SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૯૩ નહિ એ અર્ધજરતીય ન્યાય કહેવાય છે. તાત્પર્ય એ કે જ્યારે પુણ્ય અને પાપને માન્યા વિના ચાલતું નથી ત્યારે સ્વર્ગ અને નરકને, જે તેમનાં ફળોને ભોગવવાનાં સ્થાનો છે તેમને, માન્યા વિના કેમ ચાલે ? અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – સુખ અને દુ:ખ કારણોથી ઉત્પન્ન થાય છે અર્થાત્ કારણપૂર્વક છે, કેમ કે તેઓ અંકુરની જેમ કાર્ય છે. જેવી રીતે અંકુરનું કારણ બીજ છે તેવી રીતે સુખનું કારણ પુણ્ય અને દુઃખનું કારણ પાપ છે. 220. अथ नीलादिकं मूर्तं वस्तु यथा स्वप्रतिभासिज्ञानस्यामूर्तस्य कारणं भवति, तथान्नस्त्रक्चन्दनाङ्गनादिकं मूर्तं दृश्यमानमेव सुखस्यामूर्तस्य कारणं भविष्यति, अहिविषकण्टकादिकं च दुःखस्य । ततः किमदृष्टाभ्यां पुण्यपापाभ्यां परिकल्पिताभ्यां प्रयोजनमिति चेत् । 220. શંકા— જેવી રીતે મૂર્ત નીલ વગેરે પદાર્થો નીલાદિને જાણનારાં અમૂર્ત નીલાદિજ્ઞાનોનાં કારણ બને છે તેવી જ રીતે જ્યારે અન્ન, પુષ્પમાળા, ચન્દન, સુન્દર સ્ત્રી આદિ સામે દેખાતા મૂર્ત પદાર્થો જ અમૂર્ત સુખનાં તથા સાપ, વિષ, કંટક આદિ દુઃખનાં કારણ બને છે ત્યારે ન દેખાનારા (પ્રત્યક્ષ વડે અગ્રાહ્ય) અદૃષ્ટ પુણ્ય અને પાપની કલ્પના શા માટે ક૨વી ? કેમ કે પુણ્ય અને પાપ માનીને પણ છેવટે તો ચન્દન, સુંદરી આદિ પદાર્થોનું જ કામ પડે છે, તેમના વિના તો સુખ-દુઃખનો ભોગ થઈ શક્તો જ નથી. 221. તત્યુત્ત, વ્યભિચારાત્, તથાદ્િસ્તુત્યાન્નસ્ત્રાવિસાધનોપિ द्वयोः पुरुषयोः सुखदुःखलक्षणे फले महान् भेदो दृश्यते । तुल्येऽपि ह्यन्नादिके भुक्ते कस्याप्याह्लादो दृश्यते, अपरस्य तु रोगाद्युत्पत्तिः, अयं च फलभेदोऽवश्यमेव सकारणः, निःकारणत्वे नित्यं सत्त्वासत्त्वप्रसङ्गात् । यच्च तत्कारणं तददृष्टं पुण्यपापरूपं कर्मेति । तदुक्तम् "जो तुलसाहणाणं फले विसेसो न सो विणा हेउं । कज्जत्तणओ गोयम घडो व्व हेऊ अ सो कम्मं ॥ १ ॥ इति । 221. જૈન ઉત્તર– શંકા અયોગ્ય છે કેમ કે ચન્દન, સુંદરી આદિ પદાર્થો સુખ જ ઉત્પન્ન કરે અને વિષ, કંટક આદિ દુ:ખ જ ઉત્પન્ન કરે એવો નિયમ નથી, તેમાં વ્યભિચાર જોવામાં આવે છે. ઉદાહરણથી સમજીએ. બે વ્યક્તિઓ છે જેમની પાસે એક સરખાં અન્ન, માલા, ચન્દન, સુંદરી આદિ સુખસાધનો છે, તો શું તમે એમ સમજો છો કે બન્નેને એકસરખું સુખ થાય છે. અરે ! એકને તેમનાથી સુખ થાય છે, જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy