SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૪૫ कारणशुभमनोवीर्यपरमप्रकर्षः प्रकर्षत्वात् सप्तमपृथ्वीगमनकारणाशुभमनोवीर्यपरमप्रकर्षवत् । (282. વિશિષ્ટ શક્તિના અભાવના કારણે પણ સ્ત્રીઓ પુરુષોથી હીન નથી. તમે દિગમ્બરો જ જણાવો કે સ્ત્રીઓમાં કઈ વિશિષ્ટ શક્તિનો અભાવ છે? શું તેઓમાં સાતમી નરકભૂમિમાં જવાની યોગ્યતાનો અભાવ હોવાથી તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે એમ કહો છો? કે તેઓ વાદ આદિ ઋદ્ધિઓ પ્રાપ્ત કરી શકવારૂપ સામર્થ્ય ધરાવતી ન હોઈ તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે? અર્થાત્ વાદ કરવાના સામર્થ્યરૂપ વિશિષ્ટ શક્તિનો તેમનામાં અભાવ છે? કે પછી તેમનામાં પૂર્ણ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ ન હોવાથી તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે? સાતમી . નરકે ન જઈ શકવાના કારણે તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ મનાય નહિ કેમ કે અહીં પ્રશ્ન ઉદ્ભવે છે કે સ્ત્રી જે જન્મમાં મોક્ષ પામે છે તે જ જન્મમાં સાતમી નરકે નથી જઈ શકતી એ કારણે તેનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે કે સામાન્યપણે કોઈ પણ જન્મમાં તે સાતમી નરકે નથી જઈ શકતી એ કારણે તેનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે? જો સ્ત્રી જે જન્મમાં મોક્ષ પામે છે તે જ જન્મમાં સાતમી નરકે નથી જઈ શકતી એ કારણે તેનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ માનીએ (અર્થાત્ પ્રથમ પક્ષ માનીએ) તો ચરમશરીરી પુરુષો પણ જે જન્મમાં મોક્ષ પામે છે તે જ જન્મમાં સાતમી નરકે જઈ શકતા ન હોવાથી તેમનામાં પણ વિશિષ્ટ શક્તિનો અભાવ માનવો પડે અને પરિણામે તેમને પણ મોક્ષ પામવા માટે અયોગ્ય માનવા પડે. [એક જ જન્મમાં એકની એક વ્યક્તિ સાતમી નરકે પણ જાય અને મોક્ષ પણ પામે એ સાવ અસંભવ છે. સ્ત્રી સામાન્યપણે કોઈ પણ જન્મમાં સાતમી નરકે જઈ શકતી નથી એ કારણે તેનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે એ બીજો પક્ષ જ્યારે તમે દિગમ્બરો સ્વીકારો છો ત્યારે તમારો આશય આ છે – “સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિસર્વોત્કૃષ્ટ દઢ અધ્યવસાયથી (નિશ્ચય યા સંકલ્પથી) જ થાય છે. સૌથી ઊંચા બે પદો હોઈ શકે છે – એક તો સૌથી અધિક દુઃખનું સ્થાન સાતમી નરકભૂમિ અને બીજું સૌથી અધિક સુખનું સ્થાન મોક્ષ. જેવી રીતે આગમમાં સ્ત્રીઓને સાતમી નરકે જવાનો નિષેધ છે કેમ કે તેમનામાં સાતમી નરકે જવા માટે જરૂરી યોગ્ય તીવ્ર માનસિક સંક્લેશ તથા તીવ્ર હિંમત હોતાં નથી તેવી જ રીતે તેમનામાં મોક્ષે જવા માટે જરૂરી ઉત્કૃષ્ટપણે તીવ્ર શુભ મનોભાવ અને હિંમત વા વીર્ય (શૌર્ય) હોતાં નથી, તેથી સ્ત્રીઓ જેમ સાતમી નરકે જઈ શકતી નથી તેમ મોક્ષે પણ જઈ શકતી નથી. અનુમાન પ્રયોગ-સ્ત્રીઓમાં (સ્ત્રીજાતિમાં) મોક્ષે જવા માટેનાં કારણો શુભ મનોભાવ અને વીર્ય (પરાક્રમ)ની પ્રકર્ષતા નથી, અર્થાત્ તેમનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy