SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ તર્કરહસ્યદીપિકા प्राणा हि द्विविधाः द्रव्यप्राणा भावप्राणाश्च । मोक्षे च द्रव्यप्राणानामेवाभावः, न पुनर्भावप्राणानाम् । भावप्राणाश्च मुक्तावस्थायामपि सन्त्येव । यदुक्तम् "यस्मात्क्षायिकसम्यक्त्ववीर्यदर्शनज्ञानैः । आत्यन्तिकैः स युक्तो निर्द्वन्द्वेनापि च सुखेन ॥१॥ ज्ञानादयस्तु भावप्राणा मुक्तोऽपि जीवति स तैर्हि । તમાળવત્વે નિત્યં સર્વચ ગવી રા' ततश्चानन्तज्ञानान्तदर्शनानन्तवीर्यानन्तसुखलक्षणं जीवनं सिद्धानामपि મવતીત્યર્થ. I 250. શંકા- કર્મોનો અભાવ થવાથી મુક્ત જીવ પૂર્વપ્રયોગ આદિ કારણોના લીધે ઊર્ધ્વ ગતિ કરે છે એ માની લઈએ અને ઊર્ધ્વ ગતિ કરતો તે લોકના અગ્ર ભાગે જઈ બિરાજે છે એ પણ માની લઈએ, પરંતુ જયારે મોક્ષમાં શરીર, ઇન્દ્રિયો, પ્રાણ તથા શ્વાસોચ્છવાસ આદિજીવનસામગ્રી જ નથી ત્યારે તે અજીવ અર્થાત જડ જ બની જાય. જીવનનો અર્થ જ પ્રાણોને ધારણ કરવા તથા શ્વાસોચ્છવાસ લેવા એવો થાય છે. જો પ્રાણ જ ન હોય તો જીવન કેવું? તેને જીવ કેવી રીતે કહેવાય? તે તો પૂરેપૂરો અજીવ જ બની ગયો ગણાય. અને અજીવનો તો મોક્ષ થતો નથી. એટલે એને મુક્ત પણ ન કહેવાય. જૈન ઉત્તર–ના, એવું નથી. તમે અમારો અભિપ્રાય સમજ્યા વિના જ જેમ તેમ શંકા કરી નાખો છો. જૈન સિદ્ધાન્તમાં પ્રાણો બે પ્રકારના મનાયા છે– એક દ્રવ્ય પ્રાણ અને બીજા ભાવ પ્રાણ. મોક્ષમાં વિશુદ્ધ જીવોને પાંચ ઇન્દ્રિયો, મનોબલ, વચનબલ, કાયબલ, આયુ અને શ્વાસોચ્છવાસ આ દસ દ્રવ્ય પ્રાણોનો જ અભાવ થઈ ગયો હોય છે પરંતુ જ્ઞાન, દર્શન, જીવત્વ આદિ ભાવ પ્રાણોનો અભાવ નથી હોતો. જે દ્રવ્ય પ્રાણો સંસારી અવસ્થામાં ચૈતન્યની (જ્ઞાન-દર્શનની) અભિવ્યક્તિમાં સહાયતા કરે છે તથા સંસારી જીવને એક શરીરમાં જીવન દે છે તે દ્રવ્ય પ્રાણોની વિશુદ્ધ જીવને કોઈ આવશ્યક્તા જ નથી કેમ કે તેનું ચૈતન્ય (જ્ઞાન-દર્શન) તો પરિપૂર્ણરૂપમાં વિકસી ચૂક્યું છે અને તે વિશુદ્ધ જીવ તો પોતાના સ્વાભાવિક અનન્તજ્ઞાન અને અનન્તદર્શન આદિ ભાવ પ્રાણોથી સદા જીવે છે. ભાવ પ્રાણો જ્ઞાનાદિ તો તેમના પૂર્ણ રૂપમાં મોક્ષમાં અર્થાત જીવની મોક્ષાવસ્થામાં વિદ્યમાન હોય છે જ. કહ્યું પણ છે કે- “મુક્ત જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy