SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ તર્કરહસ્યદીપિકા 219. ૩, પુથપાયોરમાવે સુ યોહિંતુ સ્વાવનુત્યા પવ स्यात्, स च प्रत्यक्षविरुद्धः, तथाहि-मनुजत्वे समानेऽपि दृश्यन्ते केचन स्वामित्वमनुभवन्तो अपरे पुनस्तत्प्रेष्यभावमाबिभ्राणाः, एके च लक्षकुक्षिभरयः, अन्ये तु स्वोदरदरीपूरणेऽप्यनिपुणाः, एके देवा इव निरन्तरं सरसविलाससुखशालिनः, इतरे पुनर्नारका इवोनिद्रदुःखविद्राणचित्तवृत्तय इति । अतोऽनुभूयमानसुखदुःखनिबन्धने पुण्यपापे स्वीकर्तव्ये । तदङ्गीकरणे च विशिष्टयोस्तत्फलयो गस्थाने स्वर्गनरकावपि प्रतिपत्तव्यौ, अन्यथार्धजरतीयन्यायप्रसङ्गः स्यात् । प्रयोगश्चात्र-सुखदुःखे कारणपूर्वके, कार्यत्वात्, अङ्कुरवत् । ये च तयोः कारणे, ते पुण्यपापे मन्तव्ये, यथाङ्करस्य વિનમ્ 219. નાસ્તિકોને જૈન ઉત્તર—નાસ્તિકોનું કથન નિરાધાર અને અપ્રામાણિક છે કેમ કે જો જગતમાં પુણ્ય અને પાપ જેવી કોઈ ચીજ જ ન હોય તો સુખ અને દુઃખની વિચિત્રતાની વાત તો બાજુએ રહી,] સુખ અને દુઃખની ઉત્પત્તિ જ કારણ વિના સંભવશે નહિ. કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન તો દેખી છે કે ન તો સાંભળી છે. આ રીતે પુણ્ય અને પાપના અભાવમાં તો જગતમાંથી સુખ-દુઃખની વાત જ ઊઠી જશે. જગતમાંથી સુખ-દુઃખની વાતને જ ઉઠાડી મૂકવી એ તો સૌની આંખમાં ધૂળ નાખવા બરાબર છે. [પુણ્ય-પાપનું અસ્તિત્વ અને સ્વર્ગ-નરકનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય છે એને સમજાવીએ છીએ.] બધા મનુષ્ય મનુષ્ય તરીકે એકસરખા છે, પરંતુ એક રાજા બની શાસન કરે છે અને બીજો સેવક બની તેની સેવા ચાકરી કરે છે, એક લખપતિ બની અનેક ભૂખે મરતાઓનું પોષણ કરે છે અને બીજો દિનભર કાળી મજૂરી કરીને પણ પોતાનું પેટ ભરી શકતો નથી, એક દેવની જેમ નિરન્તર ભોગવિલાસ ભોગવે છે અને બીજો દુઃખ દૂર કરવાની ચિન્તામાં રાતોની રાતો પસાર કરે છે તથા નારકીની જેમ દુઃખની દારુણ જવાલામાં ભુંજાતો ત્રાહિ ત્રાહિ પોકારે છે. આમ સૌને સુખ અને દુઃખનો અનુભવ છે જ. એટલે સુખ અને દુઃખનું અસ્તિત્વ છે જ. પરિણામે સુખ અને દુઃખને પેદા કરનારાં પુણ્ય અને પાપનું અસ્તિત્વ પણ અનુમાનથી નિશ્ચિતપણે સિદ્ધ થાય છે જ. જ્યારે પુણ્ય અને પાપ છે ત્યારે તીવ્ર પુણ્ય અને તીવ્ર પાપનાં વિશિષ્ટ ફળોને ભોગવવા માટે વિશિષ્ટ સ્થાનો સ્વર્ગ અને નરકનો પણ સ્વીકાર કરવો જોઈએ. પાપ-પુણ્યને સ્વીકારીને પણ સ્વર્ગ-નરકને ન સ્વીકારવા એ તો ગમતું સ્વીકારવું અને ન ગમતું ન સ્વીકારવું એના જેવી વાત થઈ, એ તો સ્પષ્ટપણે અર્ધજરતીયન્યાય છે. વૃદ્ધા સ્ત્રીના સુડોળ અંગોને ચાહવા-ભોગવવા અને શિથિલ અંગોને સ્પર્શવા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy