SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ४४६ તર્કરહસ્યદીપિકા ઉત્કૃષ્ટપણે તીવ્ર શુભ મનોભાવ અને ઉત્કૃષ્ટ પરાક્રમ નથી, કારણ કે મોક્ષ (સુખની) પરમ પ્રકર્ષ દશા છે, સર્વોચ્ચ દશા છે અને એટલે જ એનાં કારણો પણ શુભ મનોભાવ અને વીર્યની પ્રકર્ષતા છે), જેવી રીતે દુ:ખની સર્વોચ્ચ દશારૂપ સાતમી નરકે જવા માટેનાં કારણે પ્રકૃષ્ટ સંક્લેશ અને પ્રકૃષ્ટ હિંમત સ્ત્રીઓમાં નથી તેવી જ રીતે સુખની સર્વોચ્ચ દશારૂપ મોક્ષે જવા માટેનાં કારણો પ્રકૃષ્ટ શુભ મનોભાવ અને પ્રકૃષ્ટ વીર્ય (પરાક્રમ) પણ સ્ત્રીઓમાં નથી. તેથી સ્ત્રીઓ જેમ સાતમી નરકે જઈ શકતી નથી તેમ મોક્ષે પણ જઈ શકતી નથી. દુિઃખનું કારણ અશુભ મનોભાવ અને બૂરાં કામો કરવાની હિંમત છે. એટલે દુઃખના પ્રકર્ષનું (સાતમી નરકનું) કારણ અશુભ મનોભાવનો અને બૂરાં કામો કરવાની હિંમતનો પ્રકર્ષ જ છે. સ્ત્રીઓમાં અશુભ મનોભાવનો અને બૂરાં કામો કરવાની હિંમતનો પ્રકર્ષ સંભવતો ન હોવાથી દુઃખનો પ્રકર્ષ સંભવતો નથી અર્થાત સાતમી નરકે જવું સંભવતું નથી. સુખનું કારણ શુભ મનોભાવ અને સુકાર્યો કરવાનું પરાક્રમ (વીર્ય) છે. એટલે સુખના પ્રકર્ષનું (મોક્ષનું) કારણ શુભ મનોભાવનો અને સુકાર્યો કરવાના પરાક્રમનો પ્રકર્ષ જ છે. સ્ત્રીઓમાં શુભ મનોભાવના અને સુકાર્યો કરવાના પરાક્રમનો પ્રકર્ષ સંભવતો ન હોવાથી સુખનો પ્રકર્ષ સંભવતો નથી અર્થાત મોક્ષપ્રાપ્તિ સંભવતી નથી. આમ સ્ત્રીઓ જેમ સાતમી નરકે જઈ શકતી નથી તેમ મોક્ષે પણ જઈ શકતી નથી.]. (283. સતતયુn; વ્યારાવાલ્ ા ન દિવઢવ્યરિમાળ હેતુ : स्यात् किंन्त्वन्तर्व्याप्त्या, अन्यथा तत्पुत्रत्वादेरपि गमकत्वप्रसङ्गः, अन्तर्व्याप्तिश्च प्रतिबन्धबलेनैव सिध्यति, न चात्र प्रतिबन्धो विद्यते, ततः संदिग्घविपक्षव्यावृत्तिकमिदं साधनम् । चरमशरीरिभिनिश्चितव्यभिचारं च, तेषां हि सप्तमपृथ्वीगमनहेतुमनोवीर्यप्रकर्षाभावेऽपि मुक्तिगमनहेतुशुभमनोवीर्यप्रकर्षसद्भावात् । तथा मत्स्यैरपि व्यभिचारः, तेषां हि सप्तमपृथ्वीगमनहेतुमनोवीर्यप्रकर्षसद्भावेऽपि न मुक्तिगमनहेतुशुभमनोवीर्यप्रकर्षसद्भाव इति । तथा नहि येषामधोगमनशक्तिः स्तोका तेषामूर्ध्वगतावपि शक्तिः स्तोकैव, भुजपरिसर्पादिभिर्व्यभिचारात् । तथाहि- भुजपरिसर्पा अधो द्वितीयामेव पृथ्वीं गच्छन्ति न ततोऽधः, पक्षिणस्तृतीयां यावत्, चतुर्थी चतुष्पदाः, पञ्चमीमुरगाः, अथ च सर्वेऽप्यूर्ध्वमुत्कर्षतः सहस्रारं यावद्गच्छन्ति, अतो न सप्तमपृथ्वीगमनायोग्यत्वेन विशिष्टसामर्थ्यासत्त्वम्। 283. શ્વેતામ્બર- “સ્ત્રીઓ જેમ સાતમી નરકે જઈ શકતી નથી તેમ મોક્ષે પણ જઈ શકતી નથી” એ તમે દિગમ્બરોએ તમારા મતનું જે વિવેચન કર્યું અને તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy