SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૨૫ ઉત્પન્ન ન થવું અને ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જવું લગભગ એક જ વાત છે.] જો બીજો પક્ષ અર્થાત્ અજ્ઞાનથી અન્ધકાર ભિન્ન વસ્તુ છે એવું તમારા વડે સ્વીકારવામાં આવે તો તમારે દર્શાવવું પડે કે તે અજ્ઞાનથી ભિન્ન અન્ધકારરૂપ કઈ વસ્તુ છે જેનાથી આચ્છાદિત થઈને આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે ? રાગ આદિ તો અન્ધકાર બનીને આત્માનું આવરણ ન બની શકે કેમકે રાગ આદિ પણ આત્માના ધર્મ નથી પણ આત્માથી અત્યન્ન ભિન્ન એવી પ્રકૃતિના જ ધર્મ છે. તેથી રાગાદિ આત્માના આચ્છાદક ન બની શકે. જો આત્માથી અત્યન્ત ભિન્ન પ્રકૃતિના ધર્મ હોવા છતાં પણ રાગ આદિ આત્માના આવરક બનતા હોય તો મુક્તાત્માના સ્વરૂપને પણ તેઓ ઢાંકી દે, જેવી રીતે પ્રકૃતિ આપણા સંસારીઓના આત્માથી ભિન્ન હોવા છતાં તેના રાગ આદિ ધર્મો આપણા આત્મા ઉપર પ્રભાવ જમાવી શકે છે તેવી જ રીતે મુક્તાત્મા ઉપર પણ તે ધર્મોએ પોતાનો પ્રભાવ દેખાડવો જ જોઈએ. 260. किंच संसार्यात्मनोऽकर्तुरपि भोक्तृत्वेऽङ्गीक्रियमाणे कृतनाशाकृतागमादयो दोषाः प्रसज्यन्ते । 260. વળી, સંસારી આત્માને કર્તા ન માનીને પણ ભોક્તા માનવામાં કૃતનાશ અને અકૃતાગમ નામના બે મોટા દોષો આવે. જે પ્રકૃતિ કામ કરે છે તેને તેનું ફળ મળતું નથી (કૃતનાશ) અને જે કંઈ જ કરતો નથી તે પુરુષ પ્રકૃતિએ જે કામ કર્યું તેનું ફળ ભોગવે છે (અકૃતાગમ). આ તો ‘કરે કોઈ અને ભોગવે કોઈ' વાળી વાત થઈ. 261. ષિ, પ્રકૃતિપુરુષયો: સંયોગઃ વ્હેન ત: હ્રિ પ્રત્યેોતાત્મના वा । न तावत्प्रकृत्या, तस्याः सर्वगतत्वान्मुक्तात्मनोऽपि तत्संयोगप्रसङ्गः । अथात्मना, तर्हि स आत्मा शुद्धचैतन्यस्वरूपः सन् किमर्थं प्रकृतिमादत्ते । तत्र कोऽपि हेतुरस्ति न वेति वक्तव्यम् । अस्ति चेत्, तर्हि स हेतुः प्रकृतिर्वा स्यात् आत्मा वा । अन्यस्य कस्याप्यनभ्युपगमात् । आद्यपक्षे यथा सा प्रकृतिस्तस्यात्मनः प्रकृतिसंयोगे हेतुः स्यात् तथा मुक्तात्मनः किं न स्यात् । प्रकृतिसंयोगात्पूर्वं शुद्धचैतन्यस्वरूपत्वेनोभयोरप्यविशेषात् नियामकाभावाच्च । द्वितीयपक्षेस आत्मा प्रकृत्यात्मनोः संयोगे हेतुत्वं प्रतिपद्यमानः किं स्वयं प्रकृतिसहकृत: सन् हेतुर्भवति तद्वियुक्तो वा । आद्ये तस्यापि प्रकृतिसंयोगः कथमित्यनवस्था । द्वितीये पुनः स प्रकृतिरहित आत्मा शुद्धचैतन्यस्वरूपः सन् किमर्थं प्रकृत्यात्मनो: संयोगे हेतुत्वं प्रतिपद्यते । तत्र कोऽपि हेतुर्विलोक्य इति तदेवावर्त्तत इत्यनवस्था । इति सहेतुकः प्रकृत्या Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy