SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૫ જૈનમત प्रवर्तन्ते, स कालः । 180. પુરુષપ્રયુક્ત યા સ્વાભાવિકપણે ઉત્પન્ન થનારો જીવ આદિ દ્રવ્યોનો પરિણમન માટેનો વ્યાપાર ક્રિયા છે. કાલ આ ક્રિયામાં સહાયક બને છે. ઘડો ફૂટી ગયો, સૂર્યને જોઈ રહ્યો છું, વૃષ્ટિ થશે ઇત્યાદિ સ્પષ્ટપણે પરસ્પર ભિન્ન એવા ભૂતવર્તમાન-ભવિષ્યના શબ્દપ્રયોગો જેની અપેક્ષા રાખે છે તે કાલ છે. 181. રૂ પમિદ્રમાિિતપ્રત્યfથાને ત્નિનિમિત્તે | 181. “આ અગ્રજ છે, આ અનુજ છે, આ જૂનું છે, આ નવું છે' ઇત્યાદિ જ્ઞાન તેમ જ વ્યવહાર પણ કાલના નિમિત્તથી જ થાય છે. 182. તહેવું વર્તનથુપનુબેય વાનો દ્રવ્ય માનુષક્ષેત્રે મનુષ્યનોकाबहिः कालद्रव्यं नास्ति । सन्तो हि भावास्तत्र स्वयमेवोत्पद्यन्ते व्ययन्त्यवतिष्ठन्ते च । अस्तित्वं च भावानां स्वत एव, न तु कालापेक्षम् । न च तत्रत्याः प्राणापाननिमेषोन्मेषायुःप्रमाणादिवृत्तयः कालापेक्षाः, तुल्यजातीयानां सर्वेषां युगपदभवनात् । कालापेक्षा ह्यर्थास्तुल्यजातीयानामेकस्मिन् काले भवन्ति, न विजातीयानाम् । ताश्च प्राणादिवृत्तयस्तद्वतां नैकस्मिन्काले भवन्त्युपरमन्ति चेति । तस्मान्न कालापेक्षास्ताः । परत्वापरत्वे अपि तत्र चिराचिरस्थित्यपेक्षे, स्थितिश्चास्तित्वापेक्षा, अस्तित्वं च स्वत પતિ | 182. આ રીતે મનુષ્યલોકમાં વર્તના, પરિણામ વગેરે લિંગોથી કાલદ્રવ્યનું અનુમાન થાય છે. મનુષ્યલોકની બહાર કાલદ્રવ્યનું અસ્તિત્વ નથી. મનુષ્યલોકની બહાર વિદ્યમાન પદાર્થો સ્વયં જ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે તથા સ્થિતિ કરે છે, અર્થાત્ તેમને કાલની અપેક્ષા નથી. મનુષ્યલોકની બહાર પદાર્થોનું અસ્તિત્વ સ્વતઃ જ છે, કાલાપેક્ષ નથી. મનુષ્યલોકની બહાર વિદ્યમાન પદાર્થોના પરિણમનમાં કે અસ્તિત્વમાં કાલદ્રવ્યની જરા જેટલી પણ અપેક્ષા નથી. મનુષ્યક્ષેત્રની બહાર વિદ્યમાન જીવોના શ્વાસોચ્છવાસ, નિમેષોન્મેષ, આયુષ્યપ્રમાણ આદિ વ્યાપારોને કાલની અપેક્ષા નથી કેમ કે બધાં સજાતીય પ્રાણીઓ યા પદાર્થોના ઉક્ત વ્યાપારો એકકાળે યુગપ નથી હોતા. સજાતીય પદાર્થોના એક સાથે યુગપત્ થનારા વ્યાપારો જ કાલની અપેક્ષા રાખે છે, વિજાતીય પદાર્થોના નથી રાખતા. મનુષ્યલોકની બહાર વિદ્યમાન પ્રાણીઓના શ્વાસોચ્છવાસ આદિ વ્યાપારો એકકાળે યુગપતું ન તો ઉત્પન્ન થાય છે કે ન તો નાશ પામે છે, તેથી તે વ્યાપારોને કાલની અપેક્ષા નથી. મનુષ્યલોકની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy