SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા કાવિપ્રકર્ષના કારણે થતી અને સ્વભાવવિપ્રકર્ષના કારણે થતી ત્રણ પ્રકારની અનુપલબ્ધિ છે. માની લો કે દેવદત્ત પોતાના ગામથી ઘણા દૂર આવેલા ગામે ગયો છે, તેથી તે દેખાતો નથી, તો શું એટલા માત્રથી તેનું અસ્તિત્વ જ નથી એમ માનવું ? તેનું અસ્તિત્વ તો છે પરંતુ દૂર દેશ જતો રહ્યો હોવાથી તે દેખાતો નથી અર્થાત્ તેની અનુપલબ્ધિ છે. તેવી જ રીતે સમુદ્રનો સામો કિનારો, મેરુપર્વત વગેરે અસ્તિત્વ · ધરાવતા હોવા છતાં દૂરદેશવર્તી હોવાના કારણે ઉપલબ્ધ થતા નથી. આપણા પોતાના મૃત બાપ, દાદા, વડદાદા વગેરે પૂર્વજો તથા ભવિષ્યમાં થનારા પદ્મનાભ વગેરે તીર્થંકરો કાલની દૂરીના કારણે દેખાતા નથી, ઉપલબ્ધ થતા નથી. પૂર્વજો થયા તો અવશ્ય હતા તથા તીર્થંકરો થવાના પણ અવશ્ય છે પરંતુ કાલની દૂરીના કારણે દેખાતા નથી. આકાશમાં વસતા અત્યન્ત સૂક્ષ્મ જીવો તથા પિશાચ વગેરે સ્વભાવથી જ ઇન્દ્રિયગ્રાહ્ય બની શકતા નથી એટલે તેઓ ઉપલબ્ધ થતા નથી. તેમનામાં સ્વભાવની અપેક્ષાએ દૂરવર્તિતા છે. પરંતુ તે સૂક્ષ્મ જીવો તેમ જ પિશાચ આદિનું અસ્તિત્વ જ નથી એમ તો ન જ કહી શકાય. ૩૭૨ 190. तथातिसामीप्याद् यथा नेत्रकज्जलं नोपलभ्यते तत्कथं तन्नास्ति । तदस्त्येव, पुनरतिसामीप्यान्नोपलभ्यते । 190. આંખોમાં આંજેલું કાજળ અત્યન્ત સમીપ હોવાના કારણે દેખાતું નથી એટલે શું તેનું અસ્તિત્વ નથી ? તે આંખોમાં અસ્તિત્વ ધરાવે છે જ પરંતુ આંખોની અત્યન્ત સમીપ હોવાથી આંખો તેને જોઈ શકતી નથી. 191. तथेन्द्रियघाताद् यथा अन्धबधिरादयो रूपशब्दादीन्नोपलभन्ते तत्कथं रूपादयो न सन्ति । सन्त्येव ते पुनरिन्द्रियघातान्नोपलभ्यन्ते । • 191. આંખ ફૂટી જવાથી કે કાનનો પડદો તૂટી જવાથી આંધળો અને બહેરો થઈ ગયેલો માણસ રૂપ અને શબ્દને ગ્રહણ કરી શકતો નથી, જાણી શકતો નથી, તો શું એમ માની લેવું કે રૂપ અને શબ્દનું અસ્તિત્વ જ નથી ? હકીકત તો એ છે કે રૂપ અને શબ્દ અસ્તિત્વ ધરાવે છે પરંતુ આંખ અને કાન ઇન્દ્રિયો નાશ પામી ગઈ હોવાથી રૂપ અને શબ્દનું ગ્રહણ થતું નથી, ઉપલબ્ધિ થતી નથી. 192. तथा मनोऽनवस्थानाद् यथा अनवस्थितचेता न पश्यति । उक्तं - .. "इषुकारनरः कश्चिद्राजानं सपरिच्छदम् । न जानाति पुरो यान्तं यथा ध्यानं समाचरेत् ॥ १ ॥” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy