SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૩૯ આદિથી જ સમસ્ત કર્મોનો ક્ષય થઈ જવો જોઈએ ઇત્યાદિ તમે બૌદ્ધએ જે કહ્યું તે યોગ્ય જ કહ્યું છે. હકીકતમાં એવું જ છે. જેનું મોહનીય કર્મ નાશ પામી ગયું છે તે બારમા ગુણસ્થાનમાં રહેલી ક્ષીણમોહી વ્યક્તિના થોડાક શુક્લધ્યાનરૂપી તપથી વિચિત્ર ફળો આપનારાં જ્ઞાનાવરણ આદિ કર્મોની શક્તિઓમાં પરિવર્તન થઈને તે શક્તિઓમાં સંકર અર્થાત એકરૂપતા આવી જતાં તે જ્ઞાનાવરણાદિ કર્મોનો નાશ થઈ જાય છે. આવું ન માનીએ તો જીન્યુક્તિ અને પરમમુક્તિ ઘટે નહિ, અસંભવ બની જાય. ક્ષીણમોહી વ્યક્તિના થોડાક શુક્લધ્યાનરૂપી તપથી જ્ઞાનાવરણ આદિ કર્મોનો નાશ થતાં બીજી જ ક્ષણે તે ક્ષીણમોહી વ્યક્તિ જીવન્મુક્ત કેવલી (સયોગિકેવલી) બની જાય છે. [આ તેરમું ગુણસ્થાન છે.] જેના મન, વચન, કાયાના સમસ્ત વ્યાપારો નિરુદ્ધ થઈ ગયા છે તે ચૌદમા ગુણસ્થાનમાં રહેલો અયોગી (વ્યાપારરહિત) જીવ થોડાક શુક્લધ્યાનરૂપી તપથી એક જ ક્ષણમાં બધાં કર્મોનો નાશ કરી દે છે. અને આ પરમયોગી અયોગી (અયોગિકેવલી) બીજી જ ક્ષણે પરમમુક્તિ પામે છે. પરંતુ તે શુક્લધ્યાનરૂપી તપમાં કર્મોની વિચિત્ર શક્તિઓનો સંકર કરવાની તે વિશિષ્ટ શક્તિ પહેલાં કરવામાં આવેલા ઉપવાસ આદિ કઠોર કાયક્લેશથી જ આવે છે. એટલે તે વિશિષ્ટ શક્તિને પ્રાપ્ત કરવા માટે અનેક ઉપવાસ, રસત્યાગ આદિ કાયક્લેશરૂપ તપ કરવાં જોઈએ, કારણ કે કાયક્લેશ વિના કર્મોની વિચિત્ર શક્તિઓનો સંકર ઘટતો નથી. અર્થાત્ ઉપવાસ આદિ બાહ્ય તપો તપ્યા વિના તપમાં કર્મોમાં પરિવર્તન કરવાનું સામર્થ્ય પ્રકટતું નથી. આ રીતે કથંચિત્ સાન્વય જ્ઞાનસત્તાન જ અનેકવિધ તપોનું અનુષ્ઠાન કરીને કર્મોનો નાશ કરે છે અને મોક્ષ પામે છે. આ સાન્વય જ્ઞાન સન્તાનને અર્થાત્ આત્માને અનન્તદર્શન, અનન્તજ્ઞાન, અનન્તસુખ અને અનન્તવીર્ય આ અનન્તચતુષ્ટયમય સ્વરૂપની પ્રાપ્તિ થવી એ જ મોક્ષ છે એમ સમજવું જોઈએ. 277. માત્ર લિસ્વર: વધુ મોરાિ ા ન મવતું યથોलक्षणो मोक्षः, परं स पुस्तस्यैव घटते न त्वङ्गनायाः, तथाहि-न स्त्रियो मोक्षभाजनं भवन्ति, पुरुषेभ्यो हीनत्वात्, नपुंसकवत् । 277, હવે દિગમ્બર જૈન મોક્ષની બાબતમાં પોતાની યુક્તિઓ અર્થાત્ પોતાનો મત યા અભિપ્રાય પ્રગટ કરે છે. દિગમ્બર– મોક્ષનું સ્વરૂપ [અને તેની પ્રાપ્તિના ઉપાયો] તો વસ્તુતઃ તમે શ્વેતામ્બરોએ વર્ણવ્યાં છે તેવાં જ છે, પરંતુ મુક્તિ પુરુષ જ પામી શકે છે, સ્ત્રી મુક્તિ પામી શકતી નથી. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે– સ્ત્રીઓ મોક્ષ પામવાને લાયક નથી કેમ કે સ્ત્રીઓ પુરુષોથી હીન છે, જેમ કે નપુંસક. (જેમ નપુંસકો અર્થાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy