SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ તર્કરહસ્યદીપિકા સુખસ્વરૂપને સહજ રીતે પ્રાપ્ત કરે છે. 270. યતઘુત્ત “મિચ્છતા' ફાતિ તથજ્ઞાનવિષ્મિતમ; सर्वथाऽनित्यानात्मकत्वादिभावनाया निर्विषयत्वेन मिथ्यारूपत्वात्सर्वथा नित्यादिभावनावन्मुक्तिहेतुत्वानुपपत्तेः । नहि कालान्तरावस्थाय्येकानुसंधातृव्यतिरेकेण भावनाप्युपपद्यते । तथा यो हि निगडादिभिर्बद्धस्तस्यैव तन्मुक्तिकारणपरिज्ञानानुष्ठानाभिसंधिव्यापारे सति मोक्षः, इत्येकाधिकरण्ये सत्येव बन्धमोक्षव्यवस्था लोके प्रसिद्धा । इह त्वन्यः क्षणो बद्धोऽन्यस्य च तन्मुक्तिकारणपरिज्ञानमन्यस्य चानुष्ठानाभिसंधेापारचेति वैयधिकरण्यात्सर्वमयुक्तम् । 270. તમે મોક્ષપ્રાપ્તિ માટે જે અનિત્યત્વ આદિ ભાવનાઓ બતાવી છે તે તો તમારા અજ્ઞાનનો જ વિસ્તાર છે. જગતમાં કોઈ પણ પદાર્થ જ્યારે સર્વથા અનિત્ય નથી અને કોઈ ચેતન સર્વથા આત્મશૂન્ય નથી ત્યારે સર્વથા અનિત્યત્વ અને અનાત્મકત્વ આદિની નિવિષયક કાલ્પનિક મિથ્યા ભાવનાઓ મોક્ષમાં કારણ હોય એ ઘટતું નથી. જગતમાં જેમ એકાન્ત નિત્ય કોઈ પદાર્થ નથી તેમ એકાન્ત અનિત્ય પણ કોઈ પદાર્થ નથી. તેથી જેમ એકાન્ત નિત્યત્વની ભાવના નિર્વિષયક, કાલ્પનિક અને મિથ્યા હોવાથી મોક્ષપ્રાપ્તિમાં કારણ નથી તેમ એકાન્ત અનિયત્વની ભાવના પણ નિર્વિષયક, કાલ્પનિક અને મિથ્યા હોવાથી મોક્ષપ્રાપ્તિમાં કારણ નથી. જ્યાં સુધી અનેક જ્ઞાનક્ષણોમાં રહેનારો અનુસ્મૃત એક ભાવના કરનારો, પૂર્વ અને ઉત્તર જ્ઞાનક્ષણોનું અનુસંધાન કરનારો આત્મા નહિ માનવામાં આવે ત્યાં સુધી તો ખુદ ભાવનાઓ જ નહિ ઘટે. જે વ્યક્તિ બેડી આદિ બન્ધનોમાં બદ્ધ છે તે વ્યક્તિ જ જ્યારે તે બમ્પનોને કાપવાનું જ્ઞાન મેળવે છે, કાપવાની ઈચ્છા કરે છે અને તદનુકૂલ પ્રયત્ન કરે છે ત્યારે તેનાં બન્ધનો કપાઈ જતાં તેને મુક્તિ મળે છે. આમ બન્ધનમાં બદ્ધ થવાથી માંડી બન્ધન કાપવાના ઉપાયોનું જ્ઞાન, કાપવાની ઇચ્છા, અનુકૂળ પ્રયત્ન આદિ અને મુક્તિ સુધીની સઘળી પ્રક્રિયા યા વાતો એક જ વ્યક્તિમાં થાય છે અને ત્યારે જ વ્યક્તિની છટવાની ભાવના અને છુટકારો શક્ય બને છે. એક અનુસૂત આત્મા માનીએ તો જ “જે બદ્ધ હતો તે મુક્ત થયો” આ પ્રકારની બન્ધ-મોક્ષની નિયત વ્યવસ્થા શક્ય બને, ઘટી શકે. જગતમાં પણ બંધાવું અને છૂટવું બન્ને ક્રિયાઓ એક જ અધિકરણમાં થતી દેખાય છે. પરંતુ તમે તો એક અનુયુત આત્માનું અસ્તિત્વ જ માનતા નથી અને કેવળ ભિન્ન ભિન્ન જ્ઞાનક્ષણોની ધારા જ માનો છો, એટલે તમારા મતમાં તો એક જ્ઞાનક્ષણ બદ્ધ થશે, બીજી જ્ઞાન ક્ષણને બંધનમાંથી છૂટવાનાં કારણોનું Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy