SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૪૭ સમર્થનમાં જે અનુમાન આપ્યું તે અયોગ્ય છે, કેમ કે તમે આપેલી વ્યાપ્તિ વ્યાપ્તિ જ નથી. કેવળ બહિર્લામિથી હેતુ ગમ. બનતો નથી, અર્થાત્ કોઈ દૃષ્ટાન્તમાં હેતુ અને સાધ્યની વ્યાપ્તિ મળી જવાથી તે હેતુ સાચો હેતુ બની શકતો નથી, પરંતુ અન્તર્થાપ્તિથી જ હેતુ ગમક બને છે, અર્થાત્ પક્ષમાં પણ તેનો અવિનાભાવ વિધિવત્ મળવો જોઈએ. અન્તર્થાપ્તિ અર્થાતુ પક્ષમાં સાધ્ય-સાધનની વ્યાપ્તિ જ ખરેખર હેતુની સત્યતાનું પ્રધાન કારણ છે. જો બહિર્બાપ્તિમાત્રથી અર્થાત દૃષ્ટાન્તમાં સાધ્ય-સાધનની વ્યાપ્તિમાત્રથી જ હેતુને સાચો માનવામાં આવે તો ગર્ભગત પુત્રની શ્યામતા સિદ્ધ કરવા આપવામાં આવેલ તપુત્રત્વ હેતુ અર્થાત્ “કારણ કે તે પણ તેનો પુત્ર છે” હેતુ પણ સાચો બની જાય. અન્તવ્યક્તિની સિદ્ધિ તો નિર્દોષ અવિનાભાવથી જ થાય છે. પરંતુ સાતમી નરકે જવું અને મોક્ષે જવું એ બે વચ્ચે કોઈ અવિનાભાવસંબંધ નથી. કોઈ સાતમી નરકે ન પણ જાય તો પણ મોક્ષે જઈ શકે છે. આ રીતે તમે આપેલો હેતુ સંદિગ્ધ વ્યભિચારી છે. તમારા હેતુની વિપક્ષવ્યાવૃત્તિ સંદિગ્ધ છે. ચરમશરીરીઓ સાતમી નરકે ગયા વિના જ મોક્ષે જાય છે. તેથી નિશ્ચિતરૂપે ઉક્ત નિયમ વ્યભિચારી છે. ચરમશરીરીઓમાં સાતમી નરકે જવા લાયક પ્રકૃષ્ટ અશુભ મનોભાવ અને દુષ્કર્મો કરવાની પ્રકૃષ્ટ હિંમત નથી પરંતુ મોક્ષે જવા લાયક પ્રકૃષ્ટ શુભ મનોભાવ અને પ્રકૃષ્ટ પ્રશસ્ત પરાક્રમ તો તેમનામાં છે. મહામસ્ત્રમાં સાતમી નરકે જવા માટે જરૂરી યોગ્ય પ્રકૃષ્ટ સંક્લેશભાવ અને પ્રમુખ બૂરાં કામો કરવાની શક્તિ યા હિંમત તો છે પરંતુ તેમનામાં મોક્ષે જવા માટે જરૂરી યોગ્ય શુભ યા વિશુદ્ધ ભાવનો તથા પ્રશસ્ત પરાક્રમનો પ્રકર્ષ નથી, તેથી મહામસ્ય સાથે પણ તમારો નિયમ વ્યભિચારી છે. એવો પણ કોઈ નિયમ નથી કે “જમનામાં નીચે નરકમાં જવાની શક્તિ કમ છે તેમનામાં ઉપર સ્વર્ગે જવાની શક્તિ પણ કમ જ હોવી જોઈએ.'ભૂજપરિસર્પ આદિ સાથે ઉક્ત નિયમ વ્યભિચારી છે. તે આ પ્રમાણે – ભુજપરિસર્પ નીચે બીજી નરક સુધી જ જાય છે, પક્ષીઓ ત્રીજી નરક સુધી જ જાય છે, ચોપગાં પશુઓ ચોથી નરક સુધી જ જાય છે તથા સર્પ પાંચમી નરક સુધી જ જાય છે પરંતુ તે બધાં ઉપર સહસ્રાર નામના બારમા સ્વર્ગ સુધી જાય છે. તેથી સાતમી નરકે જવાની યોગ્યતા ન હોવાના કારણે સ્ત્રીઓમાં મોક્ષે જવાની વિશિષ્ટ શક્તિનો અભાવ છે એમ ન કહી શકાય. 284. નાપિ વી«િસ્થિતિવેન, મૂવતિમવ્યમવીરત્ | 284. સ્ત્રીઓ વાદ આદિ ઋદ્ધિઓ પ્રાપ્ત કરી શકવારૂપ સામર્થ્ય ધરાવતી ન હોઈ તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે અને એ કારણે સ્ત્રીઓને પુરુષથી હીન માની તેમને માટે મોક્ષપ્રાપ્તિનો નિષેધ ન કરી શકાય કેમ કે એમ તો મૂક કેવલી પણ, જે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy