SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૩૩ 268. જૈન ખંડન કરે છે– તમે જ્ઞાનક્ષણોના પ્રવાહને જ આત્મા કહ્યો છે, તે તો વિચાર્યા વિનાની અગડંબગડે વાત છે. જો મોતીઓમાં પરોવવામાં આવેલા દોરાની જેમ પૂર્વ અને ઉત્તર જ્ઞાનક્ષણોમાં એક અન્વયી આત્મા ન હોય તો કૃતનાશ અને અકૃતાગમ આદિ દોષો ઉદ્દભવે. જે જ્ઞાનક્ષણે કોઈની હત્યા કરી તે તો તે જ ક્ષણે નાશ પામી જશે, તેથી તેને તો પોતે જે કર્યું તેનું કંઈ પણ ફળ મળવાનું નહિ, આ છે કૃતનાશ દોષ. અને અન્ય ઉત્તરવર્તી જે જ્ઞાનક્ષણે હત્યા કરી નથી તેને હત્યાના અપરાધના કારણે ફાંસી મળશે, આ છે અકૃતાગમદોષ. આ રીતે કરે કોઈ અને ભોગવે કોઈ એ પ્રમાણે જ થતાં તો જગત અંધેરી નગરી બની જશે. વળી સ્મરણ આદિ પણ ઘટશે નહિ. જેણે પૂર્વે જે જોયું હોય તે જ અત્યારે તેનું સ્મરણ કરે છે, એકે જોયેલાનું સ્મરણ બીજો કરી શકતો નથી, જુએ એક અને સ્મરણ કરે બીજો એવું શક્ય જ નથી. આમ એક અનુસ્મૃત આત્મા માન્યા વિના કેવળ ભિન્ન ભિન્ન જ્ઞાનક્ષણોના પ્રવાહથી સ્મરણ ઘટે નહિ. તેવી જ રીતે પ્રત્યભિજ્ઞા વગેરે પણ ઘટે નહિ. તેથી ભિન્ન ભિન્ન જ્ઞાનક્ષણોમાં અનુસ્મૃત એક સૂત્રસ્થાનીય નિત્ય આત્મા માનવો જોઈએ. 269. યજુન માત્માન : પશ્યતિ' રૂત્યવિ તસ્કૂખેવ; જિંત્વજ્ઞો जनो दुःखानुषक्तं सुखसाधनं पश्यन्नात्मस्नेहात्सांसारिकेषु दुःखानुषक्तसुखसाधनेषु प्रवर्ततेऽपथ्यादौ मूर्खातुरवत् । हिताहितविवेचकस्तु तादात्विकसुखसाधनमङ्गनादिकं परित्यज्यात्मस्नेहादात्यन्तिकसुखसाधने मुक्तिमार्गे प्रवर्तते, पथ्यादौ चतुरातुरवत् । 269. વળી, “આત્મદર્શીને (આત્મામાં માનનારને) મુક્તિ સંભવતી નથી' એ તમારા મતનું જે વિવેચન તમે આપ્યું છે તે અમુક હદ સુધી સાચું છે. પરંતુ પૂરી સાચી વાત તો એ છે– અજ્ઞાની મોહી આત્મા દુઃખમિશ્રિત સુખનાં સાધનો જોઈને આત્મા પ્રત્યેના મિથ્યારાગના કારણે તે દુઃખમિશ્રિત સાંસારિક સુખનાં સ્ત્રી, ધન આદિ સાધનોનો સંગ્રહ કરવાની પ્રવૃત્તિ કરે છે. જેમ કોઈ મૂર્ખ રોગી અપથ્યને પથ્ય સમજી ખાઈ જાય છે અને બમણા રોગમાં ફસાઈ જાય છે તેમ આ મૂઢ આત્મા દુઃખને જ સુખ માની સ્ત્રી, ધન આદિમાં મમત્વબુદ્ધિ કરીને રાગ કરે છે અને સંસારજાળમાં ફસાયછે. પરંતુ જે વિવેકી છે, જેને હિત અને અહિતનું યથાર્થ જ્ઞાન છે તે જ્ઞાની જીવ આ મિથ્યા સાંસારિક સુખનાં સાધનો સ્ત્રી, ધન આદિને છોડીને આત્મા પ્રત્યેના ખરા પ્રેમના કારણે અતીન્દ્રિય પરમ સુખના સાધનભૂત મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. જેમ સમજદાર રોગી વૈધે બતાવેલા પથ્યનું સેવન કરીને શીધ્ર રોગમુક્ત થાય છે તેમ આ જ્ઞાની જીવ આત્માના વિશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના ઉપાયોને આચરણમાં મૂકીને પરમ અતીન્દ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy