SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ તર્કરહસ્યદીપિકા 178. આ કાલ ન તો નિર્વર્તક કારણ છે કે ન તો પરિણામી કારણ છે, પરંતુ આપોઆપ પરિણમન કરનારા પદાર્થોના પરિણમનમાં “આ પરિણમનો આ કાળે થવાં જોઈએ, અન્ય કાળે નહિ” એ રૂપે અપેક્ષાકારણ બને છે, તે કોઈને બળપૂર્વક પરિણમન કરાવતો નથી. કાળ દ્વારા પદાર્થોને વર્તન, પરિણમન આદિ ઉપકારો થાય છે. અથવા વર્તના આદિ ઉપકારો કાળનાં લિંગો (ચિહ્નો) છે. એટલે વર્તના આદિનું નિરૂપણ કરીએ છીએ. “વર્તના, પરિણામ, ક્રિયા તથા પરવાપરત્વ એ કાલદ્રવ્યના ઉપકારો છે” [તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૨). પદાર્થો સ્વતઃ વર્તે છે, હોય છે, તે સ્વયં વર્તનારા યા હોનારા પદાર્થોને વર્તવામાં યા હોવામાં સહાયતા કરનારી કાલની શક્તિ વર્તના કહેવાય છે. પ્રથમ સમયમાં થનારી પદાર્થોની સ્થિતિ પણ વર્તના કહેવાય છે. દ્રવ્યનું પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના, મૂળ જાતિસ્વભાવમાંથી શ્રુત થયા વિના, એક અવસ્થા છોડી બીજી અવસ્થામાં આવવું પરિણામ કહેવાય છે. પરિણામ હલનચલનરૂપ પણ હોય છે અને હલનચલન વિના જ અવસ્થાઓમાં ફેરફારરૂપ પણ હોય છે, જેમ કે વૃક્ષની અંકુર, મૂળ આદિ અવસ્થાઓ પરિણામ છે. આ વૃક્ષ એક નાનું અંકુર હતું, તે જ હવે મોટા થડવાળું, મોટી મોટી ડાળીઓવાળું વૃક્ષ થઈ ગયું છે અને તેને ફૂલો પણ આવશે. આ જ મનુષ્ય બાળકમાંથી કમાર, કુમારમાંથી યુવાન બની ગયો છે અને વૃદ્ધ પણ થશે. આ રીતે બધા પદાર્થોમાં પરિણામ થતો રહે છે. 179. પરિધામ વિધ, અનાદિપૂર્વેષ થતિષ, મૂર્તપુ તુ સાવિષેन्द्रधनुरादिषु स्तम्भकुम्भाम्भोरुहादिषु च । ऋतुविभागकृतो वेलाविभागकृतश्च परिणामस्तुल्यजातीयानां वनस्पत्यादीनामेकस्मिन्काले विचित्रो મવતિ | 179. પરિણામ બે પ્રકારનો છે – એક અનાદિ પરિણામ અને બીજો સાદિ પરિણામ. અમૂર્ત ધર્મદ્રવ્ય આદિ દ્રવ્યોના પરિણામની કોઈ શરૂઆત નથી, એટલે તે અનાદિ છે. મૂર્ત પદાર્થોનો પરિણામ સાદિ છે. મૂર્ત પદાર્થોનો વાદળ, મેઘધનુષ આદિરૂપ પરિણામ સાદિ છે, તેના પ્રારંભનો સમય છે. પુગલદ્રવ્ય થાંભલો બની જાય છે, ઘડો બની જાય છે તથા કમલ આદિ બની જાય છે. આ બધો પરિણામ સાદિ છે. એક જાતિની વનસ્પતિઓમાં ઋતુભેદે અને સમયભેદે એક જ સમયમાં વિચિત્ર વિચિત્ર પરિણામો ઉદ્દભવે છે. __ 180. प्रयोगविस्त्रसाभ्यां जनितो जीवादीनां परिणमनव्यापारः करणं क्रिया तस्या अनुग्राहकः कालः । तद्यथा-नष्टो घटः, सूर्यं पश्यामि, भविष्यति वृष्टिरित्यादिका अतीतादिव्यपदेशाः परस्परासंकीर्णा यदपेक्षया Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy