SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૩૭ વિનાશરૂપ જ હોવાથી રાગાદિક્ષણોના ઉચ્છેદ અને અનુવાદની જેમ નિર્દેતુક જ છે, તેથી તેમના માટે અનુષ્ઠાનાદિરૂપ પ્રયાસનો કોઈ ઉપયોગ નથી, આમ આ બે વિકલ્પોનો પણ નિરાસ થઈ જાય છે. રાગાદિના સન્તાનનો ઉચ્છેદ અને અનુત્પાદ બન્ને અભાવરૂપ અર્થાત્ નાશરૂપ હોઈ નિર્દેતુક જ છે એટલે રાગાદિના સન્તાનના ઉચ્છેદ અને અનુત્પાદની ઉત્પત્તિ તમારા મનમાં કોઈ પણ કારણથી ઘટતી નથી. વળી, તમે સન્તાનને સત્, વાસ્તવિક માનતા જ નથી, તેને તો તમે મિથ્યા, કાલ્પનિક માનો છો, તો પછી આવા મિથ્યા, કાલ્પનિક સત્તાનના ઉચ્છેદ અને અનુત્પાદ માટે પ્રયત્ન શા માટે કરવામાં આવે? તે તો મિથ્યા, કાલ્પનિક હોવાથી છે જ નહિ, તે તો આપોઆપ ઉચ્છિન્ન જ છે. તે મરેલાને મારવા માટે આટલા દુષ્કર અનુષ્ઠાનો કરવા એ તો નરી મૂર્ખતા છે. મરેલાને મારતો કોઈ જોયો છે? કોઈ ડાહ્યો આવું ન કરે. આમ રાગાદિના સન્તાનના ઉચ્છેદરૂપ મુક્તિ તમારા મતમાં કોઈ પણ રીતે ઘટતી નથી. 274. 1થ નિરાશ્રય સ્ત્રd)ત્તિસંતત્યુત્પત્તિનક્ષUTT સા તwયાसाध्येति पक्षस्तु ज्यायान् । केवलं सा चित्तसंततिः सान्वया निरन्वया वेति वक्तव्यम् । आये सिद्धसाधनम्; तथाभूत एव चित्तसंताने मोक्षोपपत्तेः, बद्धो हि मुच्यते नाबद्धः । द्वितीयोऽनुपपन्नः निरन्वये हि संतानेऽन्यो बध्यतेऽन्यश्च मुच्यते, तथा च बद्धस्य प्रवृत्तिर्न स्यात्, कृतनाशादयश्च दोषाः पृष्ठ ष्ठ)लग्ना एव धावन्ति । 274. “જે ચિત્તસગ્નતિ પહેલાં સાગ્નવ અર્થાત્ અવિદ્યા અને તૃષ્ણાથી દૂષિત હતી તે જ ચિત્તસગ્નતિ પ્રવ્રજ્યા આદિ અનુષ્ઠાનોથી અવિદ્યા અને તૃષ્ણાથી રહિત બની નિરાગ્નવ અર્થાત્ વિશુદ્ધ બને છે આ પક્ષ વધુ સારો છે, ઉચિત છે અને આ પક્ષને તમે બૌદ્ધો સ્વીકારો પણ છો. પરંતુ તેમાં તમારે થોડોક સુધારો કરવાની આવશ્યકતા છે અને તે એ કે તે ચિત્તસગ્નતિને તમારે સાવય અને વાસ્તવિક અર્થાત્ સત્ માનવી જોઈએ. તમે જ કહો કે તે ચિત્તસન્નતિ સાન્વય છે કે નિરવય? ચિત્તસન્નતિને સાન્વય – વાસ્તવિક રીતે પૂર્વ-ઉત્તર ચિત્તક્ષણોમાં એકસૂત્રતા યા અનુસ્મૃત સ્વરૂપ – માનવાનો પ્રથમ પક્ષ તો અમે પણ સ્વીકારીએ છીએ એટલે એ તો સિદ્ધસાધન છે. સાન્વય ચિત્તસત્તતિ હોય તો જ મોક્ષ ઘટે, કારણ કે જે બદ્ધ હોય છે તે જ મુક્ત થાય છે, અબદ્ધ મુક્ત થતો નથી. આમ બન્ધનથી મુક્તિ સુધીની અવસ્થાઓમાં તે ચિત્તસગ્નત્તિની અંદર વાસ્તવિક એકતા, અનુસ્મૃત સ્વરૂપ, અન્વયી એક સૂત્ર માનવું જોઈએ. નિરન્વય ચિત્તસત્તતિનો બીજો વિકલ્પ તો કોઈ પણ રીતે ઘટતો નથી કેમ કે ચિત્તસત્તતિને નિરન્વય – પૂર્વ-ઉત્તર ચિત્તક્ષણોને પરસ્પર અસંબદ્ધ માનતાં તો બંધાશે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy