભવ્ય જીવને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપ રત્નત્રય પ્રાપ્ત થાય છે. “વત્ (જે) અને તત્ (ત)નો નિત્ય સંબંધ છે, તેથી તે જ ન્યૂન કર્મસ્થિતિવાળો ભવ્ય જીવ સમ્યફ અર્થાત્ સમીચીન જ્ઞાન અને ક્રિયા (ચારિત્ર) દ્વારા કર્મબન્ધનોને કાપીને મોક્ષપદ પામે છે અર્થાત્ અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તસમ્યકત્વ, અનન્તસુખ અને અનન્તવીર્ય આ અનન્તપંચકનો સ્વામી બની જાય છે. આનાથી એ જ્ઞાત થઈ જાય છે કે એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી, અર્થાત્ જ્ઞાનશૂન્ય ચારિત્રથી કે ચારિત્રવિહીન જ્ઞાનથી, મુક્તિ થતી નથી પરંતુ જયારે સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર બન્ને પૂર્ણ બને છે ત્યારે તે બન્નેથી મુક્તિ થાય છે. સમ્યજ્ઞાનને મોક્ષનું કારણ કહેવાથી સમ્યજ્ઞાનના સદા સહચારી સમ્યગ્દર્શનનું પણ ગ્રહણ થઈ જ જાય છે. સિમ્યગ્દર્શન વિના તો જ્ઞાન અને ચારિત્ર સમ્યફ બનતું જ નથી.] તત્ત્વાર્થસૂત્રકાર વાચકમુખ્ય ઉમાસ્વાતિએ કહ્યું પણ છે કે- “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર ત્રણ સાથે મળીને જ મોક્ષનો માર્ગ છે.” [તત્ત્વાર્થસૂત્ર ૧.૧.] [અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર ત્રણેય પૂર્ણ બનતાં મોક્ષ પ્રાપ્ત થાય છે.] 296. પ્રત્યક્ષાલિમાવિશેષનક્ષિામંત્ર પ્રચાર સ્વયમેવ વક્ષ્યતિ तच्च विशेषलक्षणं सामान्यलक्षणाविनाभावि, सामान्यलक्षणं च विशेषलक्षणाविनाभावि, सामान्यविशेषलक्षणयोरन्योन्यापरिहारेण स्थितत्वात् । तेन प्रमाणविशेषलक्षणस्यादौ प्रमाणसामान्यलक्षणं सर्वत्र वक्तव्यम् अतोऽत्रापि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy