SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૮૭ શબ્દ પુદ્ગલદ્રવ્યનો જ પરિણામ છે કેમ કે શબ્દ મૂર્તિ છે. શબ્દ મૂર્ત છે કારણ કે શબ્દમાં હૃદય, ગળું, શિર, જિલ્લામૂલ, દાંત આદિ અન્ય દ્રવ્યોમાં વિક્રિયા પેદા કરવાનું સામર્થ્ય છે. જેમ પીપળાનાં પાન વગેરે ખાવાથી ગળા આદિમાં વિકાર પેદા થાય છે તેમ શબ્દોચ્ચારણસમયે પણ ગળા આદિમાં વિકાર પેદા થાય છે. તેથી મૂર્તિ પદાર્થોમાં વિકાર પેદા કરવાનું સામર્થ્ય ધરાવતો હોવાના કારણે શબ્દ પણ પીપળાના પાન આદિની જેમ મૂર્તિ છે. જ્યારે ભેરી, નગારું, ઝાલર, તબલા આદિ વગાડવામાં આવે છે ત્યારે તેમનામાં કંપ પેદા થાય છે. જો શબ્દ અમૂર્ત હોત તો તેનાથી મૂર્ત ભેરી, નગારું, તબલા આદિમાં કંપ કદી પણ પેદા થાત નહિ. શંખ આદિનો તીવ્ર શબ્દ કાનના પડદાને ફાડી મનુષ્યને બહેરો બનાવી દેવાનું સામર્થ્ય ધરાવે છે. મૂર્તિ પદાર્થોમાં વિકાર પેદા કરવા, મૂર્તિ પદાર્થોમાં કંપન પેદા કરવું, સાંભળનારને બહેરો બનાવી દેવો આ બધી શક્તિઓ અમૂર્ત આકાશમાં તો સંભવે નહિ, તેથી શબ્દ આકાશનો ગુણ નથી. શબ્દ તો મૂર્ત અને પૌદ્ગલિક છે. જેવી રીતે પર્વત તરફ ફેકેલો પથરો તેને ટકરાઈને પાછો આવે છે તેવી જ રીતે શબ્દ પણ દીવાલ આદિ સાથે ટકરાઈને પડઘારૂપે પાછો આવે છે, તેથી શબ્દને પથરાની જેમ મૂર્ત માનવો જોઈએ. શબ્દ આકાશનો ગુણ નથી કેમ કે તેને જ્યાં માર્ગ મળે છે ત્યાંથી તે માર્ગે જાય છે, જેમ કે સૂર્યનો પ્રકાશ. શબ્દ જો અમૂર્ત હોત તો તે બધી જગાએ સર્વત્ર અપ્રતિહત નિબંધપણે ગમન કરી શક્ત, તેને દ્વાર યા માર્ગની આવશ્યકતા જ ન હોત. શબ્દને પૌગલિક સિદ્ધ કરવા માટે તથા તે આકાશનો ગુણ નથી તે સિદ્ધ કરવા માટે નીચે જણાવેલા પાંચ હેતુઓ વધારામાં આપી શકાય- શબ્દ આકાશનો ગુણ નથી કેમ કે શબ્દમાં અગુરુપૂપની જેમ ફેલાવાની શક્તિ છે, તે તણખલાં, પાંદડા આદિની જેમ વાયુથી જયાં ત્યાં ફેંકાઈ જઈ શકે છે અર્થાત વાયુ તેને પોતાને અનુકૂળ દિશામાં જવા પ્રેરે છે, તે સર્વ દિશામાં રહેનારાઓ વડે ગૃહીત થાય છે જેમ કે દીપકનો પ્રકાશ, જેમ સૂર્યનો પ્રકાશ તારાઓને ઢાંકી દે છે તેમ તીવ્ર શબ્દો મન્દ શબ્દોનો અભિભવ કરે છે, જેમ તારાઓ સૂર્યના પ્રખર પ્રકાશથી અભિભૂત થાય છે તેમ મન્દ શબ્દો તીવ્ર શબ્દોથી અભિભૂત થાય છે, તેથી શબ્દો અભિભવ પામવાને યોગ્ય છે જેમ કે તારાઓ તથા અભિભવ કરનારા પણ છે જેમ કે સૂર્યપ્રકાશ મોટેથી બોલાયેલા શબ્દો ધીમે બોલાયેલા શબ્દોનો અભિભવ કરે છે એ તો બહુ પ્રસિદ્ધ વાત છે. આ રીતે ફેલાવાના, બીજાથી પ્રેરિત થવાના, સર્વ દિશાઓમાં સંભળાવા, બીજાને અભિભૂત કરવાના તેમ જ બીજાથી અભિભૂત થવાના કારણે શબ્દ પૌલિક છે. આ બધા ધર્મો અમૂર્ત પદાર્થોમાં મળતા નથી, તેથી શબ્દ મૂર્તિ છે. 209. અથ શ તદિના તદ્દીયguડેષ યથા પૌત્રાન્નિવસ્ત્રાભૂપमुपलभ्यते, तथा शब्देऽपि कुतो नेति चेत्, उच्यते, सूक्ष्मत्वात्, विध्यात Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy