SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૩૫ (ઉપાયોનું) જ્ઞાન થશે, ત્રીજી જ્ઞાન ક્ષણને તે ઉપાયોના આચરણની ઇચ્છા થશે, અને આચરણ ચોથી જ્ઞાનક્ષણ કરશે, આમ બંધન, મુક્તિકારણજ્ઞાન, ઉપાયાનુષ્ઠાનેચ્છા અને અનુષ્ઠાનવ્યાપાર ભિન્ન ભિન્ન જ્ઞાનક્ષણોને થશે - એક જ અધિકરણમાં નહિ પણ જુદા જુદા અધિકરણોમાં થશે, પરિણામે બન્ધ-મોક્ષની વ્યવસ્થા કોઈ પણ રીતે ઘટશે નહિ. તમારી સઘળી વાત અયોગ્ય, અતાર્કિક છે. 271. किंच, सर्वो बुद्धिमान् बुद्धिपूर्वं प्रवर्तमानः किंचिदिदमतो मम स्यादित्यनुसंधानेन प्रवर्तते । इह च कस्तथाविधो मार्गाभ्यासे प्रवर्तमानो मोक्षो मम स्यादित्यनुसंदध्यात् क्षणः, संतानो वा । न तावत्क्षणः तस्यैकक्षणस्थायितया निर्विकल्पतया चैतावतो व्यापारान् कर्तुमसमर्थत्वात् । नापि संतानः; तस्य संतानिव्यतिरिक्तस्य सौगतैरनभ्युपगमात् । 271. વળી, બધા બુદ્ધિમાનો બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરતી વખતે એમ વિચારીને પ્રવૃત્તિ કરે છે કે આ પ્રવૃત્તિ કરવાથી મને આ લાભ થશે. હવે તમે કહો કે બૌદ્ધમતમાં મોક્ષમાર્ગના અભ્યાસમાં પ્રવૃત્ત થનાર અને ‘આ પ્રવૃત્તિ કરવાથી મને મોક્ષલાભ થશે' એવો અભિપ્રાય ધરાવનાર એક અનુસંધાતા વિચારક કોણ છે ? શું આ વિચાર કરનારો જ્ઞાનક્ષણ છે કે સન્તાન ? જ્ઞાનક્ષણ તો ક્ષણિક છે, એક ક્ષણમાત્ર ટકનાર છે, તથા તે નિર્વિકલ્પક છે, તેથી તે આટલો લાંબો વિચાર કરી શકવા સમર્થ નથી. પરસ્પર ભિન્ન જ્ઞાનક્ષણોરૂપ સત્તાનીઓથી પૃથક્ અસ્તિત્વ ધરાવતા સન્તાનને તો બૌદ્ધ માનતા નથી. તેથી અનુસંધાતા વિચારક બૌદ્ધમતમાં ઘટતો જ નથી. 272. વિષ, નિરન્વયવિનત્વે ચ સંમ્હારાં મોક્ષાર્થ: પ્રયાસો વ્યર્થ एव स्यात्, यतो रागाद्युपरमो हि भवन्मते मोक्षः, उपरमश्च विनाशः, स च निर्हेतुकतयाऽयत्नसिद्धः, ततस्तदर्थोऽनुष्ठानादिप्रयासो निष्फल एव । 272. વળી, તમારા બૌદ્ધમતમાં બધા જ પદાર્થો એકાન્ત ક્ષણિક છે, એટલે રાગ આદિ સંસ્કારો પણ એકાન્ત ક્ષણિક છે. તેથી રાગ આદિ સંસ્કાર બીજી જ ક્ષણે નિરન્વય અર્થાત્ સમૂલ સર્વથા નાશ પામી જાય છે. જ્યારે રાગ આદિ સંસ્કાર ક્ષણિક નિરન્વયવિનાશી હોવાથી તેમનો નાશ આપોઆપ જ થઈ જાય છે ત્યારે મોક્ષપ્રાપ્તિ પણ સ્વતઃ આપોઆપ જ થઈ જવાની, તો પછી માથું મુંડાવવું, કાષાય વસ્ત્રો ધારણ કરવા, બૌદ્ધ દીક્ષા લેવી વગેરે માક્ષ માટેના પ્રયાસ વ્યર્થ છે. તમે રાગ આદિના ઉપરમને જ મોક્ષ કહો છો અને ઉપરમનો અર્થ નાશ છે અને નાશ તો બૌદ્ધમતમાં નિર્હતુકે છે, તે કારણોથી થતો નથી પરંતુ સ્વભાવથી જ આપોઆપ થઈ જાય છે. તેથી રાગ આદિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy