SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ તર્કરહસ્યદીપિકા 28ા. શક્તિ યા પૈર્યની કમીના કારણે સ્ત્રીઓ કમજોર છે એમ કહેવુ પણ યોગ્ય નથી, કેમ કે અહીં શક્તિથી અભિપ્રેત છે વ્રત, ઉપવાસ આદિ તપને ધારણ કરવાનું સામર્થ્ય. તે સામર્થ્ય તો સ્ત્રીઓમાં ઘણું છે. અને કેટલીક સ્ત્રીઓમાં તો તે પુરુષથી પણ અધિક હોય છે.] સ્ત્રીઓ અત્યન્ત દુર્ધર વ્રત, ઉપવાસ આદિ ધૈર્યપૂર્વક કરે છે, તેમનું અખંડ શીલ અને તેમનો કઠિન કાયક્લેશ આ સામર્થ્યનું પાકું પ્રમાણ છે. તેથી ચારિત્રના અભાવના કારણે સ્ત્રીઓ પુરુષથી હીન છે એમ માનવું અસત્ય છે. દિગમ્બર–સાધારણ વ્રત ઉપવાસ આદિરૂપ ચારિત્ર સ્ત્રીઓમાં ભલે હો, પરન્તુ પરમ ઉત્કૃષ્ટ યથાખ્યાત અર્થાત્ સ્વરૂપસ્થિતિરૂપ ચારિત્ર સ્ત્રીઓમાં સંભવતું નથી, તેથી સ્ત્રીઓ પુરુષોથી હીન છે. શ્વેતામ્બર–પરમઉત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્ર સ્ત્રીઓમાં શાથી નથી હોતું? એવું કયું બાધક છે જેના લીધે સ્ત્રીઓનું યથાખ્યાત ચારિત્ર પરમોત્કૃષ્ટ કોટિએ પહોંચી નથી શકતું? શું સ્ત્રીઓમાં તેનાં કારણોનો અભાવ છે કે પછી કોઈ વિરોધી કારણના આવવાથી તે ઉત્કૃષ્ટ કોટિએ પહોંચતું જ નથી ? કારણોનો અભાવ છે એમ તો ન કહેવાય કેમ કે સાધારણ વ્રત ઉપવાસ આદિ ચારિત્રનો અભ્યાસ જ યથાખ્યાત ચારિત્રમાં કારણ હોય છે અને તેનો સદ્ભાવ સ્ત્રીઓમાં હોય છે એ તો હમણા જ અમે ઉપર દર્શાવી દીધું છે. બીજો વિકલ્પ વિરોધી કારણનો પણ ઘટતો નથી. યથાખ્યાત ચારિત્ર અતીન્દ્રિય છે, તેથી અત્યન્ત પરોક્ષ છે, એટલે તેનો કોની સાથે વિરોધ છે એનો નિર્ણય અલ્પજ્ઞાની આપણે કરી શકતા નથી. આમ ચારિત્રના અભાવના કારણે સ્ત્રીઓ પુરુષથી હીન નથી કેમ કે સ્ત્રીઓમાં ચારિત્રનો અભાવ નથી. 282. નાપિ વિશિષ્ટ સામન્વેન; યત રૂઢમપિ સિતમનપૃથ્વીगमनायोग्यत्वेन, वादादिलब्धिरहितत्वेन, अल्पश्रुतत्वेन वा । न तावदाद्यः पक्षः, यतस्तदभावः किं यत्रैव जन्मनि तासां मुक्तिगामित्वं तत्रैवोच्यते, सामान्येन वा । यद्याद्यपक्षः; तर्हि पुरुषाणामपि यत्र जन्मनि मुक्तिगामित्वं तत्र सप्तमपृथ्वीगमनायोग्यत्वं, ततस्तेषामपि मुक्त्यभावः स्यात् । अथ द्वितीयः; तदायमाशयो भवतः, यथा सर्वोत्कृष्टपदप्राप्तिः सर्वोत्कृष्टेनाध्यवसायेन प्राप्यते, सर्वोत्कृष्टे च द्वे एव पदे सर्वदुःखस्थानं सप्तमी नरकपृथ्वी सर्वसुखस्थानं मोक्षश्च, ततो यथा स्त्रीणां सप्तमपृथ्वीगमनमागमे निषिद्धं तद्गमनयोग्यतथाविधसर्वोत्कृष्टमनोवीर्याभावात्, एवं मोक्षोऽपि तथाविधशुभमनोवीर्याभावान्न स्त्रीणां भविष्यति । प्रयोगश्चात्र-नास्ति स्त्रीषु मुक्ति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy