SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ૬ તર્કરહસ્યદીપિકા સાધ્યથી વિપરીત અર્થને સાધનાર પ્રત્યક્ષ અને અનુમાન સંભવતાં નથી, તેથી તે કાલાત્યયાપદિષ્ટ (બાધિત) પણ નથી. ‘તમારે નવ આત્મગુણોના સન્તાનોના ઉચ્છેદનો હેતુ જણાવવો જોઈએ એમ જો કોઈ કહે તો અમે તે હેતુ નીચે પ્રમાણે જણાવીએ છીએ. જ્ઞાન આદિ નવ વિશેષગુણોના સન્તાનોનો ઉચ્છેદ તત્ત્વજ્ઞાનથી આ ક્રમે થાય છે– સતત શાસ્ત્રાભ્યાસ તેમજ સત્સંગથી કોઈ વિરલ ભાગ્યવાનને તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાન નાશ પામે છે, મિથ્યાજ્ઞાનનો નાશ થતાં જ મિથ્યાજ્ઞાનજન્ય રાગ આદિ દોષો નાશ પામે છે, રાગાદિ દોષોનો નાશ થતાં તે દોષજન્ય મન, વચન અને કાયાની પ્રવૃત્તિ સદંતર બંધ થઈ જાય છે, પ્રવૃત્તિનો અભાવ થતાં પ્રવૃત્તિજન્ય પુણ્ય અને પાપની નવી ઉત્પત્તિ અટકી જાય છે, જૂનાં સંચિત પુણ્ય અને પાપમાંથી જેમણે શરીર, ઇન્દ્રિય આદિને ઉત્પન્ન કરી ફળ દેવાનો પ્રારંભ કરી દીધો છે તેમનો તો સુખાદિ ફળ ભોગવીને વિનાશ કરી દેવાય છે પરંતુ જેમણે હજુ સુધી ફળ આપવાનું શરૂ કર્યું નથી અને સત્તારૂપે જ વિદ્યમાન છે તેમનો પણ અનેક યોગજ શરીરો ઉત્પન્ન કરી તેમના દ્વારા તેમનાં ફળોને એક સાથે ભોગવીને નાશ કરી નાખવામાં આવે છે. આ રીતે બધા જ આત્મવિશેષગુણોના સન્તાનોનો ઉચ્છેદ થતાં મોક્ષ થાય છે. [મોક્ષમાં નવ આત્મવિશેષગુણોના સન્તાનોનો ઉચ્છેદ થતાં તેમનાથી રહિત એવો ફૂટસ્થનિત્ય આત્મા જ હોય છે.]. 254. સત્ર પ્રતિવિધીવતે ! યત્તાવ “સંતાનસ્વા' રૂારિ, तदसमीचीनम्; यत आत्मनः सर्वथा भिन्नानां बुद्ध्यादिगुणानां संतानस्योच्छेदः साध्यते अभिन्नानां वा, कथंचिद्भिन्नानां वा । आद्यपक्षे आश्रयासिद्धो हेतुः; संतानिभ्योऽत्यन्तं भिन्नस्य संतानस्यासत्कल्पत्वात् । द्वितीयपक्षे तु सर्वथाभिन्नानां तेषामुच्छेदसाधने संतानवत् संतानिनोऽप्युच्छेदप्रसङ्गः । ततश्च कस्यासौ मोक्षः । भिन्नाभिन्नपक्षाभ्युपगमे चापसिद्धान्तः । किंच, विरुद्धश्चायं हेतुः, कार्यकारणभूतक्षणप्रवाहलक्षणसंतानत्वस्य नित्यानित्यैकान्तयोरसंभवात् । अर्थक्रियाकारित्वस्यानेकान्त एव प्रतिपादिष्यमाणत्वात् । साध्यविकलश्च दृष्टान्तः, प्रदीपादेरत्यन्तोच्छेदासंभवात्, तैजसपरमाणूनां भास्वररूपपरित्यागेनान्धकाररूपतयावस्थानात् प्रयोगश्चात्रपूर्वापरस्वभावपरिहाराङ्गीकारस्थितिलक्षणपरिणामवान् प्रदीपः, सत्त्वात् घटादिवदिति । अत्र बहु वक्तव्यम्, तत्त्वभिधास्यते विस्तरेणानेकान्तપ્રધદૃઢ્ઢા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy