SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા શક્તિને તે અમુક વખત સુધી ઢાંકે છે, જુદી જુદી તીવ્રતાવાળાં ફળ આપે છે અને અમુક જથ્થામાં લાગે છે. પરંતુ અહીં પ્રશ્ન થાય કે તે આત્માની કઈ શક્તિને ઢાંકશે, કેટલા વખત સુધી ઢાંકશે, કેટલી તીવ્રતાવાળાં ફળો આપશે અને કેટલા જથ્થામાં લાગશે તેનાં નિયામક કારણો કયાં છે? જૈન મતે તે કર્મપરમાણુઓને આત્મા ભણી લાવવામાં કારણભૂત પ્રવૃત્તિ છે અને તે પ્રવૃત્તિના પ્રકાર આત્માની કઈ શક્તિને તે કર્મો ઢાંકશે તે નક્કી કરે છે. તે પ્રવૃત્તિનું પ્રમાણ તે કર્મપરમાણુઓના જથ્થાનું પ્રમાણ નક્કી કરે છે. કર્મો કેટલા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે એનો આધાર તથા ફળની તીવ્રતામંદતાનો આધાર પ્રવૃત્તિ કરતી વખતની કષાયની તીવ્રતામંદતા ઉપર છે. આથી કષાય જ સંસારની ખરી જડ છે. કષાયમુક્તિ એ જ ખરી મુક્તિ છે. બધાં જ કર્મોનો ક્ષય એ જ જૈનમતે મોક્ષ છે. આના માટે પ્રથમ તો આવતાં કર્મોને અટકાવી દેવાં જોઈએ. આ સંવર છે. અને લાગેલાં કર્મોને ખેરવી નાખવાં જોઈએ. આ નિર્જરા છે. સંવરના ઉપાય તરીકે જૈનો વ્રત (અહિંસા આદિ), ગુપ્તિ (પ્રવૃત્તિનો સમ્યફ નિગ્રહ),સમિતિ (વિવેકશીલ પ્રવૃતિ), ધર્મ (ક્ષમા આદિ દશવિધ ધર્મ), અનુપ્રેક્ષા (કલ્યાણપ્રેરક ચિંતન), પરીષહજય (કષ્ટો શાંતભાવે સહન કરવા) અને ચારિત્રને (સમભાવને) ગણાવે છે. નિર્જરાના ઉપાયોમાં ઉપર ગણાવેલા ઉપાયો ઉપરાંત તપનો સ્વીકાર છે. નિર્જરાનો ખાસ ઉપાય તપ છે. જૈનો ઈશ્વરને માનતા નથી, વેદને માનતા નથી, અહિંસા અને તપ ઉપર ભાર મૂકે છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય આત્માનો સ્વભાવ છે. કર્માવરણો સંપૂર્ણ દૂર થતાં તેમનું આનન્ય પ્રકટ થાય છે. (૩) થેરવાદ (બૌદ્ધ) ત્રિપિટક, બુદ્ધઘોષકૃત વિસદ્ધિમગ્ગ” તથા “અઢસાલિની અને અનિરુદ્ધકૃત “અભિધમ્મત્યસંગહો” થેરવાદના પ્રમુખ ગ્રન્થો છે. થેરવાદદર્શનનો આધાર ચાર આર્યસત્ય છે – (૧) દુઃખ, (૨) દુઃખહેતુ, (૩) દુઃખનિરોધ. (૪) દુઃખનિરોધના ઉપાય. ઘડપણ તેમજ મરણરૂપ દુઃખ સંસારમાં પ્રત્યક્ષ છે. બુદ્ધે દુઃખનો હેતુ શોધ્યો. હેતુને બુદ્ધ પ્રતીત્યસમુત્પાદના રૂપમાં નિરૂપ્યો. “પ્રતીત્ય'નો અર્થ છે “એમ હોતાં' (અર્થાત્ કારણો ભેગાં મળતાં) “સમુત્પાદ' અર્થાત્ ઉત્પન્ન થવું તે.' પ્રશ્ન એ હતો કે કઈ બાબતો હોતાં (૧) જરા-મરણરૂપ દુઃખ ઉત્પન્ન થાય છે? બુદ્ધે ઉત્તર આપ્યો કે (૨) જાતિ' (જન્મ) હોતાં જરા-મરણ રૂપ દુઃખ ઉત્પન્ન થાય છે. “જન્મ શું હોતાં થાય છે? બુદ્ધનો ઉત્તર હતો કે (૩) “ભવ' અર્થાત્ ટકી રહેવાની અથવા કાયમ રહેવાની તૃષ્ણા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy