SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० તર્કરહસ્યદીપિકા હીજડાઓ પુરુષોથી હીન હોવાના કારણે મોક્ષ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવતા નથી તેમ સ્ત્રીઓ પણ પુરુષોથી હીન હોવાથી મોક્ષ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવતી નથી. તે પુરુષોથી હીન છે, અબળા છે, તેમનું શરીર કમજોર છે, કમજોર શરીર મુક્તિનું સાધન બની શકતું નથી, કમજોર શરીરથી તેઓ મુક્તિ પ્રાપ્ત કરી શકતી નથી.] 278. ૩મત્રોચ્યતે–ત્રી પુરેપ્યો હીનત્વ લિ યાત્રિમાવેન, विशिष्टसामर्थ्यासत्त्वेन, पुरुषानभिवन्द्यत्वेन, स्मारणाद्यकर्तृत्वेन, अमहद्धिकत्वेन, मायादिप्रकर्षवत्त्वेन वा । तत्र न तावदाद्यः पक्षः क्षोदक्षमः, यतः किं चारित्राभावः सचेलत्वेन, मन्दसत्त्वतया वा । तत्र यद्याद्यपक्षः, तदा चेलस्यापि चारित्राभावहेतुत्वं किं परिभोगमात्रेण परिग्रहरूपतया वा। यदि परिभोगमात्रेण; तदा परिभोगोऽपि किं वस्त्रपरित्यागासमर्थत्वेन संयमोपकारित्वेन वा । तत्र न तावदाद्यः; यतः प्राणेभ्योऽपि नापरं प्रियम् प्राणानप्येताः परित्यजन्त्यो दृश्यन्ते, वस्त्रस्य का कथा । अथ संयमोपकारित्वेन; तर्हि किं न पुरुषाणामपि संयमोपकारितया वस्त्रपरिभोगः। 278. શ્વેતામ્બર– અમે કહીએ છીએ કે સ્ત્રીઓને પુરુષથી હીન યા કમજોર શા. માટે ગણો છો? શું સ્ત્રીઓ ચારિત્ર આદિ ધારણ કરી શકતી નથી તેથી, કે તેમનામાં વિશિષ્ટ સામર્થ્ય નથી તેથી, કે પુરુષ સાધુ તેમને વંદન નથી કરતા અર્થાતુ પુરુષ સાધુ વડે તેઓ વન્ય નથી તેથી, કે તેઓ શાસ્ત્રોનું પઠન પાઠન યાસ્મરણ કરાવી શકતી નથી તેથી, કે તેમને કોઈ લૌકિક ઋદ્ધિ પ્રાપ્ત થતી નથી તેથી, કે તેમનામાં તીવ્ર છળકપટ અર્થાત માયાચાર આદિ હોય છે તેથી? “ચારિત્ર ન હોવાથી સ્ત્રીઓ હીન યા કમજોર છે' એ પ્રથમ પક્ષ તો વિચારને સહન કરવા સમર્થ નથી અર્થાત્ વિચાર આગળ ટકી શકતો નથી. તમે દિગમ્બરો જ બતાવો કે સ્ત્રીઓમાં ચારિત્રનો અભાવ કેમ છે? શું તેઓ કપડાં પહેરે છે એટલે ચારિત્ર પાળી શકતી નથી. કે પછી તેમનામાં શક્તિ યા વૈર્યની કમી છે એટલે ? જો તેઓ કપડાં પહેરતી હોવાથી ચારિત્ર પાળી શકતી ન હોય તો શું કપડાં પહેરવા માત્રથી ચારિત્રનો વિઘાત થાય છે કે કપડાં પરિગ્રહરૂપ હોતાં અર્થાત્ કપડાંમાં મમત્વબુદ્ધિ થવાથી ચારિત્રનું પાલન થતું નથી અર્થાત્ ચારિત્રનો અભાવ થાય છે? જો કપડાં પહેરવા માત્રથી ચારિત્રમાં બાધા આવતી હોય અર્થાત્ ચારિત્ર પૂર્ણ થઈ શક્યું ન હોય તો એ વિચારવું જોઈએ કે સ્ત્રીઓ કપડાં કેમ પહેરે છે? શું તેઓ કપડાંનો ત્યાગ કરવા અસમર્થ છે એટલે કપડાં પહેરે છે કે કપડાંને સંયમનિર્વાહમાં સાધક ગણીને કપડાં પહેરે છે? તેમનામાં કપડાંનો ત્યાગ કરવાનું સામર્થ્ય નથી એમ તો ન કહી શકાય કેમ કે પ્રાણોથી વધુ પ્રિય અન્ય કશું હોતું નથી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy