SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૧ ૧ છે. આ ઊર્ધ્વગતિનાં કારણો છે– પૂર્વપ્રયોગ, અસંગત્વ અર્થાત્ નિર્લેપતા, બન્ધચ્છેદ અર્થાત્ નિર્બન્ધતા તથા ઊર્ધ્વ ગૌરવ અર્થાત્ સ્વભાવતઃ ઊર્ધ્વગતિ આત્માનું ગૌરવ. જેમ કુંભારના ચાકડાને એક વાર દંડ વડે ઘુમાવ્યા પછી દંડને દૂર કરવામાં આવે તો પણ પૂર્વ ગતિએ આપેલા વેગના કારણે ઘણા વખત સુધી ચાકડો આપોઆપ ઘૂમતો રહે છે અથવા જેમ હીંચકાને એક વાર ચલાવ્યા પછી તે વેગના કારણે આપોઆપ ચાલ્યા કરે છે અથવા જેમ બાણને એક વાર બરાબર પણછ ખેંચીને છોડવામાં આવતાં પૂર્વ ગતિના વેગના કારણે દૂર સુધી સ્વતઃગતિ કરે છે તેમ જીવ પણ પૂર્વબદ્ધ કર્મોએ કરાવેલી ગતિએ પેદા કરેલા વેગ યા આવેશથી ગતિ કરે છે, આ ગતિ સિદ્ધગતિ કહેવાય છે. જેમ માટીના લેપવાળું તુંબડું પાણીમાં નીચે પડ્યું રહે છે પણ લેપ ધોવાઈ દૂર થતાં જ ઉપર તરી આવે છે તેમ આત્મા ઉપરથી કર્મનો લેપ દૂર થઈ જવાથી આત્મા ઊર્ધ્વ ગતિ કરે છે. આ ગતિ સિદ્ધગતિ કહેવાય છે. જેમ કોશમાં (જીંડવામાં) રહેલું એરંડબીજ કોશ તૂટતાં જ ઉપર તરફ જાય છે તેમ કર્મબન્ધનરૂપ પ્રતિબંધક દૂર થતાં જ શુદ્ધ આત્મા ઊર્ધ્વ ગતિ કરે છે. જિનેન્દ્રદેવે જીવોને ઊર્ધ્વ ગૌરવ ધર્મવાળા કહ્યા છે તથા પુદ્ગલોને અધો ગૌરવ ધર્મવાળા કહ્યા છે. જીવોમાં એવું ગૌરવ છે કે જેથી તેઓ સ્વભાવતઃ ઊર્ધ્વ ગતિ કરે છે તથા પુદ્ગલોમાં એવું ગૌરવ છે કે જેથી તેઓ સ્વભાવતઃ નીચે તરફ ગતિ કરે છે. જેવી રીતે સ્વભાવતઃ પથ્થર નીચે પડે છે, વાયુ તીરછો વહે છે અને અગ્નિજવાળાઓ ઉપર જાય છે તેવી જ રીતે આત્માની ઊર્ધ્વગતિ સ્વાભાવિક જ છે. જીવો કર્મોના સંસર્ગના કારણે જ નીચે નરકમાં, ઉપર સ્વર્ગમાં અને તીરછા મધ્યલોકમાં ગમન કરે છે, આ તેમની કર્મજન્ય અસ્વાભાવિક ગતિ છે. પરંતુ જ્યારે જીવો સઘળાં કર્મોથી સંપૂર્ણપણે છૂટી શુદ્ધ થઈ જાય છે ત્યારે તેમની ગતિ સ્વભાવત ઊર્ધ્વ જ હોય છે. લોકના અગ્રભાગથી ઉપર અલોકાકાશમાં તેઓ ઊર્ધ્વગતિ કેમ કરતા નથી? લોકથી ઉપર અલોકાકાશમાં તો સિદ્ધ જીવોની ગતિ એટલા માટે નથી થતી કેમ કે ત્યાં અલોકાકાશમાં ગતિમાં અસાધારણ સહાયતા કરનારું ધર્મદ્રવ્ય નથી. [જો ત્યાં ધર્મદ્રવ્ય હોત તો અવશ્ય ગતિ થઈ શક્ત, પરંતુ ધર્મદ્રવ્ય તો લોકાકાશમાં જ છે, અલોકમાં નથી.] તિત્ત્વાર્થભાષ્ય, ૧૦.૭.]. ધર્માસ્તિકાય ગતિમાં સહાયકકારણ યા અપેક્ષાકારણ છે એ તો અમે પહેલાં સિદ્ધ કરી ચૂક્યા છીએ. [250. નનુ મહતુ MUTTPમાવેડા પૂર્વયોગવિદ્ગતિ , तथापि सर्वथा शरीरेन्द्रियादिप्राणानामभावान्मोक्षे जीवस्याजीवत्वप्रसङ्गः । यतो जीवनं प्राणधारणमुच्यते, तच्चेन्नास्ति, तदा जीवस्य जीवनाभावादजीवत्वं स्यात्, अजीवस्य च मोक्षाभाव इति चेत् । न; अभिप्रायापरिज्ञानात्, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy