SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ તર્કરહસ્યદીપિકા નાશ આપોઆપ અનાયાસ જ થઈ જાય છે, તેને માટે પ્રવ્રયા લેવી, અનુષ્ઠાન આદિ પ્રયાસો કરવા નિરર્થક જ છે. 273. વિશ્વ તેને મોક્ષાથનુકને વર્તમાન વિક્ષા ના क्रियते, भाविनो वानुत्पादः, तदुत्पादकशक्तेर्वा क्षयः, संतानस्योच्छेदः, अनुत्पादो वा, निराश्रय( स्रव )चित्तसंतत्युत्पादो वा । तत्राद्योऽनुपपन्नः, विनाशस्य निर्हेतुकतया भवन्मते कुतश्चिदुत्पत्तिविरोधात् । द्वितीयोऽप्यत एवासाधीयान्, उत्पादाभावो ह्यनुत्पादः, सोऽभावरूपत्वात्कथं कुतश्चिदुत्पद्यते, अपसिद्धान्तप्रसङ्गात् । तच्छक्तेः क्षयोऽनुपपन्नः, तस्याप्यभावरूपतया निर्हेतुकत्वेन भवन्मते कुतश्चिदुत्पत्तिविरोधात् । संतानस्योच्छेदार्थोऽनुत्पादार्थो वा तत्प्रयास इत्यप्यनेन निरस्तम्, क्षणोच्छेदानुत्पादवत् । तयोरप्यभावरूपतया निर्हेतुकत्वात्कुतोऽप्युत्पत्त्यनुपपत्तेः । किंच, वास्तवस्य संतानस्यानभ्युपगमात्कि तदुच्छेदादिप्रयासेन । न हि मृतस्य मारणं क्वापि दृष्टम्, तत्र संतानोच्छेदलक्षणा मुक्तिर्घटते । 273. વળી, તમે બતાવો કે મોક્ષ માટે જે અનુષ્ઠાનો તમે કરો છો તેનાથી વર્તમાન રાગાદિક્ષણનો નાશ થાય છે ?, કે ભાવી રાગાદિક્ષણની ઉત્પત્તિ નથી થતી. કે રાગાદિને ઉત્પન્ન કરનારી શક્તિનો નાશ થાય છે, કે રાગાદિસત્તાનનો ઉચ્છેદ થાય છે?કે રાગાદિસત્તાનની ઉત્પત્તિ થતી નથી ? કે નિરાગ્નવ ચિત્તસત્તાન ઉત્પન્ન થાય છે? અનુષ્ઠાનોથી રાગાદિક્ષણનો નાશ તમારા મતમાં ઘટતો નથી, કેમ કે તમારા મતમાં નાશ નિર્દેતુક છે, નાશની ઉત્પત્તિ કોઈ કારણથી માનવામાં વિરોધ છે, નાશ હેતુ વિના સ્વતઃ જ થાય છે. બીજો રાગાદિની અનુત્પત્તિનો વિકલ્પ પણ તમારા મનમાં ઘટતો નથી, કેમ કે રાગાદિની અનુત્પત્તિનો અર્થ થાય રાગાદિની ઉત્પત્તિનો અભાવ અર્થાત્ ઉત્પત્તિનો નાશ, તેથી તેનું કારણોથી ઉત્પન્ન થવું અસંભવ છે કેમ કે તમે નાશને નિર્દેતુક માનો છો. જો રાગાદિના નાશની ઉત્પત્તિ અનુષ્ઠાનથી માનવામાં આવે તો નિર્દેતુક વિનાશના તમારા જ સિદ્ધાન્તનો તેનાથી વિરોધ થાય. પોતાના દર્શનમાં સ્વીકૃત સિદ્ધાન્તના વિરોધી સિદ્ધાન્તનો સ્વીકાર એ અપસિદ્ધાન્ત નામનો દોષ છે. તેવી જ રીતે, રાગાદિને ઉત્પન્ન કરનારી શક્તિનો નાશ પણ અનુષ્ઠાન દ્વારા થાય છે એ ત્રીજો વિકલ્પ પણ તમે સ્વીકારી શકતા નથી કેમ કે નાશ તો તમારા મતે નિર્દેતુક છે, એટલે રાગાદિને ઉત્પન્ન કરનારી શક્તિનો નાશ કોઈ કારણથી ઉત્પન્ન થાય એ તો બૌદ્ધમતમાં અસંભવ છે. રાગાદિના સન્તાનનો ઉચ્છેદ (ચોથો વિકલ્પ) કે રાગાદિના સન્તાનનો અનુત્પાદ અર્થાત્ ઉત્પાદાભાવ (પાંચમો વિકલ્પ) પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy