SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ જૈનમત બાબતમાં વિશ્વાસ કરી શકાતો નથી. તે બધાં દ્રવ્યો અચેતન છે એટલે તેમનું સ્વસંવેદન તો હોઈ શકે જ નહિ તથા તે બધાં દ્રવ્યો સદા અમૂર્ત (અરૂપી) હોઈ બીજું કોઈ પણ તેમને પ્રત્યક્ષ વડે જાણી શકે નહિ. તો પછી તેમને આંખ મીંચી કોઈ પણ પ્રમાણ વિના કેવી રીતે માની શકાય ? એટલે તેમના અસ્તિત્વની બાબતમાં વિશ્વાસ કેવી રીતે કરી શકાય? - જૈન ઉત્તર— ‘જે પ્રત્યક્ષથી ગૃહીત થાય નહિ તે સસલાનાં શિંગડાંની જેમ સર્વથા અસત્ છે, તેનું અસ્તિત્વ જ નથી' આ નિયમ કોઈ પણ રીતે તર્કસંગત નથી કેમ કે ઘણા અતીન્દ્રિય પદાર્થો આપણને પ્રત્યક્ષ થતા નથી એટલે માત્ર એ કારણે જ તેમનું અસ્તિત્વ નથી એમ તો ન કહી શકાય. પદાર્થની અનુપલબ્ધિ બે પ્રકારની છે – એક તો જે પદાર્થ બિલકુલ અસ્તિત્વ ધરાવતો નથી, અત્યન્ત અસત્ છે તેની અસત્ હોવાના કારણે થતી અનુપલબ્ધિ, જેમ કે ઘોડાના માથા ઉપર શિંગડાંની અનુપલબ્ધિ. બીજી અનુપલબ્ધિ તે છે જે, પદાર્થ અસ્તિત્વ ધરાવતો હોવા છતાં તેની ઉપલબ્ધિનાં સકલ (સઘળાં) કારણો મોજૂદ ન હોવાના કારણે થાય છે. અસ્તિત્વ ધરાવતા પદાર્થોની અનુપલબ્ધિ આઠ કારણોથી થાય છે – પદાર્થો અત્યન્ત દૂર હોવાથી કે અત્યન્ત પાસે હોવાથી, ઇન્દ્રિયોનો નાશ થઈ જવાથી, ચિત્તનું તેમની તરફ ધ્યાન (ઉપયોગ) ન હોવાથી, પદાર્થો અત્યન્ત સૂક્ષ્મ હોવાથી, તેમના ઉપર આવરણ આવી જવાય. સબળ પદાર્થ દ્વારા તિરસ્કૃત થઈ જવાથી યા સમાન પદાર્થોમાં મળી એકાકાર થઈ જવાથી અસ્તિત્વ ધરાવતા પદાર્થો પણ અનુપલબ્ધ જ રહે છે, પ્રત્યક્ષગ્રાહ્ય બનતા નથી. - " 189. तत्रादिदूराद्देशकालस्वभावविप्रकर्षात् त्रिविधानुपलब्धिः । तत्र देशविप्रकर्षात् यथा कश्चित् देवदत्तो ग्रामान्तरं गतो न दृश्यते, तत्कथं स नास्ति । सोऽस्त्येव परं देशविप्रकर्षान्नोपलब्धिः । एवं समुद्रस्य परतटं मेर्वादिकं वा सदपि नोपलभ्यते । तथा कालविप्रकर्षाद् भूता निजपूर्वजादयो भविष्या वा पद्मनाभादयो जिना नोपलभ्यन्ते, अभूवन् भविष्यन्ति च ते । तथा स्वभावविप्रकर्षान्नभोजीवपिशाचादयो नोपलभ्यन्ते, न च ते न सन्ति । 189. અત્યન્ત દૂર હોવાના કારણે દૂરદેશવર્તી પદાર્થ,અતીતકાલીન તથા અનાગતકાલીન પદાર્થ અને સ્વભાવથી જ અતીન્દ્રિય પદાર્થ (૫૨માણુ આદિ)ની અનુપલબ્ધિ થાય છે. આમ અનુપલબ્ધિ ત્રિવિધ છે – દેશવિપ્રકર્ષના કારણે થતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy