SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ તર્કરહસ્યદીપિકા દેખાય છે. ખેતી કરવી યા શિકાર ખેલવો આદિમાં લોકો એટલા માટે વધુ પ્રવૃત્ત થાય છે કેમ કે તેમનું ફળ શીધ્ર મળી જાય છે. આ જ કારણે પરલોકમાં અદષ્ટ ફળ દેનારી દાન આદિ ક્રિયાઓમાં લોકોની પ્રવૃત્તિ બહુ ઓછી થાય છે. અહીં તો “આજે રોકડા કાલે ઉધાર' વાળી વાત છે. રોકડિયો ધંધો છોડી ઉધારનો ધંધો કોણ કરે? ધ્રુવને છોડી અધુવની પાછળ કોણ દોડે? તેથી જ્યારે ખેતી, હિંસા આદિ અશુભ ક્રિયાઓનું કોઈ અદષ્ટ પાપરૂપ ફળ નથી ત્યારે દાન આદિ શુભ ક્રિયાઓનું પણ અદૃષ્ટ પુણ્યરૂપ ફળ શા માટે માનવું? અહીં જ ઈહલોકમાં જ જે પ્રશંસા, કીર્તિ, પ્રતિષ્ઠા આદિ મળે છે તે જ દાન આદિ શુભ ક્રિયાનું સાક્ષાત્ ફળ છે. જૈન ઉત્તર-ના, તમારી વાત યોગ્ય નથી. તમે કહ્યું કે “જે ક્રિયાઓનું ફળ તરત સાક્ષાત્ મળી જાય છે તે ખેતી, હિંસા આદિ અશુભ ક્રિયાઓમાં લોકોની પ્રવૃત્તિ અધિક થાય છે જ્યારે દાન આદિ શુભ ક્રિયાઓમાં લોકોની પ્રવૃત્તિ ઓછી થાય છે. પરંતુ તમારા આ કથનથી તો એ વાત સિદ્ધ થઈ જાય છે કે હિંસા આદિ અશુભ ક્રિયાઓ દૃષ્ટફળ ઉપરાંત પાપરૂપ અદૃષ્ટ ફળને પણ આપે છે, અન્યથા આ સંસારમાં આટલા બધા પાપી જીવો ક્યાંથી આવત? આ સંસાર ચાલેત જ કેવી રીતે? અશુભ ક્રિયાઓનાં પાપરૂપ અદષ્ટ ફળોના કારણે તો સંસાર ટકી રહ્યો છે. આ હિંસક લોકો પોતાના સુખોપભોગના માટે બીજાઓનો ઘાત આદિ કરીને એવા તીવ્ર પાપનો અનિચ્છનીય બન્ધ કરે છે કે તેના લીધે તેમને અનન્તકાળ સુધી આ અનન્ત સંસારમાં દુ:ખનો બોજ ઉઠાવીને નાના યાનિઓમાં પરિભ્રમણ કરવું પડે છે. જો હિંસા આદિ બૂરાં કાર્યોનું પાપ નામનું અદષ્ટ યા પરોક્ષ ફળ ન હોત તો આ હિંસક યા બૂરાં કાર્યો કરનારા બધા ઈહલોકમાં થોડીઘણી મોજમજા કરીને અદષ્ટ પાપરૂપ ફળ ન હોવાથી મરણ પછી અનાયાસ જ મોક્ષે જતા રહેતા. તેના પરિણામે સંસાર લગભગ ખાલી થઈ જાત. વળી,સંસારમાં કોઈ દુઃખી પણ ન મળેત કેમ કે અશુભ ક્રિયાઓનું પાપ નામનું કોઈ ફળ ન હોતાં પાપના પરિણામરૂપ દુઃખ પણ ક્યાંથી હોય? પછી તો સંસારમાં સર્વત્ર દાન આદિ શુભ ક્રિયાઓ કરનારા કેટલાક ગણ્યાગાંઠ્યા લોકો જ શુભક્રિયાઓના વિપાકરૂપ ફળ સુખને જ ભોગવતા જોવા મળે. પરંતુ તમે જ ખુદ જુઓ, તમને દેખાશે કે સંસારમાં દુઃખી જીવોની સંખ્યા જ અત્યધિક છે જયારે સુખી જીવોની સંખ્યા તો અત્યલ્પ છે. [આ ઉપરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે આ દુ:ખી જીવોએ પૂર્વજન્મમાં એવાં હિંસા આદિ બૂરાં કાર્યો કર્યાં હતાં જેના પાપનું ફળ આજ તેમને ભોગવવું પડે છે અને સંસારમાં તેમની સંખ્યા સદા અત્યધિક જ હોય છે કેમ કે બૂરાં કાર્યો કરવામાં જ પ્રાયઃ અધિક પ્રવૃત્તિ દેખાય છે.] આનાથી એ જણાઈ જાય છે કે ખેતી, હિંસા આદિ અશુભ ક્રિયાથી અંદષ્ટ પાપનો બન્ધ થાય છે અને એના ફળરૂપે દુઃખ મળે છે જયારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy