SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ તર્કરહસ્યદીપિકા માણવાની તેને ઇચ્છા જાગે છે, તે સિવાય જીભમાં પાણી છૂટે નહિ. કેરીનો રંગ દેખીને કે તેની ગંધ સૂંઘીને મધુર રસનું સ્મરણ થવા છતાં જેને મધુર રસની તૃષ્ણા (ઇચ્છા) નથી તેની જીભમાં પાણી છૂટતું નથી. પરંતુ કેરીનો રંગ દેખીને કે તેની ગંધ સૂંઘીને મધુર રસનું સ્મરણ થતાં જેને તે રસ માણવાની ઇચ્છા થાય છે તેની જ જીભમાં પાણી છૂટે છે. આમ પહેલાં અનુભવેલ રસનું સ્મરણ અને રસને માણવાની ઇચ્છા બન્ને જીભમાં પાણી છૂટવા માટે આવશ્યક છે. રંગ જોઈને કે ગંધ સૂંઘીને જીભમાં પાણી છૂટે ત્યારે તે બન્ને શરતો પૂરી પડી હોય છે. તેથી આ ઘટનામાં તે મધુર રસનું સ્મરણ કોણ કરે છે તે વિચારણીય છે. ચક્ષુરિન્દ્રિય કે ઘ્રાણેન્દ્રિય તો મધુર રસનું સ્મરણ કરી શકે નહિ કેમ કે તે બેમાંથી એકેય ઇન્દ્રિયે કદી મધુર રસનો અનુભવ કર્યો નથી. રસ ચક્ષુરિન્દ્રિય કે ઘ્રાણેન્દ્રિયનો ગ્રાહ્ય વિષય નથી. રસનેન્દ્રિય જ પ્રસ્તુત ઘટનામાં પૂર્વાનુભૂત મધુર રસનું સ્મરણ કરી તેનો અભિલાષ કરે છે એમ પણ ન કહી શકાય કારણ કે રસનેન્દ્રિય કેરીનું રૂપ કે તેની ગંધ ગ્રહણ કરતી નથી, રૂપ કે ગંધ રસનેન્દ્રિયનો ગ્રાહ્ય વિષય નથી. અને નિયમ તો એવો છે કે જે કેરીના રૂપ કે ગંધને ગ્રહણ કરે છે તેને જ કેરીના મધુર રસનું સ્મરણ થઈ શકે છે, બીજાને નહિ. દર્શન કરે એક અને સ્મરણ કરે બીજો એ અસંભવ છે. એટલે પુરવાર થાય છે કે પ્રસ્તુત ઘટનામાં ઇન્દ્રિયથી ભિન્ન કોઈ દ્રવ્ય છે જે આંખથી કેરીનું રૂપ દેખી કે નાકથી તેની ગંધ સૂંઘી તે જાતનાં રૂપ-ગંધ સાથે પહેલાં અનુભવેલા મધુર રસનું સ્મરણ કરે છે અને તે મધુર રસનો અભિલાષ કરે છે. અર્થાત્ જ્ઞાન અને ઇચ્છાનો આશ્રય ઇન્દ્રિય નથી પણ ઇન્દ્રિયથી જુદું કોઈ દ્રવ્ય છે જેનું નામ આત્મા છે.] 165. अथवेन्द्रियेभ्यो व्यतिरिक्त आत्मा अन्येनोपलभ्यान्येन ग्रहणात् । इह यो घटादिकमन्येनोपलभ्यान्येन गृह्णाति स ताभ्यां भेदवान् दृष्टः यथा पूर्ववातायेन घटमुपलभ्यापरवातायनेन गृह्णानस्ताभ्यां देवदत्तः । गृह्णाति च चक्षुषोपलब्धं घटादिकमर्थं हस्तादिना जीव:; ततस्ताभ्यां भिन्न इति । 165. અથવા આત્મા ઇન્દ્રિયથી ભિન્ન છે કેમ કે તે અન્ય દ્વારા જાણીને અન્ય દ્વારા ગ્રહણ કરે છે. જે ધડા આદિને અન્ય દ્વારા દેખીને કોઈ અન્ય દ્વારા તેને ઉપાડે છે તે તે બન્ને સાધનોથી ભિન્ન છે. જેમ પૂર્વ દિશાની બારીથી ઘડાને જોઈ પશ્ચિમ દિશાની બારીથી ઘડાને ઉપાડનારો દેવદત્ત તે બન્ને બારીઓથી ભિન્ન છે તેમ આંખથી ઘડાને જોઈ હાથથી તેને ઉપાડનારો આત્મા પણ તે આંખ અને તે હાથથી ભિન્ન છે. [જો આત્મા આંખરૂપ હોય તો તે ઘડાને ઉપાડશે કેવી રીતે ? તેવી જ રીતે જો આત્મા હાથરૂપ જ હોય તો તે ઘડાને જોશે કેવી રીતે ? તેથી આત્મા તે બન્નેથી ભિન્ન છે.] 166. एवमत्रानेकान्यनुमानानि नैकाश्च युक्तयो विशेषावश्यकटीका Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy