SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ તર્કરહસ્યદીપિકા દેવતાઓના ત્રિકાલવર્તી સુખને ભેગું કરી તેને અનન્ત ગણું કરીએ તો પણ તે સુખ સિદ્ધોના સુખના અનન્તમા ભાગ જેટલું પણ ન થઈ શકે. જો સિદ્ધના ત્રિકાલવર્તી સુખોને એકત્ર કરી તેના અનન્તમાં ભાગને પણ રૂપી બનાવી દેવામાં આવે તો તે રૂપી બનેલો અનન્તમાં ભાગ લોક અને અલોકમાં ફેલાયેલા અનન્ત આકાશમાં પણ ન સમાઈ શકે.” અને યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – “સ્વર્ગ, પાતાલ તથા મર્યલોકમાં સુરેન્દ્રો, અસુરેન્દ્રો તથા નરેન્દ્રોને જે સુખ અનુભવાય છે તે સઘળું સુખ સાથે મળીને પણ મોક્ષસુખના અનન્તમા ભાગની તોલે આવી શકતું નથી. મોક્ષનું સુખ સ્વાભાવિક છે, મર્યાદિત નિયત શક્તિવાળી ઇન્દ્રિયોની અપેક્ષા ન રાખવાના કારણે અતીન્દ્રિય છે તથા ક્યારેય પણ નાશ પામતું ન હોવાના કારણે નિત્ય છે. તેથી જ મોક્ષને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોમાં પરમ પુરુષાર્થ અને ચતુર્વર્ગશિરોમણિ કહેવામાં આવેલ 252. ૩મત્ર સિદ્ધીનાં સુરમયત્વે ત્રથી વિપતિપદને તથાસાત્મનો मुक्तौ बुद्धयाद्यशेषगुणोच्छेदात्कथं सुखमयत्वमिति वैशेषिकाः । अत्यन्तचित्तसंतानोच्छेदत आत्मन एवासंभवादिति सौगताः । अभोक्तृत्वात्कथमात्मनो मुक्तौ सुखमयत्वमिति सांख्याः । 252. મુક્ત જીવોના સુખમય હોવાની બાબતે વિવાદ છે. આ અંગે ત્રણ મતો છે. વૈશેષિક ચિન્તકો માને છે કે મુક્તિમાં બુદ્ધિ, સુખ, દુ:ખ આદિ આત્માના વિશેષ ગુણોનો ઉચ્છેદ થઈ જાય છે એટલે મોક્ષાવસ્થામાં આત્મા સુખવિહીન હોય છે. આ નામાં વિશુદ્ધ જ્ઞાન, સુખ આદિનો અભાવ હોય છે. [આમ જ્ઞાન, સુખ આત્માનો સ્વભાવ નથી. આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં જ્ઞાન, સુખની ઉત્પત્તિ થવાની યોગ્યતા નથી. આ યોગ્યતા તો આત્મામાં મોક્ષાવસ્થામાં પણ હોય છે પરંતુ જ્ઞાનોત્પત્તિ અને સુખોત્પત્તિ માટે જરૂરી આત્મમનઃસંયોગાદિ મોક્ષાવસ્થામાં ન હોવાથી આત્મામાં જ્ઞાન અને સુખ ઉત્પન્ન થતા નથી. આવું વૈશેષિકો માને છે.] બૌદ્ધો તો મોક્ષમાં આત્માનું અસ્તિત્વ જ માનતા નથી. તેઓ કહે છે કે મુક્તિ અવસ્થામાં ચિત્તસન્તાનનો અત્યન્ત ઉચ્છેદ થઈ જવાથી ચિત્તપ્રવાહરૂપ આત્માનું અસ્તિત્વ રહેતું નથી. તો પછી સુખ કોને થાય? સાંખ્ય દાર્શનિકો આત્માનું નિત્ય અસ્તિત્વ માનવા છતાં મુક્તિમાં તેને ભોક્તા નથી માનતા, એટલે મુક્તિમાં આત્મા સુખમય કેવી રીતે હોઈ શકે? [સાંખ્યો સંસારી અવસ્થામાં આત્મામાં ગૌણ ભોક્તત્વ માને છે, ખરું ભોક્તત્વ તો પ્રકૃતિમાં છે પણ આત્માનો પ્રકૃતિ સાથે સંયોગ હોવાથી તેનામાં ગૌણ ભોસ્તૃત્વ આવે છે. મોક્ષમાં તો આત્માનો પ્રકૃતિ સાથેનો સંયોગ છૂટી જવાથી આત્મામાં ગૌણ ભોસ્તૃત્વ પણ રહેતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy