SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ જૈનમત આસવનો નિરોધ એ જ સંવર છે. જીવ અને કર્મનો એકબીજા સાથે ભળી જવારૂપ સંબંધ અર્થાત્ બન્નેનો પરસ્પર અનુપ્રવેશરૂપ સંબંધ બન્ધ છે. (૫૧) 233. વ્યારા તેષાં મિથ્યાત્વિવિરતિ દિપાવલી નામવા सम्यग्दर्शनविरतिप्रमादपरिहारक्षमादिगुप्तित्रयधर्मानुपेक्षाभिनिरोधो निवारणं स्थगनं संवरः, पर्यायकथनेन व्याख्या । आत्मनः कर्मोपादानहेतुभूतपरिणामाभावः संवर इत्यभिप्रायः । 233. શ્લોકવ્યાખ્યાઃ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ, કર્મને આવવાના દ્વારોને બન્ધ કરી દેવાં એ સંવર છે. તે દ્વારોને બંધ કરી દેવાના અર્થાત સંવરના ઉપાયો છે– સમ્યગ્દર્શન, વ્રત, અપ્રમાદ, ક્ષમા આદિ દસ ધર્મ, મન-વચનકાયાની પ્રવૃત્તિનો સમ્યફ નિગ્રહ યા સંયમ, અનિત્યતા આદિ બાર ભાવના (ધર્માનુપ્રેક્ષા). આમ આસ્રવોનો નિરોધ, નિવારણ યાસ્થગન જ સંવર છે. તાત્પર્ય એ છે કે જે ભાવો યા પરિણામોથી કર્મો આવે છે તેમને આત્મામાં ઉત્પન્ન જ ન થવા દેવા એ જ સંવર છે. 234. સ ર તે સર્વમેતાર્ થા , તત્ર વારિકૂર્મયોનિ થવાને सर्वसंवरः । शेषकाले चरणप्रतिपत्तेरारभ्य देशसंवरः । 234. સંવરના બે ભેદ છે–દેશસંવર અને સર્વસંવર. જે વખતે મન, વચન અને કાયાના સ્થળ અને સૂક્ષ્મ બન્ને જાતના વ્યાપારોનો સર્વથા સંપૂર્ણ નિરોધ થઈ જાય છે તે વખતે ચૌદમા અયોગિગુણસ્થાનમાં સર્વસંવર હોય છે. તેના પહેલાં દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનથી શરૂ કરીને મન, વચન અને કાયાની સંયત પ્રવૃત્તિરૂપ ચારિત્રથી દેશસંવર હોય છે. [235. 1થ વચતત્ત્વહિં વન્યો નવી વર્મા' ત્યાદ્રિ તત્ર बन्धनं बन्धः - परस्पराश्लेषो जीवप्रदेशपुद्गलानां क्षीरनीरवत्, अथवा बध्यते येनात्मा पारतन्त्र्यमापद्यते ज्ञानावरणादिना स बन्धः-पुद्गलપરિણામ: (235. હવે આચાર્ય બન્ધતત્ત્વનું નિરૂપણ કરે છે – “જીવ અને કર્મનો બન્ધ છે.' બન્ધ એટલે બન્ધન. જીવના પ્રદેશો અને કર્મપુદ્ગલોનું દૂધ અને પાણીની જેમ પરસ્પર ભળી જવું એ જ બબ્ધ છે. અથવા, જે જ્ઞાનાવરણ આદિ કર્મો દ્વારા આત્મામાં પરતત્રતા આવે છે તે બબ્ધ છે, અર્થાત્ પુદ્ગલોનું કર્મરૂપે પરિણમન એ જ બન્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy