SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા पवासादिनाप्यशेषस्य कर्मणः क्षयापत्तिः, शक्तिसांकर्यान्यथानुपपत्तेः । उक्तं ૪૩૨ - "कर्मक्षयाद्धि मोक्षः स च तपसस्तच्च कायसंतापः । कर्मफलत्वान्नारकदुःखमिव कथं तपस्तत्स्यात् ॥१॥ अन्यदपि चैकरूपं तच्चित्रक्षयनिमित्तमिह न स्यात् । तच्छक्तिसंकरः क्षयकारीत्यपि वचनमात्रम् ॥२॥ " तस्मान्नैरात्म्यभावनाप्रकर्षविशेषाच्चित्तस्य निःक्लेशावस्था मोक्षः । 267. શંકા— તપમાં એવી શક્તિ છે કે જેનાથી તે કર્મોની વિચિત્ર શક્તિઓમાં પરિવર્તન લાવી તે શક્તિઓનો સંકર કરી, અર્થાત્ તેમને એકરૂપ બનાવી, બધાં કર્મોનો ક્ષય સ્વાભાવિક રીતે જ કરે છે – આ રીતે એકરૂપ તપથી વિચિત્ર શક્તિવાળાં સઘળાં કર્મોનો ક્ષય ઘટે છે. બૌદ્ધ ઉત્તર- એમ માનતાં તો મામૂલી ઉપવાસ આદિ કાયક્લેશરૂપ તપથી પણ બધાં કર્મોનો ક્ષય માનવાની આપત્તિ આવે, કેમ કે અન્યથા અર્થાત્ જો ન માનો તો શક્તિસાંકર્યની વાત ઘટે નહિ. કહ્યું પણ છે કે— “કર્મોના ક્ષયથી મોક્ષ થાય છે અને કર્મોનો ક્ષય થાય છે તપથી અને તપ છે કાયક્લેશ. જેમ નારકી જીવોનું દારુણ દુઃખ પૂર્વકૃત કર્મનું ફળ છે તેમ કાયક્લેશ પણ પૂર્વકૃત કર્મનું ફળ છે. તો પછી કાયક્લેશને તપ કેવી રીતે ગણી શકાય ? વળી, એકરૂપ તપથી વિચિત્રશક્તિવાળાં કર્મોનો ક્ષય નિતાન્ત અસંભવ છે. તપ કર્મોની વિચિત્ર શક્તિઓનો સંકર કરી તેમને એકરૂપ બનાવી કર્મોનો ક્ષય કરે છે એમ કહેવું એ તો અર્થ વિનાનો બકબકાટ છે.” તેથી ‘આત્મા છે જ નહિ’ એવી નૈરાત્મ્યભાવના જ્યારે ઉત્કૃષ્ટ કોટિએ પહોંચી જાય છે ત્યારે તેના દ્વારા ચિત્તના અવિદ્યા, તૃષ્ણા આદિ ક્લેશો નાશ પામી જાય છે અને ચિત્ત નિઃક્લેશાવસ્થાને પામે છે. ચિત્તની નિઃક્લેશાવસ્થા જ મોક્ષ છે, નિર્વાણ છે. [જે ચિત્ત ક્લેશયુક્ત અર્થાત્ સાન્નવ હોય છે ત્યારે સંસાર કહેવાય છે તે જ ચિત્ત ક્લેશમુક્ત અર્થાત્ નિરાસ્રવ હોય છે ત્યારે મોક્ષ કહેવાય છે.] 268, સત્ર પ્રતિવિધીયતે । તત્ર યજ્ઞાવતુń ‘જ્ઞાનક્ષળપ્રવાહ’ નૃત્યહિ; तदविचारितविलपितम् ; ज्ञानक्षणप्रवाहव्यतिरिक्तं मुक्ताकणानुस्यूतसूत्रोपममन्वयिनमात्मानमन्तरेण कृतनाशाकृतागमादिदोषप्रसक्तेः स्मरणाद्यनुपપત્તજ્જ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy