SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ તર્કરહસ્યદીપિકા બીજાને તો તેમનાથી દુઃખ જ થાય છે. સામગ્રી બરાબર એકસરખી હોવા છતાં તેમનાં સુખ-દુઃખરૂપ ફળોમાં કણ અને ડુંગર જેવડું અંતર હોય છે. જે મિષ્ટાન્ન એક સ્વસ્થ વ્યક્તિને આનન્દ અને પુષ્ટિ આપે છે તે જમિષ્ટાન્ન બીજી દુર્બળ વ્યક્તિને પેટદર્દ કરે છે અને અપચો આદિ રોગ આપે છે. જે વસ્ત્ર, જે માલા, જે સુંદરી અને જે ભોગસામગ્રી કામીને માટે રાગનું કારણ બને છે તે જ વસ્ત્ર, તે જ માલા, તે જ સુંદરી અને તે જ બધી ભોગસામગ્રી મુમુક્ષુને બન્ધનરૂપ લાગે છે અને વિરક્તિનું કારણ બને છે. આ રીતે તુલ્ય સામગ્રી હોવા છતાં પણ સુખ-દુઃખ રૂ૫ ફળોમાં આ જે જમીન અને આસમાન જેટલું અત્તર છે તે કોઈ અન્ય અદષ્ટ કારણના લીધે જ હોવું જોઈએ. જો આ અત્તર નિષ્કારણ હોય તો યા તો સદા હોય યા ન જ હોય પરંતુ ક્યારેક હોય અને ક્યારેક ન હોય એવું બને નહિ. તેથી આ અત્તર સકારણ છે, નિષ્કારણ નથી. આ મહાન અખ્તરનું કારણ છે અદષ્ટ અર્થાત પુણ્ય-પાપરૂપ કર્મ. તે જ સામગ્રી જે પુણ્યશાળીને સુખ આપે છે તે પાપીને દુઃખ આપે છે. જે કેશરિયું દૂધ એક વ્યક્તિને સુખ, આનન્દ, પુષ્ટિ આપે છે તે જ બીજી વ્યક્તિ પીએ તો બીમાર થઈ યમરાજના ઘરનો મહેમાન પણ બની જાય છે. કહ્યું પણ છે કે – “તુલ્ય સામગ્રીવાળા પુરુષોનાં સુખ-દુઃખમાં જે વિશેષતા યા ભેદ દેખાય છે, અર્થાત્ એક જ સામગ્રી એકને અધિક સુખ દે છે, બીજાને ઓછું સુખ દે છે અને ત્રીજાને તો વળી દુઃખ દે છે–આ વિચિત્રતા કારણ વિના તો હોય નહિ, કેમ કે તે કાર્ય છે, કૃત છે, કાદાચિત્ક છે. હે ગૌતમ, જેવી રીતે ઘડો કારણ વિના ઉત્પન્ન થતો નથી તેવી રીતે આ સમાન સામગ્રીવાળાઓનાં સુખ-દુ:ખની વિચિત્રતા પણ કારણ વિના ન હોઈ શકે. આ વિચિત્રતાનું કારણ કર્મ છે.” [જો દશ્ય પદાર્થ સ્વયં સુખદુઃખનું કારણ હોય તો પછી એક જ વસ્તુ એકને સુખ અને બીજાને દુઃખ કેમ દે? આમ આ જગતની વિચિત્રતા પોતે જ પોતાનાં કારણ પુણ્ય અને પાપને સિદ્ધ કરે છે.] 222. અથવા RTIનુમાનાર્વાનુમાના વૈવં પુથા અચેતે તત્ર कारणानुमानमिदम्-दानादिशुभक्रियाणां हिंसाद्यशुभक्रियाणां चास्ति फलभूतं कार्यं, कारणत्वात्, कृष्यादिक्रियावत् । यच्चासां फलभूतं कार्यं तत्पुण्यं पापं चावगन्तव्यं यथा कृष्यादिक्रियाणां शालियवगोधूमादिकम् । 222. અથવા કારણહેતુથી અને કાર્ય હેતુથી અનુમાન દ્વારા પુણ્ય અને પાપની સિદ્ધિ થાય છે. કારણહેતુથી આ પ્રમાણે દાન દેવું, અહિંસાભાવ રાખવો આદિ શુભ ક્રિયાઓનું તથા હિંસા આદિ અશુભ ક્રિયાઓનું ફળભૂત કાર્ય અવશ્ય છે જ કેમ કે ક્રિયાઓ તો કારણ છે. કારણને પોતાનું કાર્ય હોય જ. જેવી રીતે ખેતી વગેરે ક્રિયાઓ કરવાનું ફળ ધાન્ય આદિ મળે છે તેવી રીતે અહિંસા, દાન, હિંસા આદિ ક્રિયાઓનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy