SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૩૫ પરિણમનશીલ છે. બે કે વધારે અણુઓનો બનેલો સ્કન્ધ આકાશના એક પ્રદેશમાં (a smallest unit of spaceમાં) સમાઈ શકે છે. ૫૨માણુઓ અનન્ત છે. આકાશનું કાર્ય જીવ વગેરે દ્રવ્યોને સ્થાન આપવાનું છે. આકાશના જે ભાગમાં તે દ્રવ્યો રહે છે તે લોકાકાશ કહેવાય છે અને બાકીના ખાલી આકાશને અલોકાકાશ કહેવાય છે. આમ તો આકાશ એક અને અનન્ત છે. જીવ અને પુદ્ગલને ગતિ અને સ્થિતિમાં સહાય કરના૨ દ્રવ્યો અનુક્રમે ધર્મ અને અધર્મ છે. કાળને કેટલાક દ્રવ્ય માને છે અને કેટલાક નથી માનતા. જેઓ તેને દ્રવ્ય માને છે તેઓ તેને પરિણામનું સહાયક કારણ ગણે છે. જેઓ તેને દ્રવ્ય નથી માનતા તેઓ પરિણામને જ કાળ ગણે છે. જૈનો અનેકાન્તવાદી છે. વસ્તુ અનન્તધર્માત્મક છે. એક જ વસ્તુમાં જુદી જુદી દૃષ્ટિએ પરસ્પર વિરોધી ધર્મો પણ રહી શકે છે એમ અનેકાન્તવાદ જણાવે છે. એક જ પુરુષ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે અને પોતાના પુત્રની અપેક્ષાએ પિતા પણ છે. એક જ વસ્તુ દ્રવ્યદૃષ્ટિએ નિત્ય છે અને પર્યાયદૃષ્ટિએ અનિત્ય છે. અખંડ વસ્તુને જાણવી એ પ્રમાણ છે અને બીજી દૃષ્ટિઓનો નિષેધ કર્યા વિના એક દૃષ્ટિથી તેને જાણવી એ નય છે. જૈનો પાંચ પ્રકારના જ્ઞાનો સ્વીકારે છે– મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ. મતિમાં ઇન્દ્રિયજ જ્ઞાન, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, તર્ક(ઊહ) અને અનુમાનનોસમાવેશ થાય છે. શ્રુત એ શબ્દપ્રમાણ યા આગમપ્રમાણ છે. અવધિજ્ઞાન એ દેશ અને કાળની દૃષ્ટિએ દૂર રહેલી પૌદ્ગલિક વસ્તુને જાણનારું જ્ઞાન છે. મનઃપર્યાયજ્ઞાન પૌદ્ગલિક મનના પર્યાયોને (મનમાં ઊઠતા આકારોને) જાણે છે. કેવલજ્ઞાન એ સર્વજ્ઞજ્ઞાન છે. જૈનોનો કર્મસિદ્ધાન્ત વિશિષ્ટ છે. કર્મો પૌદ્ગલિક છે. કર્મપરમાણુઓનું જીવ ભણી આવવું આસ્રવ છે. આસ્રવનું કારણ મન-વચન-કાયાની પ્રવૃત્તિ(યોગ) છે. આત્મા ભણી આકર્ષાયેલા કર્મપરમાણુઓનો આત્માના પ્રદેશો સાથે નીરક્ષીર સંબંધ થવો એ બંધ છે. ઉમાસ્વાતિ બંધનાં કારણોમાં મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ (પ્રવૃત્તિ) આ પાંચને ગણાવે છે. પરંતુ ખાસ તો આ પાંચમાંથી કાય (લોભ, ક્રોધ, માન અને માયા આ ચાર યા તેમનો સંક્ષેપ રાગ-દ્વેષ) જ બંધનું મુખ્ય કારણ છે. આત્માને લાગેલા કર્મપરમાણુઓ આત્માની અમુક શક્તિને ઢાંકે છે, તે १. परमाण्वादयो हि सूक्ष्मभावेन परिणता एकैकस्मिन्नप्याकाशप्रदेशे ऽनन्तानन्ता अवतिष्ठन्ते । સર્વાર્થસિદ્ધિ, ૫.૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy