SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ તર્કરહસ્યદીપિકા वर्तत इदं न वर्तत इति कालापेक्षमेवाप्ता यत् । सर्वे ब्रुवन्ति तस्मान्ननु सर्वेषां मतः कालः ॥२॥ ह्यः श्वोऽद्य संप्रति पस्त्परारि नक्तं दिवैषमः प्रातः । सायमिति कालवचनानि कथं युक्तान्यसति काले ॥३॥" 205. કાલદ્રવ્યનું અનુમાન વર્તના, પરિણામ આદિ લિંગો દ્વારા થાય છે. પ્રત્યેક દ્રવ્ય અને પર્યાય પ્રતિક્ષણ પોતાની એક સમયવાળી સત્તાનો અનુભવ કરે છે, તે બધી વસ્તુઓની એક ક્ષણવાળી સત્તા જ વર્તન કહેવાય છે. જો કાળદ્રવ્ય ન હોય તો આ બધી વસ્તુઓની એક સમયવાળી સત્તા શક્ય ન બને. તેથી આ એક સમયવાળી પદાર્થોની સત્તારૂપ વર્તના દ્વારા પદાર્થોના પરિણમનમાં નિમિત્ત બનનાર કાલનું અનુમાન કરવામાં આવે છે. સૂર્યની ક્રિયાને જ કાલ ન કહી શકાય કેમ કે જગતમાં શીઘ, વિલંબથી, એક સાથે (યુગપત), ક્રમથી' ઇત્યાદિ કાલદ્રવ્યવાચક શબ્દોનો પ્રયોગ યા વ્યવહાર થાય છે પરંતુ સૂર્યની ગતિનો વાચક શબ્દ તો કાલના અર્થમાં ક્યાંય પ્રયોજાતો નથી. તેથી લોકવ્યવહાર અનુસાર કાલને સ્વતંત્રદ્રવ્ય માનવું જોઈએ. કહ્યું પણ છે કે – “યુગપત, અયુગપત્ (ક્રમથી), ક્ષિપ્ર (શીધ્ર), ચિર(વિલંબથી), ચિરણ (બહુ વિલંબથી), પરજૂનું, જયેષ્ઠ), અપર (નવું, નાનું), આ થશે, આ નહિ થાય, આ થયું હતું, આ થયું ન હતું, આ બની રહ્યું છે, આ નથી બની રહ્યું, ઈત્યાદિ વ્યવહાર કાલની અપેક્ષાએ જ બધા આપ્ત પુરુષો કરતા જોવામાં આવે છે. તેથી માનવું પડશે કે બધા લોકો કાલના અસ્તિત્વને સ્વીકારે છે. જો કાલદ્રવ્ય ન હોય તો “ગઈકાલ, આજ, આવતીકાલ, આ સમયે, પછી, બહુ શીઘ, રાતે, દિને, અત્યારે, સવારે, સાંજે' ઇત્યાદિ કાલસંબંધી વ્યવહાર કેવી રીતે ઘટે? આ બધો વ્યવહાર કાલદ્રવ્યને માન્યા વિના ઘટે નહિ.” 206. પરમપિ સનાતીયાનાં વૃક્ષાવિત્નામેવાને ऋतुविभागकृतो वेलानियमकृतश्च विचित्रः कारणं नियामकमन्तरेणानुपपन्नः ततः समस्ति तत्कारणं काल इत्यवसीयते । तथा विनष्टो विनश्यति विनङ्ख्यति च घट इत्यादिक्रियाव्यपदेशा अतीतवर्तमानानागतकालत्रयविभागनिमित्ताः परस्परासंकीर्णाः संव्यवहारानुगुणाः कालमन्तरेण न भवेयुः, ततोऽस्ति कालः। तथेदं परमिदमपरमिति यनिमित्ते प्रत्ययाभिधाने, स समस्ति काल इति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy