SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ તર્કરહસ્યદીપિકા સ્થિતિ આ પ્રમાણે ઉત્પત્તિ-સ્થિતિ-નાશ લક્ષણવાળું પરિણમન જ દીપકનું થાય છે, દીપકનો સર્વથા ઉચ્છેદ થતો નથી, કેમ કે દીપક સત્ છે, જેમ કે ધડો. [સનું લક્ષણ છે – ઉત્પાદવ્યયૌવ્યયુક્ત સત્ છે.] આ વિષય ઉપર ઘણું કહેવું છે, પરંતુ તેને અહીં ન કહેતાં હવે પછી ‘અનેકાન્ત' વિષયક પ્રકરણમાં કહીંશું. 255. किंच इन्द्रियजानां बुद्ध्यादिगुणानामुच्छेदः साध्यमानोऽस्ति भवता, उतातीन्द्रियाणाम् । तत्राद्यपक्षे सिद्धसाधनम् अस्माभिरपि तत्र तदुच्छेदाभ्युपगमात् । द्वितीयविकल्पे मुक्तौ कस्यचिदपि प्रवृत्त्यनुपपत्तिः । मोक्षार्थी हि सर्वोऽपि निरतिशयसुखज्ञानादिप्राप्त्यभिलाषेणैव प्रवर्तते, न पुनः शिलाशकलकल्पमपगतसकलसुखसंवेदनमात्मानमुपपादयितुं यतते, यदि मोक्षावस्थायामपि पाषाणकल्पोऽपगतसुखसंवेदनलेशः पुरुषः संपद्यते, तदा कृतं मोक्षेण, संसार एव वरीयान् यत्र सान्तरापि सुखलेशप्रतिपत्तिरप्यस्ति । अतो न वैशेषिकोपकल्पिते मोक्षे कस्यचिद्गन्तुमिच्छा । उक्तं च "वरं वृन्दावने वासः, शृगालैश्च सहोषितम् । न तु वैशेषिकीं मुक्तिं गौतमो गन्तुमिच्छति ॥ १ ॥ " 255. વળી, તમે વૈશેષિકો બતાવો કે શું તમે મોક્ષમાં ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતા જ્ઞાન વગેરે ગુણોનો અત્યન્ત ઉચ્છેદ સિદ્ધ કરવા ઇચ્છો છો કે ઇન્દ્રિયોની સહાયતા વિના જ માત્ર આત્માથી જ ઉત્પન્ન થનારા અતીન્દ્રિય જ્ઞાન વગેરે ગુણોનો ? જો તમે પ્રથમ પક્ષ સ્વીકારતા હો તો તે પક્ષ અર્થાત્ મોક્ષમાં ઇન્દ્રિયજન્ય જ્ઞાન, સુખ આદિ ગુણોનો અત્યન્ત ઉચ્છેદ માનનારો પક્ષ તો અમે જૈનો પણ સ્વીકારીએ છીએ તેથી તે પક્ષ તો સિદ્ધસાધન હોઈ આપનું અનુમાન વ્યર્થ છે. બીજો પક્ષ તમે સ્વીકારશો તો તે પક્ષમાં તો મુક્તિ માટેની કોઈની પણ પ્રવૃત્તિ જ નહિ ઘટે. જો ઇન્દ્રિયોની સહાયતા વિના જ ઉત્પન્ન થનારા અતીન્દ્રિય જ્ઞાન, સુખ આદિનો પણ મોક્ષમાં અત્યન્ત ઉચ્છેદ યા અભાવ હોય તો આવા મોક્ષ માટે પ્રવૃત્તિ કોણ કરશે ? બધા મુમુક્ષુઓ મોક્ષમાં નિરતિશય અનન્તસુખ તથા અનન્તજ્ઞાન આદિ પ્રાપ્ત થશે એ અભિલાષાથી જ તો તપશ્ચર્યા યોગસાધના આદિ દુષ્કર પ્રયત્ન કરે છે અને નહિ કે પોતાના આત્મામાં જે થોડું ઘણું જ્ઞાન કે સુખ આદિ છે તે બધાંનો સમૂલ નાશ કરી આત્માને પત્થર જેવો બનાવી દેવા માટે. જો મોક્ષમાં તમામ જ્ઞાન, સુખ આદિ ગુણોનો અત્યન્ત ઉચ્છેદ થઈ આત્મા પથ્થર જેવો જડ બની જતો હોય તો એવા મોક્ષને દૂરથી જ નમસ્કાર, 1 આપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy