SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ તર્કરહસ્યદીપિકા પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડવાની (અર્થાત્ બુદ્ધિના પુરુષાકારે પરિણમવાની) કોઈ જ સંભાવના નથી. એટલે અપ્રતિસંક્રમા અને દર્શિતવિષયા આ બન્ને વિશેષણો પ્રકૃતિસંયુક્ત ચિતિશક્તિમાં (પુરુષમાં) જ ઘટે છે. મુક્તિમાં તો કેવળ દર્શન શક્તિવાળી ચિતિશક્તિ હોય છે, મુક્તિમાં પુરુષ દ્રષ્ટામાત્ર હોય છે. તેને દર્શનશક્તિ હોય છે પણ દર્શનની વિષય બુદ્ધિવૃત્તિનું અસ્તિત્વ જ ન હોવાથી તે કશાનું દર્શન કરતો નથી.] તેથી મુક્તાત્મા ચિતિશક્તિયુક્ત જ હોય છે. મુક્તાત્મા સુખાદિસ્વભાવ નથી કેમ કે સુખાદિ તો પ્રકૃતિનું કાર્ય છે અને પ્રકૃતિ તો સંસારનો નાશ થવાથી મુક્તાત્માની બાબતમાં નાશ પામી ગઈ છે. '259. માત્ર વયે ગૂમ : વત્તાવકુ—સંસાત્મા અજ્ઞાનત્તમચ્છન્નતિયા' इत्यादि, तदसुन्दरम्; यतः किमज्ञानमेव तमः, उताज्ञानं च तमश्चेति । प्रथमपक्षे मुक्तात्मापि प्रकृतिस्थमपि सुखादिफलं किं नात्मस्थं मन्येत, ज्ञानस्य बुद्धिधर्मत्वाबुद्धेश्च प्रकृत्या सममुपरतत्वात्, मुक्तात्मनोऽपि ज्ञानाभावेनाज्ञानतमश्छन्नत्वाविशेषात् । द्वितीयपक्षे तु किमिदमज्ञानादन्यत्तमो नाम । रागादिकमिति चेत् तन्न; तस्यात्मनोऽत्यन्तार्थान्तरभूतप्रकृतिधर्मतयात्माच्छादकत्वानुपपत्तेः । आच्छादकत्वे वा मुक्तात्मनोऽप्याच्छादनं स्यात् अविशेषात् । [259. જૈન સાંખ્યખંડન– અહીં અમે સાંખ્યોને નીચે મુજબ કહીએ છીએ. તમે સંસારી આત્માને અજ્ઞાનાન્ધકારથી આચ્છાદિત કહેલ છે, તે સારું લાગતું નથી, કેમ કે અમે પૂછીએ છીએ કે અજ્ઞાનનું નામ જ અન્ધકાર છે કે અજ્ઞાન અને અન્ધકાર બે જુદી વસ્તુઓ છે? જો અજ્ઞાનનું નામ જ અન્ધકાર હોય અને અજ્ઞાની પુરુષ પ્રકૃતિના સુખને પોતાનું સુખ માનતો હોય તો મુક્ત પુરુષ પણ અજ્ઞાની હોઈ પ્રકૃતિના સુખને પોતાનું સુખ કેમ માનતો નથી? તમારા મતે મુક્ત પુરુષ અજ્ઞાની જ છે કેમ કે જ્ઞાનને તમે બુદ્ધિનો ધર્મ માનો છો અને બુદ્ધિ તો પ્રકૃતિની સાથે મુક્તાત્માની બાબતમાં નષ્ટ થઈ ચૂકી છે, આમ મુક્ત પુરુષમાં પણ જ્ઞાનનો અભાવ હોઈ અજ્ઞાનાન્ધકારથી તે પણ આચ્છાદિત છે જ. [તાત્પર્ય એ કે મુક્ત પુરુષ પણ બુદ્ધિ નષ્ટ થઈ જવાથી અજ્ઞાની જ છે, તેથી અજ્ઞાનાન્ધકારથી વ્યાપ્ત હોવાના કારણે તે પણ પ્રકૃતિના સુખને પોતાનું સુખ કેમ નથી માનતો અને આપણી જેમ સંસારી કેમ નથી બની જતો ?, કેમ કે જો આપણામાં હજુ સુધી વિવેકજ્ઞાન ઉત્પન્ન થયું ન હોવાના કારણે અજ્ઞાન છે તો મુક્ત પુરુષમાં વિવેકજ્ઞાન ઉત્પન્ન થઈને પણ નષ્ટ થઈ જવાના કારણે અજ્ઞાન છે. જ્ઞાનનું Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy