SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૮૫ 206. સજાતીય વૃક્ષ આદિ વસ્તુઓનો એક જ સમયે ઋતુવિભાગ અનુસાર, સવાર-બપોર-સાંજ આદિ સમયવિભાગ અનુસાર થતો વિવિધ પરિણામ દેખાય છે. આ બધાં ઋતુ પ્રમાણે અને સમય પ્રમાણે થતાં પરિણામોનું કોઈ નિયામક કારણ હોવું જોઈએ, અન્યથા આ વ્યવસ્થા, આ ક્રમ ઘટે નહિ. તેથી તે નિયામક કારણ કાલના અસ્તિત્વનો નિશ્ચય થાય છે. આ બધા પરિણામો નિયામકરૂપ નિમિત્તકારણ વિના ઘટે નહિ. તેથી તેમના દ્વારા નિમિત્તકારણ કાલનું અનુમાન થાય છે. તેવી જ રીતે ઘડો ફૂટી ગયો, ફૂટી રહ્યો છે, ફૂટી જશે આ ભિન્નકાલવર્તી ક્રિયાત્મક અસંકીર્ણ વ્યવહાર અતીત, વર્તમાન અને અનાગત કાલત્રયવિભાગ વિના નિયતરૂપે થઈ શકે નહિ. ત્રણ કાલવિભાગો માન્યા વિના તો જગતનો વ્યવહાર જ અટકી જાય. તેથી કાલદ્રવ્ય માનવું જોઈએ. “આ જૂનું છે, આ જ્યેષ્ઠ છે અને આ નવું છે, આ અનુજ યા નાનું છે' એવાં જ્ઞાન તથા એવા શબ્દપ્રયોગો પણ કાલના નિમિત્તથી જ થાય છે. 207. પુત્રિા પ્રત્યક્ષાનુમાનામવિલેયા:, તત્ર દયટપટરटादयोऽध्यक्षसिद्धाः । अनुमानगम्या इत्थम्-स्थूलवस्त्वन्यथानुपपत्त्या सूक्ष्मपरमाणुव्यणुकादीनां सत्तावसीयते, आगमगम्यता चैवं "पुद्गलथिकाए" इत्यादि । तथा परमाणवः सर्वेऽप्येकरूपा एव विद्यन्ते, न पुनर्वैशेषिकाभिमतचतुस्त्रिद्वयेकस्पर्शादिगुणवतां पार्थिवाप्यतैजसवायवीयपरमाणूनां जातिभेदाच्चतूरूपाः । यथा लवणहिंगुनी स्पर्शनचक्षुरसनघ्राणयोग्येऽपि जले विलीने सती लोचनस्पर्शनाभ्यां ग्रहीतुं न शक्ये परिणामविशेषवत्त्वात्, एवं पार्थिवादिपरमाणवोऽप्येकजातीया एव परिणतिविशेषवत्त्वात् न सर्वेन्द्रियग्राह्या भवन्ति, न पुनस्तज्जातिभेदादिति। 207. પુદ્ગલદ્રવ્યો તો પ્રત્યક્ષ, અનુમાન અને આગમથી નિશ્ચિતપણે જ્ઞાત થાય છે, સિદ્ધ થાય છે. ચટાઈ, ઘડો, કપડું, ઠંડો, ગાડી આદિ પૌદ્ગલિક પદાર્થો પ્રત્યક્ષથી જ્ઞાત થાય છે, સિદ્ધ થાય છે. ઘટ, પટ આદિ સ્થૂલ પૌદ્ગલિક પદાર્થોને જોઈને યાણુક તથા સૂક્ષ્મ પરમાણુઓનું અનુમાન થાય છે, કેમકે તે સ્થૂળ પદાર્થોના કારણભૂત યણુક તથા પરમાણુને માન્યા વિના તો તેમનું અસ્તિત્વ જ ઘટે નહિ. પુદ્ગલ દ્રવ્ય આગમગમ્ય પણ છે કેમ કે આગમમાં પુદ્ગલ દ્રવ્યનું પ્રતિપાદન છે. પુદ્ગલદ્રવ્યના બધા જ પરમાણુઓ એક પુદ્ગલ જાતિના જ છે. તેમનામાં પાર્થિવ, જલીય આદિ જાતિઓ નથી. તેઓ બધા જ એક જાતિના છે, તેમનામાં જાતિભેદ નથી. વૈશેષિકો પરમાણુઓની ચાર જાતિ માને છે – પાર્થિવ, જલીય, આગ્નેય અને વાયવીય. તેમાં પાર્થિવ જાતિના પરમાણુઓમાં રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ આ ચારે ગુણો હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy