SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા प्रदीपशिखारूपादिवत् गन्धपरमाणुव्यवस्थितरूपादिवद्वेति । गन्धादीनां तु पुद्गलपरिणामता प्रसिद्धैव । ૩૮૮ 209. શંકા— જેવી રીતે શંખ કે તૂટી ગયેલા શંખના ટુકડા પૌદ્ગલિક હોવાથી આંખોથી તેમનું રૂપ દેખાય છે, તેવી રીતે શબ્દ પણ પૌદ્ગલિક હોવાથી તેનું પણ રૂપ આંખોથી કેમ દેખાતું નથી ? જૈન ઉત્તર– શબ્દ પૌદ્ગલિક છે, તેથી તેમાં રૂપ છે તો ખરું, પરંતુ સૂક્ષ્મ હોવાના કા૨ણે તે ગૃહીત થતું નથી. જેમ દીવાને રાણો કરી દેતાં દીવાની શિખા રૂપ આદિ હોવા છતાં પણ સૂક્ષ્મ પરિણમનના કારણે જોઈ શકાતી નથી, અથવા જેમ ગુલાબ આદિ ફૂલોની જ્યારે સુગન્ધ આવે છે ત્યારે તે આવેલા ગન્ધપરમાણુરૂપ દ્રવ્યમાં રૂપ આદિ હોવા છતાં અનુભુત હોવાના કારણે પ્રત્યક્ષ થતાં નથી, તેવી જ રીતે શબ્દમાં રૂપ હોવા છતાં સૂક્ષ્મ અને અનુભૂત હોવાના કારણે દેખાતુ નથી. ગન્ધ આદિનું પુદ્ગલપણું તો પ્રસિદ્ધ છે કેમકે તેઓ તો પ્રાણ આદિ બાહ્ય ઇન્દ્રિયો વડે ગૃહીત થાય છે. 210. તમાયાવીનાં સ્વેવસ્—તમઃ પુનપરિબળમો તૃષ્ટિપ્રતિવન્યकारित्वात् कुड्यादिवत्, आवारकत्वात् पटादिवत् । 210. અન્ધકાર અને છાયાને આ રીતે પુદ્ગલાત્મક સિદ્ધ કરવા જોઈએ અન્ધકાર પૌદ્ગલિક છે કેમ કે તે આંખોને જોવામાં બાધા કરે છે, જેમ કે દીવાલ. તે પદાર્થોને ઢાંકી દે છે, તેમનું આવરણ બને છે, જેમ કે કપડું. [અન્ધકાર પુદ્ગલદ્રવ્યનો ભેદ યા પર્યાય છે. તે પ્રકાશનો અભાવ માત્ર નથી. નૈયાયિક-વૈશેષિક તેને પ્રકાશનો અભાવમાત્ર માને છે, તે યોગ્ય નથી. અન્ધકાર પણ પ્રકાશની જેમ જ ભાવાત્મક છે. જેમ પ્રકાશમાં રૂપ છે તેમ અન્ધકારમાં પણ રૂપ છે. જેમ પ્રકાશનો રંગ(રૂપ) ભાસુર અને સ્પર્શ ઉષ્ણ પ્રસિદ્ધ છે તેમ અન્ધકારનો રંગ કૃષ્ણ અને સ્પર્શ શીત પ્રસિદ્ધ છે અને લોકપ્રતીતિનો વિષય છે.] 211. छायापि शिशिरत्वात् आप्यायकत्वात् जलवातादिवत् । छायाकारेण परिणममानं प्रतिबिम्बमपि पौद्गलिकं साकारत्वात् । - 211. છાયા પણ પૌદ્ગલિક છે કેમ કે તે શીતલ તથા શરીરને પુષ્ટ કરનાર અને તાજગી આપનાર છે, જેમ કે ઉનાળામાં મોટા જલાશયના વિશાળ પાણીના જથ્થા ઉપરથી આવતી ઠંડી હવા. દર્પણ આદિમાં છાયારૂપે પડેલું પ્રતિબિંબ પણ પૌદ્ગલિક છે કેમ કે તે આકારવાળું હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy