SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૫૫ ઇન્દ્રિયો જ આત્મા હોય તો આંખ ઉઘાડી હોતાં સદા દેખાય જ અને કાનથી સદા સંભળાય જ. પરંતુ ઇન્દ્રિયો ખુલ્લી અને વ્યાપાર કરતી હોવા છતાં જેના વ્યાપાર યા ઉપયોગ યા ધ્યાનના અભાવમાં દેખાય અને સંભળાય નહિ તે જ આત્મા યાચિત્ત છે. 164. અથવેનુમાન—સમસ્તેજિષ્યો મિત્રો નીવોચ્ચેનોપત્રણन्येन विकारग्रहणात् । इह योऽन्येनोपलभ्यान्येन विकारं प्रतिपद्यते स तस्माद्भिनो दृष्टः, यथा प्रवरप्रासादोपरिपूर्ववातायनेन रमणीमवलोक्यापरवातायनेन समायातायास्तस्याः करादिना कुचस्पर्शादिविकारमुपदर्शयन्देवदत्तः । तथा चायमात्मा चक्षुषाम्लीकामश्नन्तं दृष्ट्वा रसनेन हलासलालास्रवणादिकं विकारं प्रतिपद्यते । तस्मात्तयोः (ताभ्यां) भिन्न રૂતિ | 164. અથવા આ અનુમાન – બધી ઇન્દ્રિયોથી આત્મા ભિન્ન છે કેમ કે તે આંખ આદિથી પદાર્થને જાણીને સ્પર્શનેન્દ્રિય યા રસનેન્દ્રિય આદિ ઇન્દ્રિયોના વિકારને ગ્રહણ કરે છે. જે અન્ય દ્વારા પદાર્થને જાણી અન્ય દ્વારા વિકારને પામે તે તેમનાથી ભિન્ન હોય એ સ્પષ્ટ છે, જેમ મોટા મહેલની પૂર્વ દિશાની બારીમાંથી કોઈ સુન્દરીને જોઈને, તે સુન્દરીને પશ્ચિમ તરફ જતી જોઈ, પશ્ચિમની બારીએ જઈ તે બારીમાંથી હાથ વડે સ્તનસ્પર્શ આદિ ચેષ્ટાઓ કરનારો દેવદત્ત તે બારીઓથી ભિન્ન છે તેમ આંખ વડે કોઈને આંબલી ખાતો જોઈને જીભમાં પાણી છૂટવારૂપ વિકારને પામનારો આત્મા પણ આંખ અને જીભથી ભિન્ન છે. (જો આત્મા ઇન્દ્રિયરૂપ જ હોય તો એક ઇન્દ્રિય પદાર્થને જાણે અને બીજી ઈન્દ્રિયમાં વિકાર થાય એવું બને નહિ. આવું થાય છે કારણ કે એક ઇન્દ્રિય દ્વારા જાણનારો અને બીજી ઇન્દ્રિય દ્વારા વિકાર પામનારો કોઈ એક છે અને તે છે આત્મા. આત્મા બધી ઇન્દ્રિયોનો સ્વામી યા નિયત્તા છે. ઇન્દ્રિયો દ્વારો છે યા સાધનો છે, તેમના દ્વારા આત્મા રૂપ, રસ, આદિ વિષયોને ગ્રહણ કરે છે. આત્મા આંખ દ્વારા રૂપને, જીભ દ્વારા રસને, ઘાણ દ્વારા ગધને, ચામડી દ્વારા સ્પર્શને અને કાન દ્વારા શબ્દને ગ્રહણ કરે છે. એક આત્માને પાંચ ઈન્દ્રિયો દ્વારા પાંચ યુગપદ્ જ્ઞાનો થાય છે. આ યુગપદુ જ્ઞાનો પણ પાંચ ઇન્દ્રિયોથી જુદા તેમના સ્વામીભૂત એક આત્માને સિદ્ધ કરે છે. એટલે આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.] [આ ઇન્દ્રિયાન્તરવિકારની ઘટના રસપ્રદ છે. મધુર રસવાળી કેરીનો રંગ દેખીને કે તેની ગંધ સૂંઘીને મનુષ્યની જીભમાં પાણી છૂટે છે. આમ કેમ બને છે? આનો વિચાર કરતાં સમજાય છે કે તે મનુષ્યને તે જાતનાં રંગ અને ગંધ સાથે જે મધુર રસનો પહેલાં અનુભવ થયેલો તે મધુર રસનું તેને સ્મરણ થાય છે અને પરિણામે તે મધુર રસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy